ગુજરાતમાં વર્ષ 2021ની પાણીની જરૂરીયાત પૂરી કરતો પ્રોજેક્ટ પૂર્ણ

સૌરાષ્ટ્ર વિસ્તારના ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગર જિલ્લાના શહેરો માટે આશીર્વાદરૂપ એવી નર્મદા આધારિત નાવડા - બોટાદ / વલ્લભીપુર (બુધેલ) પાઇપ લાઇનનુ કાર્ય પૂર્ણતાને આરે છે. આગામી સમયમાં કાર્યરત થનારી આ મહત્વકાક્ષી યોજનાથી અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ અને જામનગરના શહેરી વિસ્તારો તેમ જ ગ્રામ્ય વિસ્તારો માટે દૈનિક 59 કરોડ લીટર વધારાનું પાણીનું વિતરણ કરાશે.
અંદાજીત રૂપિયા 400 કરોડના ખર્ચે તૈયાર થનાર આ યોજનામાં નાવડા બોટાદ પાઇપલાઇન તેમજ નાવડા વલ્લભપુર પાઇપલાઇન યોજનાનો સમાવેશ થાય છે. આ યોજના હેઠળ જે આયોજન કરવામાં આવ્યુ છે. તે વર્ષ 2021માં આ વિસ્તારોને પાણીની કેટલી જરૂરીયાત રહેશે તે ધ્યાનમાં રાખીને પાણી અને પુરવઠા બોર્ડ ધનિષ્ઠ અને સુચારૂ આયોજન કર્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે હાલ નાવડા - બોટાદ પાઇપલાઇન દ્વારા વધુમાં વધુ 200 MLD પાણી અમદાવાદ ભાવનગર, અમરેલી અને રાજકોટ જિલ્લાને પુરૂં પાડવામાં આવે છે. પરતું આ જિલ્લાના 1132 ગામ અને 32 શહેરોની વસતીની સંખ્યા અનુસાર જેમાં જરૂરિયાત લાગી તેમાં સરકારે તાત્કાલિક રૂપિયા 400 કરોડના ખર્ચે પાઇપ લાઇન તથા પમ્પિંગ મશીનનીની ક્ષમતામાં વદારો કરવાનો પ્રોજેક્ટ મંજૂર કર્યો છે. સૌરાષ્ટ્રની જનતાની પીવાના પાણીની માંગને પહોંચીવળવા માટે સમયસર યોજના પૂર્ણ કરવામાં આવશે.
નાવડા - બોટાદ યોજના હેઠળ નાવડા ખાતે નવું પમ્પિંગ સ્ટેશન તથા નાવડાથી બુધેલ સુધી 2000 મિલી મીટર વ્યાસની 77 કિલોમીટરની પાઇપલાઇન તૈયાર કરવામાં આવી છે. આ દ્વારા 1740 ઘનમીટર પાણી દર કલાકની ક્ષમતા ધરાવતા કુલ 6 પમ્પિંગ મશીનરી મારફતે દૈનિક 250 MLD (25 કરોડ લીટર દૈનિક)નું વિતરણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
જ્યારે નાવડા - બુધેલ (વલ્લભીપુર) ખાતે 77 કિ.મી. જેટલી પાઇપલાઇનના કાર્યો પૂર્ણ કરવામાં આવ્યાં છે અને 2310 ઘનમીટર દર કલાકની ક્ષમતા ધરાવતી 6 પમ્પિંગ મશીનરી મારફત 33 કરોડ લીટર પાણીનું દૈનિક વિતરણ કરવામાં આવશે.
આમ નાવડા બોટાદ અને નાવડા બુધેલ પાઇપલાઇન યોજનાના કામને અગ્રતા આપીને સમયબધ્ધ રીતે પૂર્ણ કરવામાં આવ્યા છે. અને સૌરાષ્ટ્ર વિસ્તારના મોટાભાગના વિસ્તારોને પાણી મળતા ઉનાળાના દિવસોમાં રાહત થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
