PM Modi in Kevadia: કોંગ્રેસના કારણે કાશ્મીરનો એક ભાગ પાકિસ્તાનના કબ્જામાં ગયો, એકતા પરેડ બાદ PMનું સંબોધન
PM Modi in Kevadia: PM નરેન્દ્ર મોદીએ આજે (31 ઓક્ટોબર, 2025) સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ પરેડનું આયોજન કર્યા બાદ દેશને સંબોધિત કર્યો હતો. તેમણે આ અવસરે કોંગ્રેસની ભૂતકાળની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા.

PM મોદીએ આક્ષેપ કર્યો કે કોંગ્રેસને અંગ્રેજો પાસેથી 'ગુલામીની માનસિકતા' વારસામાં મળી છે, જેના કારણે દેશની એકતા અને અખંડિતતાને નુકસાન થયું.
કાશ્મીર મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર
PMએ સ્પષ્ટપણે જણાવ્યું કે, કાશ્મીરનો મુદ્દો દાયકાઓ સુધી સળગતો રહ્યો, તેના માટે કોંગ્રેસની નીતિઓ જવાબદાર હતી.
PM મોદીએ કહ્યું: "સરદાર પટેલ કાશ્મીરને ભારત સાથે જોડવા માગતા હતા, પરંતુ તે સમયના તત્કાલિન વડાપ્રધાન જવાહરલાલ નહેરૂએ તેમ થવા દીધું નહીં. કોંગ્રેસે કાશ્મીરમાં જે ભૂલ કરી, તેની આગ દાયકાઓ સુધી ભભૂકી રહી છે. કોંગ્રેસની નબળી નીતિઓના કારણે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનમાં જતો રહ્યો, અને પાકિસ્તાને ત્યાંથી આતંકવાદને હવા આપી. પરંતુ કોંગ્રેસ હંમેશા આતંકવાદની આગળ નતમસ્તક રહ્યું છે."
#WATCH | Ekta Nagar, Gujarat | On Rashtriya Ekta Diwas, Prime Minister Narendra Modi says, "Today, the unity and internal security of our nation face a serious threat from infiltrators. For decades, foreign infiltrators have been entering our country, consuming its resources, and… pic.twitter.com/XqIPuNipTC
— ANI (@ANI) October 31, 2025
ઘુસણખોરી અને વોટ બેન્ક રાજનીતિનો મુદ્દો
PM મોદીએ દેશની સુરક્ષા સામેના પડકારો પર પણ વાત કરી. તેમણે કહ્યું કે દેશની એકતા અને આંતરિક સુરક્ષા ઘુસણખોરોના કારણે જોખમમાં છે, જેના કારણે જનવસ્તીનું સંતુલન ખોરવાયું છે અને સંસાધનોનો વ્યય થઈ રહ્યો છે.
- આક્ષેપ: તેમણે કહ્યું કે દુર્ભાગ્યવશ, પાછલી સરકારોએ 'વોટ બેન્કની રાજનીતિ' માટે રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકીને આ ગંભીર સમસ્યાને અવગણી હતી.
- દ્રઢ સંકલ્પ: PMએ દાવો કર્યો કે પ્રથમ વખત દેશે આ પડકારનો સીધો સામનો કરીને અખંડિતતાની રક્ષા માટે દ્રઢ અને નિર્ણાયક વલણ અપનાવ્યું છે.
નક્સલવાદ અને આતંકવાદ મુક્ત ભારતનું લક્ષ્ય
PMએ દેશને નક્સલવાદ અને માઓવાદથી મુક્ત કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
"આ લોખંડી પુરુષ સરદારનો દેશ છે. 2014 પહેલાં દેશના આશરે 125 જિલ્લા માઓવાદી આતંકવાદની ઝપેટમાં હતા. આજે આ સંખ્યા ઘટીને માત્ર 11 થઈ છે. હું દેશને વિશ્વાસ આપુ છું કે, જ્યાં સુધી દેશ નક્સલવાદ, માઓવાદ અને આતંકવાદથી સંપૂર્ણપણે મુક્ત નહીં થાય, ત્યાં સુધી અમે અટકીશું નહીં."
#WATCH | Ekta Nagar, Gujarat | On Rashtriya Ekta Diwas, Prime Minister Narendra Modi says, "After Independence, Sardar Patel accomplished the seemingly impossible task of uniting over 550 princely states. For him, the vision of 'Ek Bharat, Shreshtha Bharat' was paramount..."… pic.twitter.com/5mg55q3qeS
— ANI (@ANI) October 31, 2025
આ સંબોધનની સાથે જ PM મોદીએ જાહેરાત કરી કે એકતા નગરમાં 1 થી 15 નવેમ્બર સુધી સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પરિસરમાં ભારત પર્વ 2025નું આયોજન કરવામાં આવશે, જેમાં દેશના સમૃદ્ધ વારસા અને વિવિધતામાં એકતાની ભાવનાને પ્રદર્શિત કરવામાં આવશે.
-
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ -
ગુજરાતના ખેડૂતો માટે ખુશખબર: સરકાર ટેકાના ભાવે જુવાર, બાજરી અને મકાઈની કરશે ખરીદી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
PM Modi Meeting: 'Lockdownની અફવાઓ પર લગામ', PMની મુખ્યમંત્રીઓ સાથે અઢી કલાક ચાલી બેઠક, આપ્યા 8 સંદેશ-List -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ








Click it and Unblock the Notifications
