મોદીના ભ્રામક વિકાસનો ફુગ્ગો ફોડવો તે અમારી સામેનો પડકાર છે : આશુતોષ
અમદાવાદ, 26 જાન્યુઆરી: જાણીતા ટીવી ન્યુઝ એન્કર અને આમ આદમી પાર્ટીના પ્રવક્તા આશુતોષ હાલમાં ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ગાંધી આશ્રમની મુલાકાત પછી તેમણે અમદાવાદ શહેરના પીરાણા રોડ, ગણેશ નગર, સુએઝ ફાર્મ રોડ તેમજ લાંભાની મુલાકાત લીધી હતી અને જણાવ્યું હતું કે અત્રે લોકો નાર્કાગારમાં દોજખની જિંદગી જીવી રહ્યા છે, આવા નાગરિકોની મુલાકાત લીધી તે પરથી લાગે છે કે મોદીનો વિકાસનો દાવો કેટલો પોકળ છે.
પત્રકાર પરિષદમાં તીખા પ્રશ્નોના જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે દિલ્લીના ડ્રગ માફિયાઓની પાછળ મોટી મોટી તાકાતો કામ કરી રહી છે. આ તાકાતો નથી ઇચ્છતી કે આ દેશમાં પ્રમાણિક રાજનીતિ કરતો આમ આદમી જેવો પક્ષ આગળ વધે. આ માટે મોટા કોર્પોરેટ હાઉસ થી માંડીને ઘણી રાજકીય હસ્તીઓ પણ એડી ચોટીનું જોર લગાવી રહી છે.
એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે બિનસાંપ્રદાયિકતા એ ભારતીય બંધારણનો આત્મા છે, પણ કમનસીબે અત્યાર સુંધી રાજકીય પક્ષોએ ધર્મ આધારિત રાજનીતિ કરીને લોકોના પ્રશ્નો બાજુએ હડસેલી દીધા છે. આમ આદમી પાર્ટી એટલે જ શિક્ષણ, આરોગ્ય, ભ્રષ્ટાચાર જેવા લોકોને સીધા જ સ્પર્શતા મુદ્દાઓને લઇ આગળ વધી રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજે અમદાવાદના જે વિસ્તારોની મેં મુલાકાત લીધી તે જોઇને મને ઊંડો આઘાત લાગ્યો છે. લોકો નાર્કાગારમાં જીવી રહ્યા છે. જો આને જ વિકાસ કહેવાતો હોય અને આ વિકાસના મોડેલને દેશભરમાં લાગુ પાડવાના ઢંઢેરાઓ પીટવામાં આવી રહ્યા હોય તો આ વિકાસનું મોડેલ આમ આદમી પાર્ટીને માન્ય નથી. લોકોએ અને પત્રકારોએ મોદીને પૂછવું જોઈએ કે તમારી સરકાર બન્યાને સવા વરસ થવા આવ્યું, તમે પચાસ લાખ મકાનો બનાવવાનો વાયદો કર્યો હતો. શું આમાંનું એક પણ મકાન બન્યું છે ખરું? ગુજરાતની રાજકીય પરિસ્થિતિ અંગેના એક પ્રશ્નના જવાબમાં આશુતોષે જણાવ્યું હતું કે મોદી સામે અમે ખુબ જ મજબુત ઉમેદવાર ઉભો રાખીશું.
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારીણીના સભ્ય અને ગુજરાત તથા ગોવાના ચૂંટણી પ્રભારી દિનેશ વાઘેલાએ આશુતોષને સમર્થન આપતા જણાવ્યું હતું કે આગામી ચૂંટણીઓમાં અમે મોદીને જબરદસ્ત ટક્કર આપીશું અને તેમને લોકસભામાં જતા અટકાવીશું. તાજેતરમાં જ લોકસભાના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈને આવેલા વાઘેલાએ જણાવ્યું હતું કે ગુજરાતના ગામડાઓમાં પણ આમ આદમી પાર્ટી તરફે જબરદસ્ત લહેર ઉભી થઇ છે. એકલ દોકલ વ્યક્તિઓ તો ઠીક પણ આખાને આખા ગામ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

આવતીકાલે આશુતોષ જૂનાગઢની મુલાકાત લેશે અને ત્યાં નેશનલ હાઈ વે બનાવવા માટે, અને અત્યારના ભાજપના નેતા વીઠ્ઠલ રાદડિયાની સંપત્તિ બચાવવા માટે સેંકડો ખેડૂતોની જમીનો છીનવી લેવામાં આવી છે ત્યાં ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે તે અસરગ્રસ્ત ખેડૂતોની મુલાકાત લેશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
