એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર બોલ્યા શંકરસિંહ વાઘેલા- મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ
મનમોહન સિંહ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમઃ શંકરસિંહ વાઘેલા
અમદાવાદઃ ગુજરાતની રાજનીતિનું મોટું માથું ગણાતા શંકર સિંહ વાઘેલાએ પૂર્વ પીએમ મનમોહન સિંહનાં વખાણ કર્યાં. મનમોહન સિંહ પર બનેલ ફિલ્મ ધી એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર પર થઈ રહેલ વિવાદ પર હંમેશા મનમોહન સિંહનું કામ બોલ્યું છે. તેઓ દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ હતા. આ દરમિયાન નરેન્દ્ર મોદીએ પણ તેમના પર ભારે નિશાન સાધ્યું હતું. વાઘેલાએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા પંજો છોડી દીધો હતો. અગાઉ તેઓ ભાજપમાં પણ હતા.

મનમોહન સિંહે પ્રચાર નહિ દેશ માટે કામ કર્યું
શંકરસિંહ વાઘેલાએ રવિવારે કહ્યું કે મનમોહન સિંહે પ્રચાર મેળવવાની લાલસા નહિ બલકે દેશની સેવા માટે કામ કર્યાં છે. આ ખૂબી એમને દુનિયાના સર્વશ્રેષ્ઠ પીએમ બનાવે છે. વાઘેલાએ પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે કેટલાક લોકો આજે સ્ટેચ્યૂ ઑફ યુનિટીના નામ પર જનતાના પૈસા બરબાદ કરી પોતાનો પ્રચાર કરી રહ્યા છે પરંતુ મનમોહન સિંહ દિવસ રાત કોઈપણ પ્રચાર વિના કામ કરતા રહ્યા.

દેશને મુશ્કેલીના સમયે આર્થિક મંદીમાંથી બચાવ્યો
મનમોહન સિંહ ઓછા બોલતા હોવાને પગલે કેટલાક નેતાઓએ તેમના પર નિશાન બનાવ્યા પર શંકરસિંહ વાઘેલાએ કહ્યું કે મનમોહન સિંહે 10 વર્ષ સુધી આર્થિક મંદીથી દેશને બચાવ્યો, એ પણ એવા સમયે જ્યારે દુનિયામાં મંદીનો દશકો ચાલી રહ્યો હતો. આ એમની ખૂબી હતી. તેઓ ભાષણ નહોતા આપતા રહ્યા, બલકે કામ કર્યું અને આજે પણ કામ બોલી રહ્યું છે.

દેશ આજે 15 વર્ષ પાછળ જતો રહ્યો છે
શંકર સિંહ વાઘેલાએ પીએમ મોદીનું નામ લીધા વિના ઈશારામાં તેમની ભારે આલોચના કરી. વાઘેલાએ કહ્યું કે 2014માં લોકો વિકાસની વાતો કરી સત્તામાં આવ્યા, તેમણે કામ કરવાને બદલે લોકોનો મજાક બનાવીને રાખી દીધો. નોટબંધી અને જીએસટી જેવા કામ કર્યાં, જેનાથી દેશ 15 વર્ષ પાછળ જતો રહ્યો. કેન્દ્ર સરકારે 2018-19માં ઓબીસી સમુદાયના કલ્યાણ માટે માત્ર 1800 કરોડ રૂપિયાની વહેંચણી કરી અને 5000 કરોડ રૂપિયાથી વધુ જાહેરાતો પાછળ ખર્ચી નાખ્યા. ઓબીસીના કલ્યાણથી વધુ સરકાર મૂર્તિ બનાવવા પાછળ ખર્ચો કરી રહી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
