સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસઃ વિશેષ કોર્ટે બધા 22 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.
બહુચર્ચિત સોહરાબુદ્દીન શેખ અને તુલસીરામ પ્રજાપતિ કથિત નકલી એન્કાઉન્ટર મામલે સીબીઆઈની વિશેષ અદાલતે પોતાનો ચુકાદો સંભળાવ્યો છે. નિર્ણય સંભળાવતા સીબીઆઈ જજે કહ્યુ કે ષડયંત્ર અને હત્યા સાબિત કરવા માટે હાજર સાક્ષી અને પુરાવા સંતોષજનક નથી. અદાલતે એ પણ જોયુ કે પરિસ્થિતિ સંબંધી પુરાવા પણ પૂરતા નથી. જજે કહ્યુ કે તુલસીરામ પ્રજાપતિની હત્યાના ષડયંત્રનો આરોપ સાચો નથી. પુરાવાના અભાવે વિશેષ સીબીઆઈ અદાલતે બધા 22 આરોપીઓને નિર્દોષ છોડી મૂક્યા છે.

કોર્ટે કહ્યુ કે સરકારી મશીનરી અને પ્રોસિક્યુટરે ઘણા પ્રયાસ કર્યા, 210 સાક્ષીઓ લાવવામાં આવ્યા પરંતુ સંતોષકારક પુરાવા મળ્યા નહિ અને સાક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. જો સાક્ષીઓ ન બોલે તો પ્રોસિક્યુટરની કોઈ ભૂલ નથી. વર્ષ 2005ના આ એન્કાઉન્ટર કેસમાં 22 આરોપી કેસનો સામનો કરી રહ્યા છે, જેમાં મોટાભાગના પોલિસકર્મીઓ હતા. આ કેસની સુનાવણી દરમિયાન પ્રોસિક્યુટરના 92 સ્ક્ષીઓ પોતાના નિવેદનોમાંથી પલટી ગયા. વિશેષ ન્યાયાધીશ એસજે શર્માએ અંતિમ દલીલો સાંભળ્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખી લીધો હતો.
Sohrabuddin Sheikh case: All 22 accused acquitted by Special CBI Court in Mumbai due to lack of evidence pic.twitter.com/CSdFvx7f4w
— ANI (@ANI) 21 December 2018
આ કેસમાં ગુજરાત અને રાજસ્થાનના ઘણમા પોલિસ અધિકારીઓ શામેલ છે. આ કેસમાં પ્રોસિક્યુટરનો આરોપ હતો કે સોહરાબુદ્દીનનો સંબંધ આતંકવાદી સંગઠન સાથે હતો અને તે ગુજરાતના કોઈ મોટા નેતાની હત્યાનું ષડયંત્ર રચવાનું કામ કરી રહ્યો હતો. સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં કુલ 37 લોકોને આરોપી બનાવવામાં આવ્યા હતા. જ્યારે 2014માં 16 લોકોને છોડી મૂકવામાં આવ્યા હતા. જેમને નિર્દોષ છોડી મૂકાયા તેમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ (તત્કાલિન ગૃહમંત્રી, ગુજરાત), પોલિસ અધિકારી ડી જી વણઝારા પણ શામેલ છે. વર્ષ 2012માં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આ કેસને મુંબઈ શિફ્ટ કરી દેવામાં આવ્યો હતો.
Special CBI Court: Govt machinery and prosecution put in a lot of effort, 210 witnesses were brought but satisfactory evidence didn't come and witnesses turned hostile. No fault of prosecutor if witnesses don't speak https://t.co/BjjlLhZ0PY
— ANI (@ANI) 21 December 2018
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
