Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાલી રોટી અને સફેદ દાળ, ધામધૂમથી યોજાયો ભગવાન જગન્નાથનો ભંડારો

ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ પરંપરાગત સાધુ સંતોનો ભંડાયો યોજાય છે. આ ભંડારાનું આગવુ મહત્વ છે. રથયાત્રા માટે દેશદેશાંતરથી આવતા સાધુ સંતો માટે દુધપાક અને માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે.

કોરોના મહામારી વચ્ચે ગાઈડલાઈન સાથે નગરયાત્રાએ નિકળવા ભગવાન જગન્નાથ તૈયાર છે. જગન્નાથપુરીની સાથે સાથે અષાઢી બીજની અમદાવાદની રથયાત્રાનું પણ આગવુ મહત્વ છે. ભગવાન જગન્નાથની રથયાત્રા અગાઉ પરંપરાગત સાધુ સંતોનો ભંડાયો યોજાય છે. આ ભંડારાનું આગવુ મહત્વ છે. રથયાત્રા માટે દેશદેશાંતરથી આવતા સાધુ સંતો માટે દુધપાક અને માલપુઆનો પ્રસાદ બનાવવામાં આવે છે.

rathyatra
રથયાત્રા પહેલાા યોજાયેલા ભંડારામાં હજારથી વધુ સાધુ સંતોએ માલપૂઆ અને દુધપાકનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. આ પ્રસંગે ગૃહમંત્રી પ્રદીપ સિંહ અને વિધાનસભા અધ્યક્ષે પણ ભંડારાનો પ્રસાદ ગ્રહણ કર્યો હતો. રથયાત્રા માટે સરકારની મંજૂરી મળ્યા બાદ સંતો-ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગયા વર્ષે રથ માત્ર મંદિર પરિસરમાં જ ફર્યા હતા ત્યારે આ વર્ષે પરંપરાગત રૂટ પર રથયાત્રા યોજવાની મંજૂરી મળતા ઉત્સાહનો માહોલ છે. એક તરફ 1000થી વધુ સાધુ-સંતોને આજે માલપૂઆ અને દૂધપાકનો પ્રસાદ જમ્યા હતા તો બીજી તરફ રસોડાઓમા પ્રસાદની તૈયારીઓ ચાલી રહી છે.

વહેલી સવારથી જ ભંડારાની તૈયારીઓ શરૂ કરાઈ હતી. મંદિરના રસોડામાં 500 લિટર દૂધનો દૂધપાક, ચણાનું શાક, પૂરી અને માલપૂઆ તૈયાર કરાયા હતા. કોરોના ગાઈડગાઈન છે ત્યારે મર્યાદિત લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

આ વર્ષે રથયાત્રામાં રસ્તામાં પ્રસાદની વહેંચણી નહીં કરાય. રથ નિજમંદિર પરત ફર્યા બાદ મંદિરમાં મગ, જાંબુ, ખીચડાનો પ્રસાદ અપાશે. રથ પરત આવ્યા બાદ લોકો મંદિરમાં દર્શન કરી પ્રસાદનો લાભ લઇ શકશે. ગુરુપૂર્ણિમા સુધી રથયાત્રાનો મગનો પ્રસાદ વહેંચવામાં આવશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X