'ક્યાં સુધી એક પરિવારની માળા જપશો પીએમ સાહેબ'
ભુજ, 15 ઓગષ્ટ: બરોબર સવારે નવા વાગે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તિરંગો ફરકાવીને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે હતી. તિરંગો ફરકાવ્યા બાદ નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યું અને તે પણ હિન્દીમાં. જેમ કે એક દિવસ પહેલાં નરેન્દ્ર મોદીએ લલકારતાં કહ્યું હતું કે 15 ઓગષ્ટના રોજ વડાપ્રધાન મનમોહન સિંહના ભાષણ અને મારા ભાષણની તુલના થશે જેના કારણે નરેન્દ્ર મોદીના સંબોધન પ્રત્યે લોકોની ઉત્સુકતા ઘણી વધી ગઇ હતી.
નરેન્દ્ર મોદી પોતાના ચિરપરિચિત શૈલીમાં જ દેશને સંબોધન કર્યું. લાલ રંગની પાઘડી પહેરીને નરેન્દ્ર મોદીએ પહેલાં ગુજરાતની મહાન વિભૂતિઓને યાદ કરી અને તેમને દેશને આપેલા અસીમ યોગદાનની પ્રશંસા કરી, તેમને સરદાર વલ્લભભાઇ પટેલને કોટિ-કોટિ પ્રણામ કર્યા.

પ્રણવ મુખર્જી પર પ્રહાર
ત્યારબાદ તેમનો હુમલો શરૂ થયો દેશના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને રાષ્ટ્રના નામે આપેલા સંદેશા પર પ્રહાર કર્યા. જેમાં તેમને કહ્યું હતું કે સહનશક્તિની એક હદ હોવી જોઇએ. નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે કયા પ્રકારની સહનશક્તિની વાત કરી રહ્યાં છે. દેશમાં ભ્રષ્ટાચાર પર ભ્રષ્ટાચાર થઇ રહ્યાં છે પરંતુ પ્રણવ મુખર્જી કેમ સંયમ રાખીને બેઠા છે તે કેમ કોઇ પગલાં ભરતાં નથી.

ભ્રષ્ટાચારની સીડી
જે પ્રકારે ટીવી-સીરિયલમાં રોજ નવા નવા શો આવે છે તે પ્રમાણે યુપીએ સરકારમાં રોજ ભ્રષ્ટાચારની સીડી આવે છે. તાજેતરમાં જ મામા-ભાણિયાના ભ્રષ્ટાચારની સીડી ધમાલ મચાવી હતી તો હવે સાસુ અને જમાઇની સીડી માર્કેટમાં આવી છે. તે કેમ ચૂપ છે.

એક જ પરિવારની ભક્તિ
ત્યારબાદ તેમને મનમોહન સિંહના લાલકિલ્લાના ભાષણ પર આપત્તિ વ્યક્ત કરી અને આકરી ટીકા કરી હતી. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહના ભાષણે તેમને દુખી કર્યા છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું આજે આદ્યાત્મના આ પાવન પર્વમાં તે લાલકિલ્લા પર ફક્ત એક પરિવારની માળા કરી રહ્યાં છે, તેમને શરમ ન આવી કે તે આજે લાલકિલ્લા પરથી ચાટુકારિતા છોડી શકે છે. તે સરદાર વલ્લભભાઇ પટેલનું નામ લઇ શકે છે, તે લાલ બહાદુર શાસ્ત્રીનું નામ પણ લઇ શકે છે પરંતુ તમે એક પરિવારની ભક્તિમાં એવા ડૂબી ગયા છો કે તેમને દેશની કોઇ ચિંતા નથી.

મનમોહન સિંહનું મૌન વ્રત
નરેન્દ્ર મોદીએ મનમોહન સિંહને લલકારતાં કહ્યું હતું કે જોઇ હિંમત હોય તો તે ગુજરાત અને દિલ્હીનો મુકાબલો કરાવે. કેમ તે પોતાની વિચારસણીથી દેશનો વિકાસ કરી નથી રહ્યાં. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કામમાં નબળાઇ તો હોય શકે, પરંતુ વિચારસણીમાં નહી અને તમારા ઇરાદામાં નહી પણ તમારી વિચારસણીમાં નબળાઇ છે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે મનમોહન સિંહને તો મીડિયાએ પણ કહી દિધું છે કે આ વખતે તે છેલ્લીવાર ધ્વજ ફરકાવી રહ્યાં છે. મને શરમ અને દુખ અનુભવે છે કે દેશના વડાપ્રધાન ફક્ત ગોખેલી વાતો કહે છે. તેમની પાસે આતંકવાદનો જવાબ નથી, ના તો તેમની પાસે ગરીબીનો કે નવી વિચારસણી નથી. વધતી જતી મોંઘવારી અને બેરોજગારી સામે દેશ ઝઝૂમી રહ્યો છે પરંતુ તમે પોતાનું મૌન વ્રતથી બહાર નીકળી નથી રહ્યાં.

દેશ આજે પણ ગુલામ છે
નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આજે સરકારની થાળીમાં રોટલી-ભાત ગણાવી રહ્યાં છે પરંતુ એ જણાવો કે ગત દસ વર્ષોમાં તેમને રોટલીમાંની ચિંતાની ન થઇ. તેમને દેશની સેના વિશે કશું કહ્યું ન હતું. તેમને કહ્યું હતું કે દેશમાં તેમને યૂનિવર્સિટી અને શિક્ષણના ક્ષેત્રમાં ઘણું યોગદાન કર્યું છે તો તેમને ગુજરાતનું નામ કેમ ન લીધું? મારો અવાજ દેશની જનતા સાંભળે છે પરંતુ દિલ્હી નહી. આજના પાવન પર્વ પર તેમને ના તો તેમને કમલા નેહરૂનું નામ લીધું અને ના તો સરદાર વલ્લભભાઇ પટેલનું જેમને જીવનભર કોંગ્રેસ માટે કામ કર્યું અને તે ક્યાં સુધી એક જ પરિવારના ગુણગાન કરતા રહેશે કેમ તે દેશ વિશે વિચારી રહ્યાં નથી? અફસોસની સાથે આજે કહું છું કે દેશ આજે પણ ગુલામ છે.

7 જિલ્લાઓની ભેટ
નરેન્દ્ર મોદીએ આજે ગુજરાતને વિકસીત રાજ્ય ગણાવતાં કહ્યું હતું કે આજે હું મેં મારા પ્રદેશને 7 જિલ્લાઓની ભેટ આપી છે. ગુજરાત જેવો વિકાસ આખા દેશને જોઇએ છે. આજે સમય આવી ગયો છે કે દેશ કોંગ્રેસ મુક્ત થઇને નવી વિચારસણી સાથે આગળ વધે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
