પદ્માવત: અમદાવાદ તોફાનની ઉશ્કેરણી માટે જવાબદાર વીડિયો
પદ્માવત રિલીઝના બે દિવસ આગળ અમદાવાદમાં થઇ હતી તોડફોડઆ તોફનને ઉશ્કેરતો એક વીડિયો પોલીસને મળી આવ્યોઆ અંગે વધુ વાંચો અહીં...
સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉસની વિવાદસ્પદ ફિલ્મ 'પદ્માવત' હવે રીલીઝ થઇ ગઇ છે, ત્યારે તેેની રિલીઝ પહેલા ઘણા વિવાદ થયા હતા. અમદાવાદના સેટેલાઇટ અને વસ્ત્રાપુરમાં આવેલા ચાર મોલમાં વિવિધ રાજપુત ગ્રુુપના યુવાનો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી અને 100થી વઘારે વાહનોમાં આગ ચંપી કરવામાં આવી હતી. ત્યારે સેટેલાાઇટ પોલીસ મથકમાં એક અને વસ્ત્રાપુર પોલીસ મથકમાં ત્રણ ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારબાદ વધુ એક પાંચમી ફરિયાદ સાણંદ પોલીસ મથકે નોંધવામાં આવી છે. આ ફરિયાદ સાણંદમાં રહેતા યુવરાજસિંહ વાઘેલા નામના યુવક સામે નોંધવામાં આવી છે અને આરોપ મુુકવામાં આવ્યો છે કે તેણે ગત બુધવારે 24 તારીખે બનેલા તોફાનના થોડા કલાકો પહેલા સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કર્યો હતો, તેણે ઉશ્કેરવાના હેતુથી આ વીડિયો ક્લિપ વાયરલ કરી હોવાનું કહેવાઇ રહ્યું છે.

જેમાં તેણે ઉશ્કેરણી કરી હતી કે, જો 'પદ્માવત' ફિલ્મ ગુજરાતમાં રિલીઝ થશે તો રાજપુતોનું નાક કપાશે. આપણે આ ફિલ્મને રીલીઝ થવા દેવાની નથી. કારણ કે પદ્માવતી માતા પર તેણે ફિલ્મ બનાવી છે. આપણે અમદાવાદના મોલ અને થિયેટર જ તોડી નાખીએ, સળગાવી દઇએ એટલે ફિલ્મ રિલીઝ થશે જ નહીં. માટે તમામ રાજપુત યુવાનો કામે લાગી જાઓ અને સાથે મળીને બસ હવે સંજય લીલા ભણસાલીને બતાવી દો. પોલીસ, આર્મી અને કોઇનો ડર રાખશો નહીં, ભલે ગોળી ખાવી પડે. હું જાતે ખુલ્લી તલવાર લઇને થિયેટરમાં જઇને તો઼ડફોડ કરીશ. તેણે પોતાના વીડિયોમાં એમ પણ કહ્યું હતું કે, તેણે સંજય લીલા ભણસાલીને મારવા માટે એક પિસ્તોલ રાખી છે અને તે ગમે ત્યારે તક મળતા તેમની હત્યા પણ કરી દેશે. તેણે આ વીડિયો વોટ્સએપ અને ફેસબુક પર પોસ્ટ કર્યો હતો અને તેના વીડિયોએ તોફાનીઓને ઉશ્કેરવામાં ખુબ મહત્વનો ભાગ ભજવ્યો હતો અને ખુૂબ મોટાપાયે તોડફોડ થઇ હતી. આ અંગે સાણંદ પોલીસે ગુુનો નોંધીને તપાસ હાથ ધરી છે. જો કે તોડફોડના બનાવ બાદ યુવરાજસિંહ જાડેજા ફરાર છે અને પોલીસે તેમની શોધખોળ શરૂ કરી છે. બીજી તરફ વસ્ત્રાપુર પોલીસ મથકે નોંધાયેલા કેસના આરોપીઓને જ્યુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11








Click it and Unblock the Notifications
