મોરબીની ઓળખ સમો મચ્છુ નદી પરનો ઝુલતો પુલ ધરાશાયી, 60 ના મોત
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝુલતો પૂલ તૂટવાના સમાચાર સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ઝુલતો પુલ ધરાશાયી થયો ત્યારે ઘણા લોકો પૂલ પર હાજર હતા.
મોરબીમાં મચ્છુ નદી પર સહેલાણીઓ માટે બનાવવામાં આવેલો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તૂટવાના સમાચાર સામે આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, જ્યારે ઝૂલતો પુલ ધરાશાયી થયો ત્યારે ઘણા લોકો પુલ પર હાજર હતા. આ તમામ લોકો પુલ તુટવાને કારણે નદીમાં પડી ગયા છે. અત્યાર સુધીમાં 60 લોકોના મોત થયાના અહેવાલ છે.

પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હતો
મોરબીમાં રવિવારની સાંજે લગભગ 7 કલાકે આ અકસ્માત સર્જાયો હતો. ઝૂલતો પુલ તૂટવાને કારણે 400 જેટલા લોકો મચ્છુ નદીમાં પડ્યા છે. આમાંથી કેટલાક લોકોના મોત નદીમાં ડૂબી જવાથી થયા હોવાની શંકા સેવાઇ રહી છે. ઉલ્લેખનીય છે કે, આ પુલ છેલ્લા 6 મહિનાથી બંધ હતો. જે બાદ ચાલુ મહિનામાં દિવાળીના એક દિવસ બાદ એટલે કે 25 ઓકટોબરના રોજ ફરી તેને સામાન્ય લોકો માટે ખોલવામાં આવ્યો હતો.
140 વર્ષથી વધુ જૂનો છે ઝૂલતો પુલ
મોરબીનો આ ઝૂલતો પુલ 140 વર્ષથી વધુ જૂનો છે. ઝૂલતા પુલની લંબાઈ લગભગ 765 ફૂટ છે. ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી, 1879ના રોજ મુંબઈના ગવર્નર રિચર્ડ ટેમ્પલ દ્વારા કરવામાં આવ્યું હતું. તે સમયે લગભગ 3.5 લાખના ખર્ચે તેનું બાંધકામ 1880માં પૂર્ણ થયું હતું. તે સમયે આ બ્રિજ બનાવવા માટેની તમામ સામગ્રી ઈંગ્લેન્ડથી જ આયાત કરવામાં આવી હતી.
ડૉ. યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી અત્યારે 8.10 કલાકે મોરબી જવા અમદાવાદ એરપોર્ટ થી રવાના થશે મીડિયાના મિત્રોએ વધુ વિગત જાણવા અમદાવાદ એરપોર્ટ પહોંચવા વિનંતી કરી છે.
#WATCH | Several people feared to be injured after a cable bridge collapsed in the Machchhu river in Gujarat's Morbi area today. Further details awaited. pic.twitter.com/hHZnnHm47L
— ANI (@ANI) October 30, 2022
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
