POS મશીન સિવાય વિતરણ થતાં રાસાયણિક ખાતર પર સબસીડી નહી
રાજ્યમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત POS ( Point of sale) મશની દ્વારા જ કરવાનું સમગ્ર રાજયમાં કેન્દ્ર સરકારની સૂચનાથી નક્કી કરવામાં આવ્યું છે.
રાજ્યમાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ DBT યોજના અંતર્ગત POS ( Point of sale) મશની દ્વારા જ કરવાનું સમગ્ર રાજયમાં કેન્દ્ર સરકારની સૂચનાથી નક્કી કરવામાં આવ્યું છે. કોઇ ખાનગી વેચાણકર્તાઓ/ સહકારી મંડળીઓ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર વેચાણ કરશે તેમના લાઈસન્સ રદ્દ કરવા સુધીનાં પગલાં પણ ભરાશે.
ગાંધીનગર જિલ્લામાં સબસીડાઇઝ રાસાયણિક ખાતરનો પરવાનો ધરાવતાં 249 વિક્રેતાઓને POS મશીન આપવામાં આવ્યા છે. વિક્રેતાઓએ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર કરી શકશે નહી. ફેબ્રુઆરી,૨૦૧૮થી POS મશીન સિવાય રાસાયણિક ખાતર વિતરણ થનાર ખાતરનો જથ્થા પર સબસીડી ન આપવા કેન્દ્ર સરકારે નિર્ણય કર્યો છે.

POS વગર ખાતર વેચાણ કરનારના લાઈસન્સ થશે રદ્દ
ગાંધીનગર જિલ્લાના ખેતીવાડી નિયામકે જણાવ્યું છે કે, કોઇ ખાનગી વિક્રેતાઓ/ સહકારી મંડળીઓ સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ POS મશીન વગર વેચાણ કરતાં માલુમ પડશે તો તાત્કાલિક અસરથી તેમનો પરવાના રદ કરવામાં આવશે. તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આ માટે જે તે તાલુકાના તાલુકા ખરીદ વેચાણ સંઘે સબસીડાઇઝ રાસાયણિક ખાતર તેઓના તાલુકાની સહકારી મંડળીઓને આપતા પહેલા કાયદાની જોગવાઇ મુજબ તેઓના પરવાનાની મુદત તથા POS મશીન દ્વારા રાસાયણિક ખાતરનું વેચાણ થાય છે કે કેમ તે બાબતો પ્રાથમિક રીતે ચકાસી લેવાની રહેશે. જો કોઇ તૃટી જણાશે તો કાર્યવાહી કરવામાં આવશે.

પીઓએસ વગર ખાતર વેચાણ નહી
સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરતા ખાનગી વિક્રેતાઓ કે સહકારી મંડળીઓના પીઓએસ મશીનમાં ટેક્નિકલ ખામી કે તેને લગતા કોઇ સમસ્યા સર્જાય તો સંબંધિત તાલુકા ખરીદ વેચાણ સંઘ તેમજ ખાતર ઉત્પાદક કંપનીઓનો સંપર્ક કરી નિવારણ માટે પ્રયત્નો કરવા. છતાં અમલીકરણમાં કોઇ ગંભીર પ્રશ્ન હોય તો ખેતીવાડી વિભાગનો સંપર્ક કરવો પરંતું, કોઇપણ પરિસ્થિતમાં પીઓએસ મશીન વગર સબસીડાઇઝ રાસાયણિક ખાતરનું વેચાણ કરવું નહી.
જિલ્લા ખેતીવાડી નિયામકે ખાનગી વિક્રેતાઓ કે સહકાર મંડળીઓ સબસીડાઈઝ રાસાયણિક ખાતર પીઓએસ મશીન વગર વેચાણ કરતા હોય તો ખાતરનો જથ્થો ન ખરીદવા અને જિલ્લા કચેરીઓમાં જાણ કરવા આદેશ કર્યો છે.

ખેડૂતોની વધશે મુશ્કેલી
ખેડૂતોને ડાયરેક્ટ બેનીફિટ ટ્રાન્સફરના કારણે પીઓએસ મશીનથી ખાતર વેચાણ કરવા આદેશ કરાયા છે. પરંતુ, ખાસ કરીને અભણ ખેડૂતો પીઓએસના કારણે ખાતરના જથ્થાથી વંચિત રહી શકે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
