કોરોના વાયરસ ચીનથી આવ્યો, વધુ દિવસ નહિ ટકેઃ મોરારી બાપૂ
મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે.
મોરારી બાપૂએ કહ્યુ કે કોરોના વાયરસ ભારતમાં વધુ નુકશાન નહિ કરે કારણકે ચીનથી આવ્યો છે. બધા જાણે છે કે ચીનનો સામાન ટકાઉ નથી હોતો, તે ઓછો જ ચાલે છે. મોરારી બાપૂએ ગુરુવારે પ્રયાગરાજમાં કથા દરમિયાન આ વાત કહી. તેમણે કહ્યુ કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી. તમે આનાથી ના ગભરાવ, આ ચીનનો સામાન છે. ચીનનો કોઈ સામાન ટકાઉ નથી હોતો, આ બિમારી પણ બહુ દિવસ સુધી ટકી નહિ શકે.

ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે મોરારી બાપુએ આ કહ્યુ
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વર્તમાન ભારત પ્રવાસ વિશે પણ મોરારી બાપૂએ કટાક્ષ કર્યો. ટ્રમ્પે ભારત આવતા પહેલા કહ્યુ હતુ કે 70 લાખ લોકોની ભીડ તેમનુ સ્વાગત કરશે. આના પર બાપૂએ કહ્યુ, ડોનાલ્ડ ટ્રમ્પ 70 લાખની ભીડ ઈચ્છતા હતા પરંતુ ભીડની સંખ્યા એક લાખ જ હતી. એક અમેરિકી ડૉલરના 70 રૂપિયા થાય છે, આ હિસાબથી એક લાખની ભારતીય ભીડ પણ 70 લાખ સમાન થઈ. તમને જણાવી દઈએ કે ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ દુનિયાના ઘણા દેશોમાં ફેલાઈ ગયો છે. ભારતમાં પણ આના કેસ સામે આવ્યા છે. અત્યાર સુધી 30 કેસમાં ભારતના અલગ અલગ શહેરમાં કોરોના આવ્યા છે. ત્યારબાદ સરકારે એલર્ટ રહેવાની વાત કહી છે. ગુરુવારે સંસદમાં પણ કોરોના વાયરસનો મુદ્દો ઉઠાવ્યો છે.

કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા
ગુરુવારે આરોગ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કોરોના વાયરસ વિશે રાજ્યસભામાં નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે 4 માર્ચ સુધી દેશમાં કોરોના વાયરસના 29 પૉઝિટિવ કેસ સામે આવ્યા છે અને આ બધાને ડૉક્ટરોના નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યા છે. કોરોના વાયરસ(કોવિડ 19)થી ઉત્પન્ન સ્થિતિ અને ભારત સરકાર તરફથી ઉઠાવવામાં આવી રહેલા પગલાં પર રાજ્યસભામાં બોલતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યુ કે ઈટલીથી આવેલ પર્યટક કોરોના વાયરસથી સંક્રમિત છે.

હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ
તમને જણાવી દઈએ કે આ વાયરસથી દુનિયાભરના 3000 લોકોના જીવ જઈ ચૂક્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યુ કે કોરોના વાયરસથી ઉત્પન્ન સ્થિતિના કારણે તે આ વખતે હોળી મિલન કાર્યક્રમમાં શામેલ નહિ થાય.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ







Click it and Unblock the Notifications
