રિલાયન્સ ગુજરાતી કંપની છે જેનો મને ગર્વઃ મુકેશ અંબાણી

આ ભારતીય કંપની અને ગ્લોબલ કંપની છે. ગુજરાત ભારતનું એવું રાજ્ય છે કે તે કો ઓપરેરિવ મૂવમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટી જેવી કે પોર્ટના ખાનગીકરણમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતનીઓની આવી પરિપક્વતા ભારતના અન્ય રાજ્યો માટે મોડેલ છે. રિલાયન્સની અન્ય કંપનીઓએ નરોડામાં કામ કર્યું છે. રિલાયન્સને ગુજરાતી રોકાણકારોનો વિશ્વાસ પ્રાપ્ત છે. અમે ગુજરાતથી શરૂઆત કરી હતી, અહીંથી શીખ્યા હતા. અમે અહીં અવારનાવાર કામ કરવા માંગીએ છીએ અને વર્લ્ડક્લાસ બિઝનેસ સ્થાપવા માંગીએ છીએ.
અમે 1000 કરોડનું રોકાણ આવનારા ત્રણ વર્ષમાં ગુજરાતમાં કરીશું એનું વચન આપીએ છીએ. અમે હજીરામાં રોકાણ કરીશું અને મોબાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થાપીશું. જે લાખો રોજગારી ગુજરાતને આપશે. તેમાં ઇનોવેશન, સ્કીલ બિલ્ડીંગ અને એજ્યુકેશનમાં નવી તકો ઉભી કરશે. મને આનંદ છે કે અમે શિક્ષણના ક્ષેત્રમાં કામ કરીશું. અમે નરેન્દ્રભાઇ મોદીના સપના કે ગુજરાતમાં વર્લ્ડ ક્લાસ શિક્ષણ સંસ્થા બને તે સાકાર કરીશું. PDPUમાં 100 કરોડનું રોકાણ કર્યું છે. PDPUમાં આવનારા 5 વર્ષમાં ગુજરાત સાથે ભાગીદારી કરી 500 કરોડ રૂપિયાનું રોકાણ કરાશે અને તેને વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનાવાશે. અહીં સાયન્ટિફિક રિસર્ચ કરાશે. ગુજરાતમાંથી નોબલ લોરિયેટ્સ તૈયાર કરાશે. વાઇબ્રન્ટ ગુજરાત આગળ વધવાનું સપનું દર્શાવે છે. ગુજરાત દેશને ઉદ્યોગસાહસિકતામાં આગળ વધવાનું પ્રોત્સાહન આપે છે.
નોંધનીય છે કે, ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ઉત્સવ અને મેળાનો માહોલ હતો. ગુજરાત સરકાર દ્વારા આયોજિત દ્વિવાર્ષિક ઇવેન્ટ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2013ના ઉદઘાટનનો પ્રસંગ હતો. આ પ્રસંગે આજે દેશ, વિદેશના બિઝનેસ જૂથો , વિદેશી પ્રતિનિધિમંડળો, ઉદ્યોગ અગ્રણીઓ, સરકારી અધિકારીઓની હાજરીમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઇવેન્ટનું ઉદઘાટન કર્યું હતું. આ વાઇબ્રન્ટ ઇવેન્ટમાં હાજરી આપવા માટે રતન ટાટા, અદિ ગોદરેજ, આનંદ મહિન્દ્ર, ચંદા કોચર, મુકેશ અંબાણી, અનિલ અંબાણી, ગૌતમ અદાણી વગેરે જેવા ભારતીય ઉદ્યોગના મધાંતાઓ ઉપસ્થિત રહ્યા છે. આ ઉપરાંત વિદેશી મહાનુભાવોએ પણ વિશેષ ઉપસ્થિતિ નોંધાવી છે. તાકાશી યાગી, એમ્બેસેડર જાપાન, પેટ્રિક બ્રાઉન એમપી કેનેડા આવ્યા હતા. આ પ્રસંગે સૌપ્રથમ ગણેશ વંદના કરીને ગુજરાતની ઓળખ આપતું કવિ નર્મદ લિખિત ગીત 'જય જય ગરવી ગુજરાત' રજૂ કરવામાં આવ્યું હતું.
ઉદઘાટન પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અંગ્રેજી ભાષામાં સંબોધન કરતા જણાવ્યું હતું કે "આ પ્રસંગ સ્વામી વિવેકાનંદની 150મી જન્મજયંતિના અવસરે આવ્યો છે. એક સમયે ગુજરાત ભારતનું વિશ્વ સાથે વેપારનું વડુંમથક હતું. એક સમયે ગુજરાતના લોકોએ સમગ્ર વિશ્વને પોતાનું ઘર બનાવ્યું હતું. અમે હવે એવું ગુજરાત બનાવીશું કે સમગ્ર વિશ્વના લોકો ગુજરાતને પોતાનું ઘર બનાવશે. આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેનારા અને અમારા ભાગીદાર સૌનો હું આભાર માનું છું." તેમણે જણાવ્યું હતું કે યુવાઓને કેન્દ્રમાં રાખીને ગુજરાત નીતિ ઘડી રહ્યું છે જેથી આવનારા સામયમાં ગુજરાત વિશ્વ માટે દિશાદર્શક બની રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
