કોડનાનીની ફાંસી મુદ્દે SC પાસેથી માર્ગદર્શન મેળવશે SIT

એસઆઇટીના એક શીર્ષ અધિકારીએ કહ્યું હતું કે ટૂંક સમયમાં અમે સુપ્રીમ કોર્ટની વિશેષ પીઠ સમક્ષ અરજી દાખલ કરવા જઇ રહ્યાં છીએ જેમાં નરોડા પાટીયા કેસમાં અપીલ દાખલ કરવા સંબંધમાં ગુજરાત સરકારની પરવાનગી પરત લેવા અંગે જાણકારી આપવામાં આવશે. તે એક પ્રશ્નનો જવાબ આપી રહ્યાં હતા કે શું એસઆઇટીએ આ અંગે હાઇકોર્ટમાં યાચિકા દાખલ કરી છે કે નહી.
તેમને કહ્યું હતું કે અમે કોઇ યાચિકા દાખલ કરી રહ્યાં નથી કારણ કે અમે તો પક્ષકાર છીએ અને ના કે કેસમાં પ્રતિવાદી છીએ. પરંતુ આ કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિમવામાં આવેલા અધિકારી છે માટે અમે એક આવેદન દાખલ કરીશું જેમાં આ મુદ્દે ન્યાયિક માર્ગદર્શન માંગીશું. એસઆઇટી અધિકારીએ કહ્યું હતું કે અમે ન્યાયમૂર્તિ પી સદાશિવમ, ન્યાયમૂર્તિ એમ. વાઇ. ઇકબાલ અને ન્યાયમૂર્તિ રંજના દેસાઇની વિશેષ પીઠ સમક્ષ આવેદન આપીશું.
દક્ષિણપંથી સમૂહોના નિશાન પર આવ્યા બાદ ગુજરાત સરકારે સોમવારે કહ્યું હતું કે તેમને પૂર્વ મંત્રી કોડનાની, બાબૂ બજરંગી અને અન્ય આઠ લોકોની મોતની સજાની માંગણી કરવાનો નિર્ણય રોકી લીધો છે. આ પહેલાં રાજ્ય સરકારે સુપ્રીમ કોર્ટ દ્રારા નિમવામાં આવેલ એસઆઇટીને કોડનાની, બજરંગી અને અન્ય લોકોને મોતની સજા આપ્વાની માંગણીને લઇને હાઇકોર્ટમાં એક અપીલ દાખલ કરવા માટે પોતાની સહમતિ દર્શાવી હતી. કોડનાની, બજરંગી અને અન્યને નિચલી કોર્ટે આજીવન કારાવાસની સજા સંભળાવી હતી. રાજ્યના નાણામંત્રી અને પ્રવક્તા નિતિન પટેલે કહ્યું હતું કે તેમને ચૂકાદો રોકી રાખ્યો છે કારણ કે તેમને રાજ્યના એડવોકેટ જનરલની સલાહ લેવી છે.
નિતિન પટેલે કહ્યું હતું કે એડવોકેટ જનરલની સલાહ લીધા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે. મોદી સરકારમાં મંત્રી રહી ચૂકેલા માયાબેન કોડનાનીને વિશેષ કોર્ટે ઓગષ્ટ 2012માં નરોડા પાટીયા કેસમાં 28 વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. આ રમખાણોમાં 96 લોકોના મોત નિપજ્યાં હતા. બજરંગ દળના કાર્યકર્તા બાબૂ બજરંગીને આજીવન કારાવાસની સજા સંભળાવી હતી જ્યારે અન્ય આઠ લોકોને 31-31 વર્ષ જેલની સજા સંભળાવવામાં આવી છે. આ દોષીઓ માટે મોતની સજા માંગવા મોદી સરકારના નિર્ણયની દક્ષિણપંથી સમૂહોએ કડક ટીકા કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
