સર્જિકલ સ્ટ્રાઈકને લઈ તેલંગાણાના સીએમ કેસી રાવે કર્યો મોટો દાવો
સર્જિકલ સ્ટ્રાઈકને લઈ તેલંગાણાના સીએમ કેસી રાવે કર્યો દાવો
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન પણ સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈકનો મુદ્દો જ ગરમાયેલો છે. જમ્મુ અને કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ઠેકાણા પર કરેલ એર સ્ટ્રાઈકને લઈ રાજકારણમાં હજુ ણ ગરમાવો જોવા મળી રહ્યો છે. આ બધાની વચ્ચે તેલંગાણાના સીએમ કે ચંદ્રશેખર રાવે સર્જિકલ સ્ટ્રાઈકને લઈ મોટું નિવેદન આપ્યું છે અને પીએમ મોદી પર તેના દ્વારા નિશાન સાધ્યું છે.

યૂપીએ સરકારમાં 11 સર્જિકલ સ્ટ્રાઈક થઈ- કેસીઆર
સર્જિકલ સ્ટ્રાઈકના મુદ્દા પર પીએમ મોદી પર નિશાન સાધતા તેલંગણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે શુક્રવારે કહ્યું કે આવા રણનૈતિક હુમલાના ક્યારેય ખુલાસા ન કરવામાં આવે. તેમણે દાવો કર્યો કે યૂપીએ-1ના શાસનકાળમાં 11 જેટલા આવા હુમલા કરવામાં આવ્યા હતા, ત્યારે તેઓ આ સરકારમાં કેન્દ્રીય મંત્રી હતા. પીએમ મોદીની રેલીના કલાકો બાદ તેઓ તેલંગાણામાં એક જનસભા સંબોધિત કરી રહ્યા હતા.

મોદી પર સાધ્યું નિશાન
પીએમ મોદીના નિવેદન 'પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ એ મોબમ્મદના ઠેકાણે એરસ્ટ્રાઈકમાં 300 લોકો માર્યા ગયા'ના સંદર્ભમાં કે ચંદ્રશેખર રાવે આ વાતો કહી. કેસીઆર 2006 સધી યૂપીએ કેબિનેટના સભ્ય હતા, પરંતુ તે બાદ તેમણે તેલંગાણા માટે અલગ રાજ્યના મુદ્દા પર પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. કે ચંદ્રશેખર રાવે પીએમ મોદીને પૂછ્યું કે આ પાંચ વર્ષના કાર્યકાળમાં શું સારું થયું જણાવો.

પીએમ મોદીના 'મૈં ભી ચૌકીદાર' પર પ્રહાર
કે ચંદ્રશેખર રાવે કહ્યું કે પીએમ મોદી ટીઆરએસ સરકાર વિરુદ્ધ વોટોની રાજનીતિ માટે જૂઠ ફેલાવી રહ્યા હતા. પીએમ મોદીના 'ચૌકીદાર' કેમ્પેન પર પ્રહાર કરતા કેસીઆરએ કહ્યું કે ચાવાળો ગયો અને ચૌકીદાર આવી ગયો. કે ચંદ્રશેખર રાવે ભાજપ અને કોંગ્રેસને પૂછ્યું કે બંને પાર્ટીઓ દેશમાં ઉપલબ્ધ જળ સંસાધન અને વીજળીનો ઉપયોગ કરવામાં કેમ નિષફળ રહી. ભાજપ-કોંગ્રેસ 70 વર્ષ દેશ પર રાજ કરવા છતાં વાસ્તવિક સમસ્યાઓનો હલ કેમ ન કાઢી શકી?
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
