ગુજરાતમાં જંગલરાજ? સુરતમાં હાઇપ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસ
થોડા દિવસ પહેલા બિહારમાં નીતીશ રાજમાં જંગલરાજ ચાલી રહ્યું હોવાના મામલે વિવાદ થયો હતો. પણ જે રીતે કૂદકેને ભૂસકે ગુજરાતમાં ક્રાઇમ વધી રહ્યો છે તેને જોતા ગુજરાત પણ જંગલરાજ ફેલાયું હોય તેવું લાગી રહ્યું છે. સુરતમાં હાઇપ્રોફાઇલ ટ્રિપલ મર્ડર કેસમાં ત્રણ જણાને ચપ્પુના ધા ઝીંકીને મોતને ધાટ ઉતારવામાં આવ્યા. જે બાદ અહીં ભયનો માહોલ ફેલાયો છે.
નોંધનીય છે કે પૈસાની લેતી દેતીમાં વીએચપીના ફાયર બ્રાન્ડ નેતા પ્રવિણ તોગડિયાના પિતરાઈ ભાઈ સહિત બેનાં મોત થયા છે. વરાછા વિસ્તારમાં આવેલા એ.કે. રોડ પર ફાયનાન્સની ઓફિસમાં ત્રિપલ મર્ડર થયું હતું. જેમાં વીએચપીના ડો. પ્રવિણ તોગડીયાના કૌટુંબિક ભત્રીજા અને સુરત મનપા વિરોધ પક્ષના નેતા પ્રફુલ્લ તોગડીયાના ભાઈ ભરત તોગડીયા સહિત ત્રણના ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે

પ્રાથમિક તપાસ શું કહે છે.
પ્રાથમિક તપાસમાં ભરત તોગડિયા અને બાલુ હીરાણી સહિત ત્રણની હત્યા પાછળ અમરેલી જિલ્લાના બગસરા ગામની જમીનનો વિવાદ હોવાનું બહાર આવ્યુ છે.

ત્રણની હત્યા ત્રણની ધરપકડ
ભરત તોગડીયા સહિત ત્રણની હત્યા કરી નાસી છૂટેલા આરોપીઓમાંથી પોલીસે ત્રણની કામરેજથી ધરપકડ કરી છે. જેમાં લાલુ ભરવાડ, મેહૂલ ભરવાડ અને ઈમરાન સૈયદની ધરપકડ કરવામાં આવી છે. જમીન અથવા રૂપિયાની લેતી-દેતીમાં ત્રણ જણાને મોતને ઘાટ ઉતારી હત્યારા ફરાર થઇ ગયા છે.

2ના તો ત્યાં જ રામ રમાઇ ગયા
આ હુમલામાં ભરત છગન તોગડીયા અને અશોક ડુંગર પટેલનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે જમીન દલાલ બાલો હીરાનીનું સુરતની સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે મહેશ જાદવ રાદરીયાની હાલત ગંભીર છે.

અંતિમયાત્રામાં તોગડિયાને પાસની હાજરી
ત્રણ જણાની અંતિમયાત્રામાં પાટીદાર અગ્રણીઓ સાથે વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડીયા પણ ઉપસ્થિત રહ્યાં હતા અને એક જ સ્મશાનમાં ત્રણેય મૃતકોની અંતિમ વિધી કરવામાં આવી હતી.

મુખ્ય આરોપી ફરાર
આ ત્રણ લોકોની હત્યાનો મુખ્ય આરોપી ગૌતમ ગોયાણી ઉર્ફે ગોલ્ડન હાલમાં ફરાર છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતાં ગોલ્ડન અગાઉ પણ તેના સાથીદારો સાથે મારામારી કરવા અને વરાછામાં ભાજપના કાર્યકર્તાની હત્યાના કેસમાં આરોપી જાહેર થઈ ચૂક્યો છે.
-
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે! -
સુરત મેટ્રોમાં મોટી સફળતા: 8.5 કિમી એલિવેટેડ કોરિડોર પર ટ્રાયલ રન શરૂ






Click it and Unblock the Notifications
