'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
'વાયુ' વાવાઝોડાથી બચવા 10 ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
નવી દિલ્હીઃ અરબ સાગરમાં હવાના ઓછા દબાણની સ્થિતિને પગલે ઉત્પન્ન થયેલ ચક્રવાત વાયુ મહારાષ્ટ્રથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન ચક્રવાતી તોફાન વાયુના પ્રભાવથી બચવા માટે 10 ચીની જહાજોએ ભારતમાં શરણ લીધી છે. આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદરમાં શરણ આપવામાં આવી છે. હવામાન વિભાગનું અનુમાન છે કે આ તોફાનને પગલે દેશના પશ્ચિમી તટો પર તેજ વરસાદ થઈ શકે છે. ચક્રવાતી તોફાન 12-13 જૂને સૌરાષ્ટ્રના તટ પર દસ્તક આપી શકે છે, જેની ગતિ 110-120 કિમી પ્રતિ કલાકથી 135 કિમી પ્રતિ કલાક રહી શકે છે.

ચીની જહાજે ભારતમાં આશ્રય લીધો
ભારતીય તટરક્ષક મહાનિરીક્ષક કે.આર. સુરેશે જણાવ્યું કે ચક્રવાત વાયુથી બચવા માટે મંગળવારે 10 ચીની જહાજને રત્નાગિરી બંદરમાં સહારો આપવામાં આવ્યો છે. માનવીય આધાર પર ભારતીય તટરક્ષક બળે તેમને સુરક્ષા ઘેરા અંતર્ગત ત્યાં રહેવાની મંજૂરી આપી દીધી છે. બીજી બાજુ ચક્રવાત વાયુથી નિપટવા માટે ગુજરાત પ્રશાસન હાઈ અલર્ટ પર છે, જે બુધવારે વેરાવળ નજીક તટ પર પહોંચવાની સંભાવના છે.

વિજય રૂપાણીએ સમીક્ષા બેઠક બોલાવી
ગુજરાતના મુખ્ય સચિવ મુજબ વાયુ ચક્રવાત વેરાવળ પાસે બુધવારે સવારે 6 વાગ્યાથી 7 વાગ્યાની વચ્ચે ટકરાઈ શકે છે. જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક સમીક્ષા બેઠક પણ બોલાવી. એનડીઆરએફની ટીમને સૌરાષ્ટ્ર અને ગિર સોમનાથ મોકલી આપવામાં આવી છે.
|
વેરાવળમાં આ સમયે ટકરાશે વાવાઝોડું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મંગળવારે કહ્યું કે તટીય વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત સ્થળે મોકલવામાં આવશે. હવામાન વિભાગ સંબંધિત હાલના રિપોર્ટ મુજબ ચક્રવાત વાયુ વેરાવળ તટથી 650 કિમી દક્ષિણમાં સ્થિત છે અને આગામી 12 કલાકમાં તે તીવ્ર ચક્રવાતી તોફાનમાં બદલાય તેવી આશંકા છે. તટીય ક્ષેત્રોમાં માછીમારોને આગામી કેટલાક દિવસ સુધી સમુદ્રમાં ન જવાની સલાહ આપવામાં આવી છે. સાથે જ બંદરગાહોને ખતરાના સંકેત અને સૂચના જાહેર કરવા કહેવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
