નરેન્દ્ર મોદીએ રાજ્યપાલને રાજીનામુ આપ્યું : નવી સરકાર માટે દાવો

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં ભાજપે ખૂબ સરળતાથી બહુમતી મેળવી લીધી છે. ગુજરાતમાં ભાજપે સતત પાંચમી વાર વિજય મેળવ્યો છે. જેના પગલે શુક્રવારે બપોરે 12 કલાકે ભાજપના નેતાઓ અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી રાજ્યપાલ કમલા બેનીવાલને મળ્યા હતા. નવી સરકાર રચવાની ઔપચારિકતા નીભાવતા નરેન્દ્ર મોદીએ કેબિનેટનું રાજીનામુ આપ્યું હતું. આ ઔપચારિકતા પૂરી કરવા સાથે તેમણે નવી સરકાર રચવાનો દાવો પણ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર નરેન્દ્ર મોદી 26 ડિસેમ્બરે ભાજપના દિલ્હીના મોવડીઓ, રાજકારણ અને બોલિવુડ સાથે સંકળાયેલા મિત્રો તથા ગુજરાતની જનતા સમક્ષ શપથવિધિ કરશે. આ સમયે તેઓ પોતાના નવા મંત્રીમંડળની જાહેરાત પણ કરશે.
ઉલ્લેખનીય છે કે આ વખતે ચૂંટણીમાં ભાજપના પાંચ મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે નવા મંત્રીમંડળમાં નવા ચહેરા અને જૂના મંત્રીઓને નવા મંત્રાલયોની ફાળવણી કરવામાં આવશે એમ માનવામાં આવી રહ્યું છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
