જાણો કેમ જગન્નાથની રથયાત્રામાં અપાય છે મગનો પ્રસાદ
રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ચઢે છે આ પ્રસાદ, જાણો વધુ અહીં.
જગન્નાથની રથાયાત્રામાં પ્રસાદનું ખાસ મહત્વ હોય છે. વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ભગવાન જગન્નાથની નગરયાત્રા એટલે કે રથયાત્રા દરમિયાન જાંબુ અને મગનો પ્રસાદ આપવામાં આવે છે. આ પ્રસાદનું એક આગવું મહત્વ છે. રથયાત્રા દરમિયાન ભગવાન જગન્નાથને ખાસ પ્રસાદ ચઢાવવામાં આવે છે. સાથે જ ભાઇ બલરામ અને બહેનને પણ ભોગ ચઢાવવામાં આવે છે.
આ માટે ભગવાનના મોસાળમાં અઠવાડિયા પહેલાથી જ તૈયારીઓ કરવામાં આવે છે. આજે અમે તમને ભગવાન જગન્નાથની યાત્રા દરમિયાન ભગવાનને કેવા કેવા ભોગ ચઢાવવામાં આવે છે તથા કેમ રથયાત્રા દરમિયાન ભક્તોને લીલા મગ અને જાંબુનો પ્રસાદ ચઢાવવામાં આવે છે તે વિષે કેટલીક રસપ્રદ માહિતી આપવાના છીએ. આ પાછળનું ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણ અહીં...

બ્રહ્મ મૂર્હતમાં ગવારનું શાક
ભગવાન જગ્ન્નાથની રથયાત્રા સાથે પરંપરાગત બાબતો પણ સંકળાયેલી છે તે પ્રમાણે વર્ષોથી રથયાત્રાના દિવસે ભગવાનને સવારના બ્રાહ્મ મુર્હુતમાં ગવાર કોળીનું શાક અને સૂકા મેવા યુક્ત ખીચડી ધરાવવામાં આવે છે

ભક્તોની લાઇન
નોંધનીય છે કે ભગવાન બાદ ભક્તોને આપવામાં આવતા આ પ્રસાદનું અતિશય માહાત્મય હોવાથી ભક્તજનો સવારથી જ તે લેવા માટે લાઇનો લગાવતા હોય છે

બુંદી, ગાંઠિયા, માલપૂઆ
જો કે ભગવાનના મોસાળ ખાતે ભગવાનને જગન્નાથને ખાસ આતિથ્ય પ્રેમ મળે છે. અને અહીં ત્રણેય ભાઇ બહેનને અહીંનો ફેમસ માલપૂઆ, ગાંઠિયા તથા બુંદીનો પ્રસાદ ભોગ તરીકે અપાય છે. અને લોકોમાં પણ તેને વહેંચાય છે. આ બુંદીનો ટેસ્ટ ખરેખરમાં અદ્ધભૂત હોય છે.

પ્રસાદ માટે તૈયારીઓ
રથયાત્રા વખતે શહેરભરમાં જ્યા રથયાત્રા ફરે છે ત્યાં ફણગાવેલા મગની પ્રસાદી આપવામાં આવે છે સાથે સાથે ચોમાસાની ઋતુમાં મળતા જાબુ તથા કાકડી પણ પ્રભુને ધરાવવામાં આવે છે તેના માટે મંદિરમાં પ્રસાદના ઢગ ખડકાયા છે તેમજ દર્શનાર્થીઓ પણ મંદિરમાં મગનું દાન કરી રહ્યા છે

મગના પ્રસાદનું મહત્વ
મગ ચલાવે પગ આ કહેવતને અનુસરીને વર્ષોથી જગ્ગનાથજીની રથયાત્રામાં મગનો પ્રસાદ આપવામાં આવે છે. આખો દિવસ રથયાત્રામાં ચાલતા શ્રદ્ધાળુઓ મગનો પ્રસાદ ખાઇને શરીરની ઉર્જા જાળવી રાખે છે.

આરોગ્ય અને મગ
વળી મગની કોઈ આડઅસર નથી. આથી આરોગ્યની રીતે ફણગાવેલા મગનો પ્રસાદ અતિ મહત્વનો બની રહે છે. શહેરના ખૂણેખૂણાના ભક્તજનો સુધી પ્રસાદ પહોંચી શકે તે માટે આ પ્રમાણે પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે.

રથયાત્રામાં પ્રસાદ
આ વખતે પ્રસાદ માટે કુલ 25000 કિલો મગ, 600 કિલો જાંબુ, 300 કિલો કેરી, 300 કિલો કાકડી-દાડમ અને 2 લાખના કેસરી ઉપરણાની વ્યવસ્થા કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
