હું ચૂંટણી નથી લડી રહ્યો, ફરી મોદી સરકાર પણ નથી આવી રહી
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને એસનસીપી લીડર શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા. પરંતુ તેની સાથે તેમને દાવો પણ કર્યો છે કે કેન્દ્રમાં ફરીથી મોદી સરકાર નહીં. તેમને કહ્યું કે ભાજપ આ વખતે ફક્ત 150 સીટો જ જીતી શકશે. ભાજપ સિવાયના દળોને 350 જેટલી સીટો મળશે.
આ પણ વાંચો: 16મી લોકસભામાં એલકે અડવાણીનું પ્રદર્શન રહ્યું હતું સૌથી ખરાબ

આખરે કેમ લોકસભા ચૂંટણી નથી લડવા માંગતા?
શંકરસિંહ વાઘેલાએ આ વાતો એનસીપી કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન કહી. જ્યાં તેમને કહ્યું કે મારી ઈચ્છા ચૂંટણી લડવાની નથી, પરંતુ તેઓ એનસીપીને મદદ ચોક્કસ કરશે. આપને જણાવી દઈએ કે એનસીપી સાથે જોડાતા પહેલા શંકરસિંહ વાઘેલા ઘ્વારા ઘોષણા કરવામાં આવી હતી કે તેઓ લોકસભા ચૂંટણી લડશે, પરંતુ હવે વાઘેલાએ જાતે જ ચૂંટણી લડવાની ના પાડી છે.

ભાજપા સરકાર માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે
કાર્યાલયના ઉદ્ઘાટન દરમિયાન શંકરસિંહ વાઘેલા ઘ્વારા જણાવવામાં આવ્યું કે એનસીપી કાર્યાલય પ્રફુલ પટેલ ઘ્વારા ખોલવામાં આવ્યું છે. આ કાર્યાલય કાર્યકર્તાઓની ઈચ્છાથી ફરી ખોલવામાં આવ્યું છે. વાઘેલાએ સરકાર પર આરોપ લગાવ્યો કે તેઓ માર્કેટિંગ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી રહી છે. દેશના શહીદોની શહાદત ભૂલીને દેશના નેતાઓએ હોળી રમી છે. તેમને દાવો કર્યો છે કે વર્ષ 2019 દરમિયાન એનડીએ સરકાર નહીં બને.

એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી
વાઘેલાએ કહ્યું કે એનસીપીએ ગુજરાતમાં 4 સીટોની માંગ કરી છે, પરંતુ અંતિમ નિર્ણય કોંગ્રેસ લેશે. શંકરસિંહ વાઘેલાએ આગળ કહ્યું કે ભાજપ સરકાર તેમના 5 વર્ષનો હિસાબ આપવાને બદલે કોંગ્રેસના 70 વર્ષનો હિસાબ માંગી રહી છે. 5 વર્ષમાં લોકોનો વ્યવસાય બંધ થઇ ગયો. બેરોજગારી વધી છે. તેમને કહ્યું કે જો લોકોને ચોકીદાર જ બનવું છે, તો ભાજપના લોકો ચૂંટણી જ કેમ લડે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
