નરેન્દ્ર મોદી વિરૂદ્ધ હુલ્લડખોરોને ઉશ્કેરવાના પુરાવા નથી: એસઆઇટી
અમદાવાદ, 26 એપ્રિલ: સુપ્રીમ કોર્ટ દ્રારા રચવામાં આવેલી એસઆઇટીના વકીલે ગુરૂવારે કહ્યું હતું કે 'નરેન્દ્ર મોદીએ ક્યારેય કહ્યું નથી કે જાવ અને લોકોની હત્યા કરો.' એસઆઇટીએ જાકીયા ઝાફરીની ફરિયાદની તપાસ કર્યા બાદ 2002માં ગોધરા કાંડ બાદ થયેલા રમખાણોમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ મળી હતી.
એસઆઇટીએ કેસને બંધ કરવા માટે દાખલ કરવામાં આવેલી રિપોર્ટ વિરૂદ્ધ દાખલ કરવામાં આવેલી અરજીનો વિરોધ કરતાં એસઆઇટીના વકીલ આરએસ જમુઆરે કહ્યું છે કે સામાજિક કાર્યકર્તા તીસ્તા સીતલવાડ અને અન્યએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને નિશાન બનાવીને ખોટી ફરિયાદ દાખલ કરાવી હતી. નરેન્દ્ર મોદીએ ક્યારેય લોકોને હત્યા કરવાની વાત કરી ન હતી.
દલીલના બીજા દિવસે એસઆસટીના વકીલે સીતલવાડને નિશાન બનાવ્યો. સીતલવાડના રમખાણોના પીડીતોનો મુદ્દો ઉઠાવ્યો હતો અને તે જાકીયા ઝાફરીની મદદ કરી રહી છે. જાકીયા ઝાફરીના પતિ અને કોંગ્રેસના પૂર્વ સાંસદ એહસાન ઝાફરીની રમખાણોમાં હત્યા કરવામાં આવી હતી.

નરેન્દ્ર મોદી અને અન્ય વિરૂદ્ધ મનગઢંત ફરિયાદ માટે સીતલવાડને એકમાત્ર લેખિકા ગણાવતાં અધિવક્તા જમુઆરે કહ્યું હતું કે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્રારા કથિત રીતે ઉચ્ચ પોલીસ અધિકારીઓને હુલ્લડખોરો વિરૂદ્ધ ફરિયાદ ન કરવા સંબંધમાં આપવામાં આવેલ નિર્દેશ તીસ્તા સીતલવાડનું ઘડેલું છે. આ વાતના કોઇ પુરાવા નથી.
જકીયા ઝાફરીએ નરેન્દ્ર મોદી અને અન્ય 58 વિરૂદ્ધ આરોપ પત્ર દાખલ કરવાની માંગણી કરી છે જેને તેમને સુપ્રીમ કોર્ટમાં દાખલ પોતાની ફરિયાદમાં નામાંકન કર્યું હતું. તેમને એસઆઇટી ઉપરાંત અન્ય કોઇ સ્વતંત્ર એજન્સી પાસે તેની કરાવવાની માંગણી કરી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
