PM Modi Gujarat Visit: 15 નવેમ્બરે PM મોદી આવશે ગુજરાત, 8400 કરોડના વિકાસ લક્ષી પ્રકલ્પોની આપશે ભેટ
ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી નર્મદાના ડેડિયાપાડા ખાતે, PM મોદી દેવમોગરા માતાજીના દર્શનાર્થે પણ જશે, આદિજાતિ ગૌરવ યાત્રામાં 5.95 લાખ લોકો જોડાયા.

PM Modi Gujarat Visit: PM નરેન્દ્ર મોદી આગામી 15 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. તેઓ નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિની રાષ્ટ્રીય કક્ષાની ઉજવણીમાં અધ્યક્ષતા કરશે. આ અવસરે PM રાજ્યને ₹8,400 કરોડથી વધુના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને વિવિધ વિકાસ પ્રકલ્પોની ભેટ આપશે.
દેવમોગરા માતાજીના દર્શન અને કાર્યક્રમની સમીક્ષા
વિકાસ કાર્યોની ભેટની સાથે, PM મોદી આદિવાસીઓના આસ્થાના કેન્દ્ર સમાન દેવમોગરા માતાજીના દર્શન કરવા માટે પણ જશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વડાપ્રધાનના સમગ્ર કાર્યક્રમની તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
'વિરાસત ભી વિકાસ ભી'ના મંત્રને સાર્થક
પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ વડાપ્રધાનના કાર્યક્રમ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, વડાપ્રધાને હંમેશા સમાજના છેવાડાના, વંચિત અને આદિજાતિ સમુદાયોને મુખ્ય પ્રવાહમાં લાવવાના પ્રયાસો કર્યા છે.
તેમણે આદિજાતિના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાનને બિરદાવીને 'વિરાસત ભી વિકાસ ભી'ના મૂળ મંત્રને સાર્થક કર્યો છે.
આઝાદીના દાયકાઓ સુધી આદિજાતિઓની ઉપેક્ષા થતી રહી હતી, ત્યારે PM મોદીએ આ સમાજના વિકાસ અને ગૌરવ વધારવા માટે અનેક મહત્વના પગલાં લીધા છે.
વર્ષ 2021થી, 15 નવેમ્બર, ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને સમગ્ર દેશમાં 'જનજાતિય ગૌરવ દિવસ' તરીકે ઉજવવામાં આવે છે.
જનજાતિય ગૌરવ યાત્રાને જનતાનો ઉત્સાહપૂર્વક પ્રતિસાદ
ભગવાન બિરસા મુંડાની 150 વર્ષની ઉજવણીના ભાગરૂપે, CM ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના 14 આદિજાતિ વિસ્તારોમાં જનજાતિય ગૌરવ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ યાત્રા બે રૂટમાં (એક અંબાજીથી અને બીજી ઉમરગામથી) 7 થી 13 નવેમ્બર સુધી યોજાઈ રહી છે.
પ્રવક્તા મંત્રીએ જણાવ્યું કે આ બંને રૂટની યાત્રાઓને રાજ્યના નાગરિકો તરફથી ઉત્સાહપૂર્વક પ્રતિસાદ મળ્યો છે અને યાત્રા દરમિયાન અંદાજે 5.95 લાખથી વધુ લોકોએ ભાગ લીધો છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર









Click it and Unblock the Notifications
