નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને તો ગુજરાતની કમાન કોણ સંભાળશે?
ગાંધીનગર, 20 જૂન: લોકસભા ચૂંટણી 2014ને ધ્યાનમાં રાખતાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ભાજપાની ચૂંટણી અભિયાન સમિતિના પ્રમુખ બનાવ્યા બાદ અટકળોનું બજાર ગરમ થઇ ગઇ છે કે નરેન્દ્ર મોદી સંભવિત ઉત્તરાધિકારી કોણ હશે. જો કે પાર્ટી નેતૃત્વએ આ મુદ્દે મૌન પાળેલું છે. પરંતુ નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારી તરીકે જે ત્રણ પ્રબળ દાવેદારો નામ સૌથી ઉપર છે તેમાં મહેસૂલ મંત્રી આનંદીબેન પટેલ, નાણાંમંત્રી નિતિન પટેલ અને ઉર્જા મંત્રી સૌરભ પટેલના નામનો સમાવેશ થાય છે.
ગુજરાત ભાજપ નેતા આર સી ફળદૂનું કહેવું છે કે 'સરકાર અને પાર્ટીના કામ કરવાની પદ્ધતિ કંઇક એવી છે કે નરેન્દ્ર મોદીની ગેરહાજરી હોવાછતાં રાજ્યમાં બધું જ વ્યવસ્થિત ચાલતું રહેશે. અમારા નેતાઓ વચ્ચે શક્તિઓનું વિકેન્દ્રીકરણ સંતુલિત તરીકેથી કરવામાં આવે છે. જો કે રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે ગુજરાતમાં બીજી પંક્તિનું કોઇ નેતૃત્વ નથી કારણ કે નરેન્દ્ર મોદીએ પોતાની નિરંકુશ કાર્યપ્રણાલીના માધ્યમથી ભાજપાના કેડર સિસ્ટમને ખતમ કરી દિધી છે. તેમનું માનવું છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં મુખ્યમંત્રીનું પદ ત્યાં સુધી નહી છોડે જ્યાં સુધી તેમને વડાપ્રધાન કે પછી રાષ્ટ્રીય સ્તર પર ભાજપા અધ્યક્ષ જેવું મોટું પદ ન મળી જાય.
તેમછતાં જ્યાં સુધી નરેન્દ્ર મોદીના ઉત્તરાધિકારીનો સવાલ છે તો 71 વર્ષીય આનંદીબેન પટેલ સૌથી પ્રબળ અને સશક્ત દાવેદાર છે કારણ કે તે નરેન્દ્ર મોદીના સૌથી વિશ્વાસુ માનવામાં આવે છે. આનંદીબેન પટેલ વિશે કહેવામાં આવે છે કે તેમનો અધિકારીઓ પર ખાસ્સો એવો પ્રભાવ છે. તેમને શક્તિશાળી પટેલ સમુદાયનું પણ ભારે સમર્થન છે. આનંદીબેન પટેલ હાલ મહેસૂલ, શહેરી વિકાસ, માર્ગ અને મકાન, ભૂમિ સુધારણ, પુનર્વસન અને પુન: નિર્માણ અને આવાસ વિભાગ જેવી જવાબદારીઓ સંભાળી રહ્યાં છે.

નિતિન પટેલને પણ રાજકારણ અને વહીવટીતંત્રનો બહોળો અનુભવ છે અને તેમનામાં સામુદાયિક નેતૃત્વની ક્ષમતા છે. તે 1995માં પ્રથમવાર ભાજપા સરકાર અને કેશુભાઇ પટેલના કાર્યકાળ દરમિયાન સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે સેવા ચૂક્યાં છે. જો કે હાલમાં નિતિન પટેલના હાથમાં નાણાં, પરિવાર કલ્યાણ અને પરિવહન વિભાગની કમાન છે. કહેવામાં આવે છે કે તેમનું રાજ્યની સૌથી તાકતવાન લોબી તેલ ઉત્પાદકોમાં સારો એવો પ્રભાવ છે.
ઉર્જા મંત્રી સૌરભ પટેલે અમેરિકામાં એમબીએનો અભ્યાસ પૂરો કર્યો છે અને તે શરૂથી જ નરેન્દ્ર મોદીના વફાદાર રહ્યાં છે. તે 1998થી ગુજરાત વિધાનસભાના સભ્ય રહ્યાં છે. 2001માં જ્યારે કેશુભાઇ પટેલના હાથમાંથી રાજ્યની સત્તા નરેન્દ્ર મોદીના પાસે ગઇ ત્યારથી તે મંત્રી રહ્યાં છે. લગભગ 55 વર્ષીય સૌરભ પટેલને 2012ની વિધાનસભાની ચૂંટણી બાદ રાજ્યમંત્રીમાંથી બઢતી આપીને કેબિનેટનો દરજ્જો આપવામાં આવ્યો.
ધીરૂભાઇ અંબાણીના મોટાભાઇ રમણીકભાઇ અંબાણીના જમાઇ સૌરભ પટેલ એક અનુભવી મંત્રી રહ્યાં છે અને તેમને વહિવટીતંત્ર સાથે સંકળાયેલા મુદ્દાઓ અંગેની સઘળી જાણકારી છે. જે પ્રમાણે નરેન્દ્ર મોદી ઝડપથી પ્રગતિ કરી રહ્યાં છે ઠીક તે જ પ્રમાણે સરકારમાં સૌરભ પટેલનું કદ પણ ઝડપથી વધી રહ્યું છે. સૌરભ પટેલ પાસે હાલ ઉર્જા અને પેટ્રોકેમિકલ, ખાણ અને ખનીજ, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ, પ્રિંટિંગ, સ્ટેશનરી, પર્યટન, નાગરિક વિમાનન તથા શ્રમ અને રોજગાર વિભાગની જવાબદારી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
