114th Birth Anniversary of Bhagat Singh : ક્રાંતિકારી વિશે જાણીઅજાણી વાતો
ભારતીય ઇતિહાસના પાનાઓમાં અમર થયેલા શહીદ ભગત સિંહનો જન્મ 27 સપ્ટેમ્બર, 1907ના રોજ થયો હતો. ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભગતસિંહે મોટું યોગદાન આપ્યું હતું. તેમ છતા શહીદ ભગતસિંહ જીવતા હતા, ત્યારે ભારત સ્વતંત્ર થઈ શક્યું ન હતું
ભારતીય ઇતિહાસના પાનાઓમાં અમર થયેલા શહીદ ભગત સિંહનો જન્મ 27 સપ્ટેમ્બર, 1907ના રોજ થયો હતો. ભારતની સ્વતંત્રતા ચળવળમાં ભગતસિંહે મોટું યોગદાન આપ્યું હતું. તેમ છતા શહીદ ભગતસિંહ જીવતા હતા, ત્યારે ભારત સ્વતંત્ર થઈ શક્યું ન હતું. ભગતસિંહનો પરિવાર શીખ સમુદાયમાંથી આવતો હતો, જે દેશભક્તિથી ભરપૂર હતો.

ભગત સિંહનો પરિવાર ક્યારેય ઈચ્છતો ન હતો કે, ભગત સિંહ આ રીતે દેશ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે. શહીદ ભગત સિંહ કે જેમણે તેમના હૃદયમાં આઝાદીની જ્યોત પ્રગટાવી હતી, તેમણે શાળાના દિવસોથી જ સ્વતંત્ર ભારતના સપના જોવાનું શરૂ કર્યું હતું અને અંગ્રેજો સામે લડવાનું શીખી લીધું હતું. પરિવારની પરવાનગી વગર ઘરથી ભાગી જવું, મિત્રો સાથે સમય પસાર કરવો અને દેશ માટે મરવું એ બધું આજે પણ આપણને ભગત સિંહની યાદ અપાવે છે. દેશની આઝાદી માટે ભગતસિંહનો પ્રેમ અને તે માટેનું ગાંડપણ એવું હતું કે, તેઓ આ દેશમાંથી અંગ્રેજો અને અંગ્રેજી શાસનને ઉથલાવવા માટે કોઈ કસર છોડી ન હતી.
ભગતસિંહને ક્યારેય અંગ્રેજો સામે ઝૂકવું ગમ્યું નહીં. તે પછી પણ તેઓ અસહકાર આંદોલનમાં મહાત્મા ગાંધીની પડખે ઉભા રહ્યા હતા, પરંતુ ગાંધીજીની નીતિઓએ તેમને છોડવાની ફરજ પાડી અને પછી ભગતસિંહે ગાંધીજીને સમર્થન ન આપ્યું અને બીજા પક્ષને ટેકો આપવાનું શરૂ કર્યું હતું. ભગતસિંહે તેના મિત્રો વગર કશું કર્યું નહીં, અંગ્રેજો સામે લડાયેલી લગભગ તમામ લડાઈઓમાં, ભગતસિંહ અન્ય ક્રાંતિકારીઓ જેવા કે સુખદેવ, રાજગુરુ પણ અંગ્રેજી શાસન સામેની લડાઈઓમાં શામેલ રહ્યા છે.
ભારતના મહાન સ્વાતંત્ર્ય સેનાનીઓમાંના એક ભગત સિંહનું વર્ષ 1931માં 23 વર્ષની વયે ફાંસી આપવામાં આવી હતી. આજે દેશ ક્રાંતિકારી સ્વાતંત્ર્ય સેનાનીને તેમની 114મી જન્મજયંતિ પર શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. જો તમે કોઈ પણ રેન્ડમ ભારતીયને ભગત સિંહ વિશે પૂછો, તો તેઓ તમને કહેશે કે, તેઓ તેમના માતાપિતા અથવા દાદા-દાદી પાસેથી તેમના વિશેની વાર્તાઓ વાંચીને અથવા સાંભળીને મોટા થયા છે. આ જ કારણ છે કે, ભગત સિંહની બહાદુરી અને હિંમતની સ્ટોરી દરેક પેઢીમાં લાખો લોકોને પ્રેરણા આપી છે.
ભગત સિંહ ભારતની સ્વતંત્રતા ચળવળમાં સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાંના એક બન્યા હતા. તેમણે તેમના ક્રાંતિકારી કાર્યો અને સર્વોચ્ચ બલિદાનથી આંદોલનને નવો આકાર અને વિચારો આપ્યા હતા, પરંતુ તેમનું આદરણીય નામ બને તે પહેલા, સિંહે ફૈસલાબાદ જિલ્લાના બંગા ગામમાં ખૂબ જ નમ્ર શરૂઆત કરી હતી, જે હાલ પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવે છે. ભગત સિંહ સમાજવાદી ક્રાંતિકારી તરીકે જાણીતા થયા હતા. બ્રિટિશરો સામે તેમની બે હિંસા અને ફાંસીએ આખરે તેમને સ્વતંત્રતા ચળવળ દરમિયાન લોકનાયક બનાવ્યા હતા.
સૌથી મોટું કૃત્ય એપ્રિલ 1929માં તેમના અને તેમના મિત્ર બટુકેશ્વર દત્તે કર્યું હતું. આ જોડીએ દિલ્હીમાં વિધાનસભાની અંદર બે ઓછી તીવ્રતાવાળા બોમ્બ વિસ્ફોટ કર્યા હતા અને ધારાસભ્યો માટે ગેલેરીમાંથી પત્રિકાઓ વરસાવી હતી. જે બાદ તેમને સૂત્રોચ્ચાર કર્યા અને જ્યારે અધિકારીઓ તેમની ધરપકડ કરવા આવ્યા, ત્યારે તેમને તેનો પ્રતિકાર કર્યો નહીં.
આ ઘટનાના થોડા મહિનાઓ પહેલા લાલા લાજપત રાયના મોતનો બદલો લેવા માટે ભગત સિંહ અને તેના સાથી શિવરામ રાજહુરુએ લાહોરમાં બ્રિટિશ પોલીસ અધિકારી સોન્ડર્સને ગોળી મારી હતી. 23 માર્ચ, 1931ના રોજ તેમને શિવરામ હરિ રાજગુરુ અને સુખદેવ થાપર સાથે લાહોર જેલમાં દોષિત ઠેરવવામાં આવ્યા અને ફાંસી આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
