કોંગ્રેસે આતંકવાદ વધાર્યો, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
કોંગ્રેસે આતંકવાદ વધાર્યો, પીએમ મોદીએ કોંગ્રેસ પર કર્યો પ્રહાર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધ્યું. ખેડામાં એક જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ગુજરાતે સદીઓથી આતંકવાદનો કહેર વરત્યો છે. તેમણે કહ્યું કે ગુજરાત હંમેશાથી આતંકવાદની વિરોધમાં રહ્યુંગુજરાત સરકારે આતંકવાદના સ્લીપર સેલ પર સફાયો બોલાવી દીધો છે. પરંતુ કેન્દ્રની કોંગ્રેસ સરકાર આ કાર્યમાં અમને સહયોગ નહોતો કર્યો. પીએમ મોદીએ આરોપ લગાવ્યો કે તે વખતે કોંગ્રેસ આતંકવાદીઓને છોડવાનું કાર્ય કરતી હતી.

ગુજરાતના ખેડામાં ચૂંટણી જનસભાને સંબોધિત કરતાં પીએમ મોદીએ કોંગ્રેસને લઈ કહ્યું, "અમે તેમને આતંકવાદને નિશાન બનાવવા માટે કહ્યું, પરંતુ કોંગ્રેસ સરકારે મોદીને જ નિશાન બનાવ્યો. પરિણામ એ આવ્યું કે આતંકવાદી નિડર થઈ ગયા અને મોટાં શહેરોમાં આતંકવાદને પ્રોત્સાહન મળી ગયું."
આતંકવાદના મુદ્દા પર પીએમ મોદી
સોનિયા ગાંધીનું નામ લીધા વિના ખેડામાં પીએમ મોદીએ કહ્યું કે બાટલા હાઉસ એન્કાઉન્ટર પર કોંગ્રેસ નેતા રડ્યા હતા. તેમણે કહ્યું કે આતંક ફેલાવનારાઓ માટે આંસૂ વહાવ્યાં હતાં. તેમણે કહ્યું કે કોંગ્રેસ આતંકવાદીઓને કેવી રીતે છોડાવવા માટે પોતાની તમામ તાકાત લગાવી દેતી હતી તે કોઈ કેવી રીતે ભૂલી શકે છે. પીએમ મોદીએ પોતે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને કેન્દ્રમાં કોંગ્રેસ સરકાર હતી તે સમય યાદ કર્યો અને કહ્યું કે આ એ સમય હતો જ્યારે આતંકવાદીઓ નિડર થઈ ગયા અને મોટા શહેરોમાં આતંકવાદે માથું ઉચક્યું હતું.
તુષ્ટીકરણના શૉર્ટકટ પર હુમલો
ખેડા જનસભામાં આતંકવાદના મુદ્દે કોંગ્રેસની પૂર્વ સરકાર પર મોટો આરોપ લગાવતાં પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ આતંવાદની વોટબેંક અને તુષ્ટીકરણના ચશ્મા જુએ છે. આજકાલ કોંગ્રેસ જ નહીં એવી કેટલીય પાર્ટીઓ છે જે સત્તામાં આવવા માટે તુષ્ટિકરણનો શૉર્ટકટ અપનાવી રહી છે.
રેલી બાદ પીએમ મોદીનો રોડ શો
જનસભામાં કોંગ્રેસની નીતિઓ પર તીખો હુમલો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતમાં રોડ શોના માધ્યમથી પણ ભાજપ ઉમેદવારોના પક્ષમાં મત મેળવવાના પ્રયાસ કર્યા.
રોડ શોમાં મહિલાઓ અને બાળકો
સુરતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રોડ શોને લઈ સ્થાનિક લોકો ઘણા ઉત્સાહિત જોવા મળ્યા. રસ્તા કાંઠે મહિલાઓ અને બાળકોને પીએમ મોદીની એક ઝલક મેળવવા માટે આતૂર જોવા મળ્યા.
ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક હોય નરેન્દ્ર મોદી, યોગી આદિત્યનાથ, અમિત શાહ સહિત ભાજપના કેન્દ્રીય નેતાઓ ફરી ગુજરાતમાં ભાજપની સરકાર ચૂંટાય તેવા ઉદ્દેશ્ય સાથે તાબડતોડ જનસભાઓ યોજી રહ્યા છે.
-
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત









Click it and Unblock the Notifications
