સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ’
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

સ્વામીએ વડોદરામાં કહ્યું, ‘રાજીવ ગાંધીના હત્યારાને છોડવા ના જોઇએ'
વડદોરાઃ રાજીવ ગાંધીના હત્યારાઓનો છોડી દેવાના તમિળનાડુ સરકારના નિર્ણય સામે કેન્દ્ર સરકાર ઉપરાંત ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામી દ્વારા પણ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો છે. સુબ્રમણ્યમ સ્વામીએ વડોદરા ખાતે કહ્યું છે કે, રાજીવ ગાંધીના હત્યારાઓને છોડવા જોઇએ નહીં, તમિળનાડુ સરકારને એ અંગેના કોઇ અધિકાર નથી.

તલાટી કૌભાંડમાં DySOની ધરપકડ
રેવન્યુ તલાટી પરીક્ષા પાસ કરાવવાના કૌભાંડમાં અનેક નામો બહાર આવી રહ્યાં છે. જેમાં શિક્ષણ વિભાગના નાયબ સેક્શન અધિકારી રિતેશ નાયકની ધરપકડ ગાંધીનગર એલસીબી દ્વારા કરવામા આવી છે. આ કૌભાંડમાં સૌપ્રથમ પકડાયેલા કલ્યાણસિંહ ચંપાવાત પાસેથી 1.43 કરોડ રૂપિયા મળ્યા હતા.

રાજકોટઃ સીટી બસે ચાર વાહનોને અડફેટે લીધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ગેટ પાસે બુધવારે રાત્રે સીટી બસે અકસ્માતની વણઝાર કરતા બે કાર અને એક રિક્ષા સહિત ચાર વાહનોને અડફેટે લીધા હતા. જેમાં રિક્ષામાં આગ લાગી ગઇ હતી. આ અકસ્માતમાં બે લોકોને ઇજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ બસ ચાલકની અટકાયત કરવામાં આવી છે. બસની બ્રેક ફેઇલ થઇ જતાં અકસ્માત સર્જાયો હોવાનું ચાલકે જણાવ્યું છે.

સુરતઃ ડાયમંડ મેનેજરની પત્નીનો આપઘાત
સુરત સ્થિત હરેકૃષ્ણ ડાયમંડના મેનેજરની પત્ની ફાંસો ખાઇને આપઘાત કરતા પોલીસે આત્મહત્યા દૂષ્પ્રેરણાનો ગુનો નોધી સાસુ અને પતિની અટકાયત કરી છે. નોંધનીય છે કે લગ્નના અઢિ મહિનામાં જ 25 વર્ષીય યુવતીએ આપઘાતનું પગલું ભરતા સમાજ સ્તબ્ધ થઇ ગયો છે. આ અંગે યુવતીના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો કે સાસુ અને પતિ તેના પર ત્રાસ ગુજારતા હતા.

આણંદઃ બસ અડફેટે વિદ્યાર્થીનું મોત
ખંભાત શહેરમાં બસ અડફેટે આવી જતા એક વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, વિદ્યાર્થીને સમયસર સારવાર નહીં મળતા વિદ્યાર્થીનું મૃત્યું થતાં પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. જેમાં પોલીસે મધ્યસ્થી કરી મામલા થાળે પાડ્યો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
