મુક્તેશ્વર મઠમાં ફાયરિંગ મામલે જયશ્રીગીરી સામે વધુ એક ફરિયાદ
સાધ્વી જયશ્રીગિરી અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ નોંધાઇ ફરિયાદ.વડગામ પોલીસ મથકે વધુ એક ફરિયાદ નોંધાઇ. વધુ વાંચો અહીં...
બનાસકાંઠાના મુક્તેશ્વર મઠનાં સાધ્વી જયશ્રીગીરીના એક પછી એક કરતૂતો બહાર આવતાં ગાળિયો કસાઇ રહ્યો છે. જેમાં તાજેતરમાં મઠમાં યોજાયેલા ડાયરામાં ખાનગી ફાયરિંગ મામલે વીડિયોને દસ્તાવેજી પુરાવો માની વડગામ પોલીસે જાણવા જોગ ફરિયાદ નોંધી છે. આ કેસમાં સાધ્વી જયશ્રીગીરી પર IPC ની કલમ 336, 188, 14 અને આમર્સ એકટની કલમ 27 અને 30 મામલે ફરિયાદ નોંધવામાં આવી છે. નોંધનીય છે કે સાધ્વી પર બનાસકાંઠા જિલ્લામાં કુલ 7 અને રાજ્યમાં કુલ 9 ફરિયાદ નોંધાઇ છે.

તો વળી પાલનપુર પૂર્વ પોલીસ મથકમાં સાધ્વી સહિત પાંચ શખસો સામે ઊંચા વ્યાજે નાણાં વસૂલાતની ફરિયાદ મુંબઇના એક વ્યક્તિએ 4 દિવસ અગાઉ નોંધાવી હતી. તેમાં સાધ્વીના ડ્રાઇવર ચિરાગ રાવલની સોમવારે પોલીસે ધરપકડ કરી હતી. સોમવારે વડગામ પોલીસ મથકે વધુ એક ખાનગી ફાયરીંગનો જાણવા જોગ ફરિયાદ નોંધાઇ છે. જેની વિગતો એવી છે કે, મુક્તેશ્વર મઠમાં ડિસેમ્બર 2016માં કિર્તીદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં ખાનગી ફાયરીંગ થયું હતું. આ વીડીયોને દસ્તોવેજી પુરાવો માની વડગામ પોલીસે સોમવારે તપાસ હાથ ધરી છે.
તો બીજી તરફ પાલનપુરના મૂળ રહેવાસી અને વર્તમાન સમયે મુંબઇ સ્થાયી થયેલા શશીકાન્ત અંબાલાલ જોષી (ઉ.વ.51) એ ચાર દિવસ અગાઉ પશ્ચિમ પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. તેમાં સાધ્વી જયશ્રીગીરી તેના સાગરિતો ગાંધીનગરનો ધર્મેન્દ્રસિંહ ચાવડા, અમદાવાદનો દક્ષ પરમાર, ગાંધીનગરનો કાળુ ઉર્ફે બાબુ, પાલનપુરનો ચિરાગ અને બાદલ દેસાઇની મદદગીરીથી ઊંચા વ્યાજે નાણાંની વસુલાત તેમજ ર્સ્કોપીયો પડાવી લીધી હોવાના કેસમાં પોલીસે એકની ધરપકડ કરી છે. આ ગુનામાં પશ્ચિમ પોલીસે સોમવારે સહ આરોપી ચિરાગ રાવલની ધરપકડ કરી આજે એટલે કે મંગળવારે કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
