સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારને ઝાટકી, પૂછ્યુ - શું ખાનગી હોસ્પિટલોમાં હજુ વધુ નિર્દોષ લોકો હોમાવા જોઈએ?
રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાના બનાવોમાં અત્યાર સુધી ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી.
અમદાવાદઃ રાજ્યની ખાનગી હોસ્પિટલોમાં વારંવાર આગ લાગવાના બનાવોમાં અત્યાર સુધી ઘણા નિર્દોષ લોકો જીવ ગુમાવી ચૂક્યા છે. આ સંદર્ભે સોમવારે સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારની ઝાટકણી કાઢી હતી અને પૂછ્યુ હતુ કે શું ખરાબ સુવિધાઓવાળી ખાનગી હોસ્પિટલો અને નર્સિંગ હોમમાં આગ લાગવાના કારણે હજુ વધુ નિર્દોષ લોકોના જીવ જવા જોઈએ? ડિસેમ્બર 2020માં તત્કાલ અનુપાલનના નિર્દેશ છતાં બિલ્ડીંગ અને ફાયર સેફ્ટીના માપદંડોને ઉલ્લંઘન કરતા લોકોની એક લાંબી યાદી આપી હોવા છતાં ગુજરાત શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગ દ્વારા 8 જુલાઈએ ઈશ્યુ કરેલ એક નોટિફિકેશનમાં ઉલ્લંઘનકર્તા બિલ્ડીંગ માલિકોને માર્ચ અથવા જૂન, 2022 સુધી બિલ્ડીંગ યુઝ પરવાનગીની મંજૂરી આપવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં જુલાઈ નોટિફિકેશન આવ્યુ
જે કોવિડ-19 હોસ્પિટલોએ ફાયર ડિપાર્ટમેન્ટમાંથી એનઓસી નથી મેળવ્યા તેમણે એનઓસી માટે ત્વરિત આવેદન કરવુ જોઈએ અને જરૂરી નિરીક્ષણ કર્યા બાદ નિર્ણય લેવામાં આવશે તેવા સુપ્રીમ કોર્ટના નિર્દેશ છતાં જુલાઈ નોટિફિકેશન આવ્યુ છે. તમને જણાવી દઈએ કે અદાલતે ડિસેમ્બરમાં આદેશ આપ્યો હતો કે, 'જો કોઈ કોવિડ-19 હોસ્પિટલ પાસે એનઓસી નથી અથવા રિન્યુઅલ કર્યુ નથી તો તે હોસ્પિટલો સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.' આ નિર્દેશ રાજકોટની એક હોસ્પિટલમાં આગ લાગવાથી પાંચ દર્દીઓના દર્દનાક મોત બાદ આપવામાં આવ્યો હતો. અદાલતે કહ્યુ હતુ કે રાજકોટની ઘટના આવી ઘણી આગની ઘટનાઓમાંની એક હતી. રાજકોટની એક હોસ્પિટલમાં જ 16 નોટિસ મોકલવામાં આવી હતી તેમછતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહોતા. અદાલતે ત્યારે નોંધ્યુ હતુ કે રાજ્યની 260 ખાનગી હોસ્પિટલોમાંથી 61 પાસે એનઓસી નથી.

માનવીય વેદનાના ભોગે હોસ્પિટલો એક મોટો ઉદ્યોગ બની ગઈ છે
સોમવારે સર્વોચ્ચ અદાલતે પૂછ્યુ કે સુપ્રીમ કોર્ટનના આદેશને એક કાર્યકારી આદેશ 'તેમના માટે(ખાનગી નર્સિંગ હોમ) માં વધુ લોકોને સળગાવવા માટે વધુ બેડ રાખવા' ના માધ્યમથી દરકિનારે કરવાનો ઈરાદો શું છે. ન્યાયમૂર્તિ ચંદ્રચૂડે અવલોકન કર્યુ હતુ કે આ માનવીય દૂર્ઘટના છે. માનવીય વેદનાના ભોગે હોસ્પિટલો એક મોટો ઉદ્યોગ બની ગઈ છે. રાજ્યમાં ફક્ત ચાર બેડવાળા નાના નર્સિંગ હોમ્સના બદલે કોવિડ સુવિધાઓવાળી અને સારી હોસ્પિટલો બનાવવી વધુ સારુ રહેશે. બેન્ચે નોંધ્યુ હતુ કે નાના નર્સિંગ હોમ્સ અને બિલ્ડીંગોમાં ચાલતી ખાનગી હોસ્પિટલોમાં પણ આવી સુવિધાઓ નથી.

હોસ્પિટલોને 2022 સુધીનો સમય કેવી રીતે આપી શકો?
જસ્ટીસ ચંદ્રચૂડે પૂછ્યુ હતુ કે, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો ભંગ કરીને કેવી રીતે નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યુ. એક વાર અમે નિર્દેશ આપી દીધા કે હોસ્પિટલમાં કાયદાનુ પાલન થવુ જોઈએ તો તમે એક કાર્યકારી આદેશ દ્વારા હોસ્પિટલોને 2022 સુધીનો સમય કેવી રીતે આપી શકો? તમને જણાવી દઈએ કે 8 જુલાઈના નોટિફિકેશનમાં ફાયર સેફ્ટી અને બિલ્ડીંગ કાયદાનુ પાલન કરવા માટે સમય લંબાવવાના કારણોમાં મહામારીના કામનો બોજો અને લોકોની આજીવિકાને પરેશાન કરવાની અનિચ્છાને દર્શાવવામાં આવ્યા છે.












Click it and Unblock the Notifications
