ટ્રસ્ટી પી કે લહેરી દ્વારા સોમનાથ મંદિર ટ્રસ્ટમાં લાખો રૂપિયાના કૌભાંડનો ખુલાસો
અમદાવાદ, 8 જૂન : કળયુગમાં લોકો ભગવાન કે ભગવાનના નામને પણ વટાવવાનું બાકી રાખતા નથી ત્યારે ભગવાનના મંદિરમાં કૌભાંડો થવાની વાત નવી નથી. ગુજરાત માટે ગર્વ સમાન એવા પુરાણો અનુસાર પ્રથમ જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ હવે કૌભાંડ થયું હોવાનું બહાર આવ્યું છે. સોમનાથ ટસ્ટ્રમાં લાખોનું કૌભાંડ થયું હોવાનો ખુલાસો ખુદ ટસ્ટ્રી પી.કે. લહેરીએ કર્યો છે. કૌભાંડના ખુલાસો બાદ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે.
ઉલ્લેખનીય છે કે આ મંદીરનાં ટ્રસ્ટી ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઇ પટેલ છે. આમ છતાં મંદિરમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે.સોમનાથ મંદિરના ટ્રસ્ટીએ મંદિર ટ્રસ્ટમાં થતા કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.
પી.કે. લહેરીના જણાવ્યા પ્રમાણે મહેશ્વરી ગેસ્ટ હાઉસમાં જે ઇલેકટ્રીક સીસ્ટમ ફિટ કરવામાં આવી છે તેમાં કૌભાંડ આચરવામાં આવ્યું છે. તેમજ લાઇટ એન્ડ સાઉન્ડ સિસ્ટમમાં પણ લાખોની ઉચાપત કરવામાં આવી છે.

આ ઉપરાંત મંદિર ટ્રસ્ટના કબ્જામાં હોય તેવી ઘણી ચીજવસ્તુઓ સારી સ્થિતિમાં હોવા છતાં તેને બદલાવી હોવાનાં બહાના કરી ખોટા બિલો રજુ કરાયા છે.તેમજ ઇલેકટ્રિક ડિપાર્ટમેન્ટમાં કોઇપણ પરવાનગી વગર કામ કરાયા હોવાનો ખુલાસો પી.કે. લહેરીએ કર્યો છે.
કૌભાંડના ખુલાસાના પગલે તમામ વિભાગોમાં શું કામ કરાયું તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ટ્રસ્ટના સ્ટોર શાખાના અધિકારીનું કૌભાંડ બહાર આવતા બદલી કરી દેવામાં આવી છે. આ કૌભાંડ ખુલતાની સાથે સોમનાથ મંદિરના ઇલેકટ્રિક ઇજનેરે રાજીનામું આપ્યું છે. જો કે તપાસ પૂર્ણ ન થાય ત્યાંસુધી તેમનું રાજીનામું સ્વીકારાશે નહીં.
આ દિશામાં વધારે ઉંડાણથી તપાસ કરવા માટે તેમજ આ કૌભાંડની તપાસ માટે એક તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ અંગે 8 થી 9 તારીખ સુધીમાં તપાસ પૂર્ણ કરાશે અને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી હાથ ધરાશે.
ભાવિકો દ્વારા મંદિરમાં લાખોનું દાન આપવામાં આવે છે. ત્યારે કેટલાક લેભાગું લોકો દાનમાં આવેલી રકમને પણ છોડતા નથી. જેનું સોમનાથ મંદિર ટ્રસ્ટમાં થયેલું કૌભાંડ મોટો પુરાવો છે. સ્થાનિક લોકો અને સોમનાથ બાબાના ભક્તો આવા તત્વો સામે આકરા પગલા ભરાય તેમ ઇચ્છે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
