જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.
જસ્ટીસ ડી કે ત્રિવેદી પંચનો રિપોર્ટ આસારામને દિપેશ-અભિષેક મોત કેસમાં સજા સુધી પહોંચાડશે.
જોઘપુરમાં સગીરા સાથેને દુષ્કર્મ કેસમાં આસારામને આજીવન કેદની સજા થઇ છે ત્યારે મોટેરા આશ્રમમાં આવેલા ગુરૂકુળમાં વર્ષ જુલાઇ 2008મમાં થયેલા દિપેશ અભિષેક મોત કેસમાં પણ હવે આસારામની મુશ્કેલી વધી શકે તેમ છે. કારણ કે રાજ્ય સરકારે જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશનની રિપોર્ટ આગામી ચોમાસુ સત્રમાં જાહેર કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનીય છે કે જુલાઇ 2013માં જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશન દ્વારા સરકારને સોંપી દેવામાં આવ્યો હતો પણ કોઇ કારણસર ભાજપ સરકારે આ રિપોર્ટને જાહેર કરવાની હિંમત કરી નહોતી જો કે હવે સરકારે ડેમેજ કંટ્રોલ કરવા માટે આ જાહેરાત કરી હોવાનું જાણવા મળ્યું છે.

અભિષેકના પિતા શાંતિલાલ વાઘેલાએ કહ્યું કે મારા પુત્ર અને ભત્રીજા દીપેશની હત્યા તાત્રિંક વિધી માટે કરવામાં આવી છે અને પહેલા દિવસથી આસારામે તેની રાજકીય વગનો ખોટો ઉપયોગ કરીને કેસની તપાસ નબળી રીતે કરાવી હતી અને જેના કારણે ચાંદખેડા પોલીસ અને સીઆઇડી ક્રાઇમની તપાસમાં આસારામ સહિતના આરોપીઓને છાવરવામાં આવ્યા હતા. ત્યારે જસ્ટીસ ડી કે ત્રિવેદી કમિશનની તપાસમાં પણ અમને આશંકા છે કારણ કે છ વર્ષ પહેલા તપાસનો રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે તેમ છંતાય, હજુ સુધી જાહેર નથી કરાયો તે વાત જ સરકારની દાનત છતી કરે છે.
શાંતિલાલ માને છે કે દિપેશ અભિષેક કેસમાં સરકારને આસારામને બચાવવા માટે તમામ પાસાનો રાજકીય ઉપયોગ કર્યો છે અને બની શકે તે ડી કે ત્રિવેદી કમિશનનો રીપોર્ટ આસારામની વિરૂધ્ધ હોવાથી સરકાર ડરી ગઇ છે.
બીજી તરફ કાયદા મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે સરકાર આ રિપોર્ટને આગામી સોમાસા સત્રમાં રજુ કરશે અને તેમાં જો આસારામ કે અન્ય સામેના ગુના સાબિત થવાના પુરાવા હશે તો સરકાર આસારામ બાપુ હોય કે અન્ય સાઘકો તમામ સામે આકરી કાર્યવાહી કરશે જ.
આ અંગે કોગ્રેસના નેતા શક્તિસિંહે ગોહિલે જણાવ્યું કે સરકારે આરોપીઓને બચાવવા માટે રાજકીય વગનો ઉપયોગ કરીને કમિશનને તપાસનું નાટક કર્યું છે અને હવે છ વર્ષ બાદ રિપોર્ટ જાહેર કરવામાં આવે તે પણ એક શરમજનક બાબત છે. આ રીતે સરકારે અનેક તપાસમાં કમિશન રચવાના નામે નાટક કર્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
