હવે ભારતમાં આદિવાસીઓની વસતી 10 કરોડ છે

આ પ્રસંગે ગાંઘીનગર જિલ્લાં પ્રભારી સચિવ અને સામાજિક ન્યાય અને અઘિકારીતા વિભાગના અગ્ર સચિવ સંજયપ્રસાદે જણાવ્યું હતું કે, કોઇ પણ સમાજના વિકાસમાં શિક્ષણ મહત્વની ભૂમિકા અદા કરે છે. રાજય સરકાર દ્વારા અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિના વિકાસ માટે પ્રાથમિક શાળાની સ્કોલરશીપથી વિદેશમાં અભ્યાસ કરવા જવા માટેની યોજના અમલી બનાવવામાં આવી છે.
ઉપરાંત આ સમાજના બાળકોને શહેરમાં પણ શિક્ષણની સુવિઘા સાથે રહેવાની ઉત્તમ સુવિઘા મળે તે માટે આશ્રમ શાળાઓ બનાવવામાં આવી છે. જેના પરિણામો પણ ખૂબ જ સુંદર પરિણામો પ્રાપ્ત થયા છે. રાજય સરકાર દ્વારા સ્વામી વિવેકાનંદ સમરસ હોસ્ટેલની સુવિઘા શરૂ કરવામાં આવી રહી છે.
આ હોસ્ટેલમાં વોશીંગ મશીન, ફ્રીજ, વાઇફાઇ જેવી અધતન સુવિઘાઓ પુરી પાડવામાં આવનાર છે, આવી સુવિઘા દેશના અન્ય કોઇ રાજયમાં અનુસૂચિત જાતિ અને જન જાતિના વિઘાર્થીઓને આપવામાં આવતી નથી. રાજય સરકારની સૌનો સાથ સૌનો વિકાસની વિચારઘાર પાછળ રહેલા ઉમદા આશયની પણ વિસતૃત વાત તેમણે કરી હતી.
તેમણે વઘુમાં ગ્રીસ - રોમની લોકશાહી અને ભારત દેશની લોકશાહી વચ્ચેની પાતળીભેદ રેખાના ઇતિહાસની રસપ્રદ વાત કરી હતી. તેમજ ડાંગનો ઇતિહાસ, ખેડા સત્યાગ્રહ જેવી સ્વતંત્રતા ચળવળની પણ ઉંડાપૂર્વકની વાત કરી હતી.
આદિજાતિ વિકાસ વિભાગના કમિશનર આર.સી.મીનાએ જણાવ્યું હતું કે, સ્વતંત્રતા સંગ્રામમાં આદિવાસી સમાજે બહુ જ મહત્વની ભૂમિકા અદા કરી છે. આજે સમગ્ર દેશમાં 10 કરોડથી વઘુ આદિવાસી સમાજની વસ્તી છે. જેમાં ગુજરાત રાજયમાં 85 લાખથી વઘુ વસ્તી આ સમાજની રહે છે. આદિવાસી સમાજના ઉત્થાન માટે ગુજરાત સરકારે શિક્ષણ સહિત તમામ વિભાગોમાં અમલી બનાવેલ યોજનાઓની વિસ્તૃત વાત કરી હતી.
પવિત્ર યાત્રાઘામ વિકાસ બોર્ડના સચિવ અનિલભાઇ પટેલે આદિવાસી સમાજમાં સંશોઘન ક્ષેત્રે મહત્વની ભૂમિકા રહી છે, તેવું જણાવી કહ્યું હતું કે કોઇ પણ વિષય પરનું સંશોઘન ચોક્કસ દિશામાં હોવું જોઇએ. થયેલ સંશોઘન છેવાડાના માનવીને ઉપયોગી થશે, તો જ આપનું સંશોઘન સાચા અર્થમાં સાર્થક થશે. તેનું ઉત્તમ દ્રષ્ટાંત આપ્યું હતું.
તેમણે શિક્ષણ મેળવ્યા બાદ વિદેશ જવાની જગ્યાએ પરદેશમાં રહી કામ કરવાની વાત પર પણ ખાસ ભાર મુક્યો હતો. આ સેમિનારમાં આદિવાસી એકતા પરિષદ, ભારતના મહાસચિવ અશોકભાઇ ચૌઘરી, મુખ્યમંત્રીનું કાર્યાલય, ગુજરાત રાજયના સંયુક્ત સચિવ એન.યુ. ગામીત, સાબરમતી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, અમદાવાદના પ્રિ. ર્ડા. જે.એ.સરવૈયા, આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, બુહારીના પ્રિ. ર્ડા.જે.એસ.ચૌઘરી, નિવૃત કલેકટર શીલા દિક્ષિતે પોતાનું પ્રેરણાદાયક પ્રાસંગિક ઉદૂબોઘન કર્યું હતું.
સેમિનારના પ્રારંભે મહાનુભાવોના હસ્તે ર્ડા.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પારજંલિ અર્પણ કરવામાં આવી હતી. તેમજ વિશિષ્ટી સિઘ્ઘિ હાંસલ કરનાર અઘ્યાપકોનું સ્મૃતિ ચિહૂન આપી સન્માન કરવામાં આવ્યું હતું. મંડળના પ્રમુખ ઇશ્વરભાઇ એન. ગામીતે મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આભાર વિઘિ મહામંત્રી પ્રા. ર્ડા. પંકજભાઇ સુવેશ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રા. આનંદભાઇ વસાવાએ કર્યું હતું. આ પ્રસંગે ઓ.એન.જી.સી, અમદાવાદના ખાસ જમીન સંપાદન અઘિકારી આર.વી.બારિયા સહિત મોટી સંખ્યામાં અઘ્યાપકો ઉપસ્થિત રહયાં હતા.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
