ઓખા-રામેશ્વરમ ટ્રેનને હવેથી ભાટિયા સ્ટેશને મળશે સ્ટોપેજ
છેલ્લા કેટલાય સમયની મુસાફરોની માંગણીને ધ્યાને રાખતા ઓખા રામેશ્વર ટ્રેનને ભાટિયા સ્ટેશને સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
છેલ્લા કેટલાય સમયની મુસાફરોની માંગણીને ધ્યાને રાખતા ઓખા રામેશ્વર ટ્રેનને ભાટિયા સ્ટેશને સ્ટોપેજ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આવતીકાલ એટલે કે તારીખ 17 એપ્રિલના રોજ સાંસદ પૂનમબેન માડમ ભાટિયા સ્ટેશન પર ઓખા-રામેશ્વરમ એક્સપ્રેસના સ્ટોપેજના શુભારંભ અને ખંભાળિયા સ્ટેશન પર વિવિધ પ્રવાસી સુવિધાઓનું ભૂમિપૂજન અને લોકાર્પણ કરશે.

રાજકોટ રેલવેના ડીઆરએમના ટ્વીટર પેજ પર આ માહિતી પોસ્ટ કરવામાં આવી છે. રેલ મંત્રાલય દ્વારા પ્રવાસીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતા ટ્રેન નં.16734-16733 ઓખા-રામેશ્વરમ્ -ઓખા એકસપ્રેસને તા.17 એપ્રિલ-2018થી રાજકોટ મંડળના ભાટિયા સ્ટેશન પર સ્ટોપેજ આપવામાં આવી રહ્યું છે જેનો વિધિવત શુભારંભ ભાટિયા સ્ટેશન પર 17-4-18 (મંગળવારે) સવારે 8-30 કલાકે આયોજિત 17 એપ્રિલથી 16734 ઓખા-રામેશ્વરમ એકસપ્રેસ ભાટિયા સ્ટેશન પર સવારે 8-40 કલાકે પહોંચીને 8-52 કલાકે રામેશ્વર માટે પ્રસ્થાન કરશે. પરતમાં 16733 રામેશ્વરમ્-ઓખા એકસપ્રેસ 23 એપ્રિલથી ભાટિયા સ્ટેશન પર થોભશે.તા.17 એપ્રિલ-2018 (મંગળવારે) સવારે 10-30 કલાકે ખંભાળિયા સ્ટેશન પર આયોજિત સમારંભમાં પ્રસ્તાવિત નવા ફુટ ઓવરબ્રિજ અને પ્લેટ ફોર્મ નં.1 પર પ્રવાસી લીફટનું ભૂમિપૂજન સાંસદ શ્રીમતી પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે. આ ઉપરાંત પ્લેટફોર્મ નં.1 પર નવસ્થાપિત કોચ ઇન્ડિકેટર પ્રણાલી તથા આરઓ વોટર પ્લાન્ટ તથા પ્લેટ ફોર્મ નં.2 પર કવર શેડ તથા બેન્ચોનું લોકાર્પણ પણ સાંસદ પુનમબેન માડમ દ્વારા કરવામાં આવશે. આ સમારંભમાં વિશિષ્ટ અતિથિગણ, પ્રતિષ્ઠિત નાગરિકો, રાજકોટ મંડળના અપર મંડલ રેલ પ્રબંધક (એડીઆરએમ) એસ.એસ. યાદવ સહિત અન્ય વરિષ્ઠ અધિકારીગણ પણ હાજર રહેશે.
મુસાફરોની છેલ્લા ઘણા સમયથી માંગણી હતીકે મોટી સંખ્યામાં અહીંથી લાંબી મુસાફરી કરતા હોવાથી ભાટિયા સ્ટેશને ઓખા રામેશ્વરમ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવે, કારણ કે કામ અર્થે આ તરફ વસેલા દક્ષિણના તેજમ વ્યવસાય માટે અવાર નવાર ટ્રેન સેવાનો ભરપૂર ઉપયોગ થતો હોય છે ત્યારે આ લાંબા અંતરની ટ્રેન માટે ઘણા સમયથી માંગણી હતી. હવે આ માંગણી પૂર્ણ કરવામાં આવી છે અને સ્ટોપેજ માટે જરૂરી ફૂટઓવર બ્રિજ, પ્રવાસો માટેની લિફ્ટ, કોચ ઇન્ડિકેટર સિસ્ટમ, મુસાફરો માટે બસેવાના બાંકડા વગેરે તમામ સુવિધાનું લોકાર્પણ આવતી કાલે કરવામાં આવશે. આ જાહેરાત સાંભળીને પ્રવાસીઓએ આ નવી સુવિધા માટે આનંદવ્યક્ત કર્યો હતો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
