છોટાઉદેપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ!
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી.
છોટાઉદેપુર જિલ્લા મથક ખાતે સ્વામીનારાયણ સત્સંગ હોલમાં રાજયના પશુપાલન અને ગૌસંવર્ધન રાજય મંત્રી દેવા માલમની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે મંત્રી અને મહાનુભાવોએ આદિવાસી સમાજની રૂઢિ પરંપરા પ્રમાણે પૂજા અર્ચના કરી ભગવાન બિરસા મુંડાની છબીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. કાર્યક્રમ દરમિયાન દાહોદ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સરકારની વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા રાજયમંત્રી દેવા માલમે જણાવ્યું હતું કે, આદિવાસી સમાજના હકક-અધિકારો, તેમની આગવી જીવનશૈલી અને તેમની સંસ્કૃતિના જતન અને સંવર્ધન માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરવામાં આવે છે.
આ પ્રસંગે સરકાર દ્વારા આદિવાસી સમાજના વિકાસ માટે લેવામાં આવી રહેલા સીમાચિહ્નરૂપ પગલાઓ અંગે જાણકારી આપી બજેટમાં આદિવાસી સમાજના વિકાસ માટે કરવામાં આવેલી નાણાકીય જોગવાઇ અંગે જાણકારી આપી હતી. મંત્રીએ વનબંધુ કલ્યાણ યોજના વિશે પણ માહિતી આપી હતી.
કાર્યક્રમનું સ્વાગત પ્રવચન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ ચૌધરીએ કરી કાર્યક્રમની રૂપરેખા વર્ણવી હતી. આભારવિધિ તાલુકા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
