તો આ રીતે શરૂ થઈ હતી નવરાત્રીની ઉજવણી, જાણો 2 પૌરાણિક કથા
Navratri 2024: થોડા દિવસોમાં શારદિય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા શરૂ થવા જઇ રહ્યા છે. નોરતાની તૈયારીમાં સમગ્ર દેશ હર્ષોઉલ્લાસ સાથે જોડાઇ ગયો છે. 9 દિવસ સુધી ચાલનારા આ નોરતામાં લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે મન મૂકીને ગરબા પણ રમે છે.
વર્ષ 2024માં 3 ઓક્ટોબરથી નવરાત્રીનો પવિત્ર તહેવાર શરૂ થશે. નવરાત્રી દરમિયાન, ભક્તો માતાના નવ સ્વરૂપોની પૂજા કરે છે, અને ઘણા લોકો આ સમયગાળા દરમિયાન નવ દિવસ ઉપવાસ પણ રાખે છે.
દેવી દુર્ગાના નવ સ્વરૂપોની પૂજા કરવાથી જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. નવરાત્રીએ હિન્દુ ધર્મના મુખ્ય તહેવારોમાંનો એક છે.
નવરાત્રીના તહેવારની ઉજવણીની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. આ અહેવાલમાં આજે આપણે નવરાત્રી સાથે જોડાયેલી બે પૌરાણિક કથાઓ વિશે જાણીશું.
નવરાત્રી સંબંધિત પ્રથમ કથા
હિન્દુ ધાર્મિક ગ્રંથોમાં દેવી દુર્ગા અને મહિષાસુરની કથાનો ઉલ્લેખ છે. આ કથા દ્વારા આપણને સત્તા અને અધર્મ પર ધર્મની જીતનો સંદેશ મળે છે. આ દંતકથા અનુસાર, મહિષાસુર નામનો એક શક્તિશાળી રાક્ષસ હતો, જેણે પોતાની શક્તિના નશામાં સ્વર્ગ અને પૃથ્વી પર અત્યાચાર કરવાનું શરૂ કર્યું.

મહિષાસુરે તપ કરીને ભગવાન બ્રહ્મા પાસેથી એવું વરદાન મેળવ્યું હતું કે, કોઈ પણ દેવ, રાક્ષસ કે મનુષ્ય તેને મારી શકે નહીં. આ પછી ત્રણેય દેવોએ તેમની શક્તિઓનું સંયોજન કર્યું અને દેવી દુર્ગાને પ્રગટ કરી હતી. આ ઉપરાંત બધા દેવતાઓએ તેમના શ્રેષ્ઠ શસ્ત્રો દેવી દુર્ગાને આપ્યા હતા.
આ પછી મહિષાસુર અને દેવી દુર્ગા વચ્ચે ભયંકર યુદ્ધ થયું. મહિષાસુરે અનેક સ્વરૂપો બદલ્યા, પરંતુ દેવી દુર્ગાએ મહિષાસુરના દરેક સ્વરૂપને હરાવ્યા. યુદ્ધના અંતે માતા દુર્ગાએ મહિષાસુરનો વધ કર્યો.
એવું માનવામાં આવે છે કે, દેવી દુર્ગાએ મહિષાસુર સાથે 9 દિવસ સુધી યુદ્ધ કર્યું અને દસમા દિવસે મહિષાસુરનો વધ કર્યો. વિજયની યાદમાં, દેવતાઓએ માતા દુર્ગાની પ્રશંસા કરી અને તેમનું નામ મહિષાસુરમર્દિની રાખ્યું.
આજે પણ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતા દુર્ગાના મહિષાસુર સાથેના નવ દિવસના યુદ્ધને યાદ કરીને માતા શક્તિની પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીને લગતી બીજી કથા
રામાયણમાં વર્ણવેલી કથા અનુસાર, ભગવાન રામે લંકામાં રાવણ સામે યુદ્ધ કરતા પહેલા 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી હતી. ભગવાન રામની ભક્તિથી પ્રસન્ન થઈને માતા ભગવતીએ તેમને યુદ્ધમાં વિજયનું વરદાન આપ્યું હતું.
દસમા દિવસે ભગવાન રામે રાવણને યુદ્ધમાં હરાવ્યો હતો. તેથી નવરાત્રી પછીના દસમા દિવસને વિજ્યાદશમી તરીકે પણ ઓળખવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, ભગવાન રામે 9 દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરી, ત્યારથી નવરાત્રીનો તહેવાર શરૂ થયો.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
