'ગાદીની પરવા નથી, એક ઇંચ જમીન પણ કોઇને નહીં લેવા દઉ'

પ્રાંતિજની જાહેરસભામાં કોંગ્રેસને લીધી આડા હાથે
સરક્રિક મુદ્દે કોંગ્રેસ સરકાર પર પ્રહાર કરતા મોદીએ પ્રાંતિજમાં કહ્યું કે, સરક્રિક અંગે કોઇ સચોટ જવાબ આપવાના બદલે તેઓ એમ કહે છે કે મોદી ચૂંટણી આવી છે એટલે વોટ મેળવવા માટે આ મુદ્દો ઉપાડી રહ્યાં છે, પણ તમે 15મી ડિસેમ્બરે પાકિસ્તાન ડેલિગેશન સાથે ચર્ચા કરવાના છો ત્યારે મારે શું ચૂંટણી પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જોવી. જો તમને લાગતું હોય કે સરક્રિકથી મને વધારે મત મળી જશે તો હું તમને કહું છું કે ચૂંટણી મોકુફ કરી નાંખો. આડા દિવસે ગોઠવી દો. મને ગાદીની ચિંતા નથી કે પરવા નથી પણ હું સરક્રિકના એક ઇંચના ટૂકડાને પણ કોઇને લેવા નહીં દઉ.
પાલનપુરઃ મોદીએ પાલનપુરમાં કહ્યું, 'પીએમજી તમે મને નહીં પહોંચીવળો'
તેમણે કહ્યું કે, વડાપ્રધાન એક સભા કરીને ગયા પછી ગુજરાત પાછા આવ્યા જ નહીં, કારણ કે તે સમજી ગયા છે કે અહીં તેમનું કઇ નહીં ઉકળે. તેઓ અહીં કહીં ગયા કે ગુજરાતમાં લઘુમિત સુરક્ષિત નથી, તેઓ અહીં કોમવાદનું ઝેર ઓકીને ગયા અને મતબેંકનુ રાજકારણ રમતા ગયા પરંતુ તેમણે એ વાત જરા પણ ના જણાવી કે ગુજરાતે શું કરવું જોઇએ વિકાસ માટે કયા માર્ગે જવું જોઇએ, ગુજરાત તમારી પાસે એ સાંભળવા માગતું હતું પણ તેમણે તેમ કહ્યું નહીં, તેમણે કોમવાદનું રાજકારણ રમ્યુ છે તો હું તેમને જણાવી દેવા માંગુ છું કે જો કહેવાની તૈયારી રાખો છો તો પછી સાંભળવાની પણ રાખો, તમારી સરકાર ગુજરાતમાં હતી ત્યારે બારેમાસ હુલ્લડ, કરફ્યુ રહેતા હતા, ગુજરાત ભડકે બળતું અને નિર્દોશો મરતા હતા પરંતુ મોદીની સરકાર ગુજરાતમાં આવ્યા પછી લોકોને શાંતિ મળી છે, હુલ્લડ અને કરફ્યું બંધ થઇ ગયા છે. મોદીનો હિસાબ માંગવા આવ્યો છો તો સાંભળી લો કે મોદી તરફ એક આંગળી કરો છો પરંતુ ચાર આંગળીઓ તમારી તરફ છે.
પાકિસ્તાનનું મંત્રીમંડળ ભારત સંબંધો સુધારવા આવ્યું છે, તેમના મંત્રી રહેમાને અહીં જે નિવેદન આપ્યું છે તેને દેશ ક્યારેય નહીં સ્વિકારે, પાકિસ્તાનના મંત્રી હિન્દુસ્તાનમાં આવીને બોલ્યા કે મુંબઇમાં જે હુમલો થયો, નિર્દોશો મર્યા એ ઘટના અને 1992માં અયોધ્યામાં જે ઘટના ઘટી હતી તે બન્ને એક સમાન છે, પ્રધાનમંત્રી તમે દેશને જણાવો કે પાકની સરકારને આપણા આંતરિક મુદ્દામાં દખલ આપવાની પરવાનગી કોણે આપી, પણ પાકિસ્તાનની આ હરકતો કરી રહ્યું છે કારણ કે દિલ્હીની સરકારમાં કોઇ દમ નથી. પ્રધાનમંત્રી તમે સરક્રિક મુદ્દે પાકિસ્તાન સાથે વાત કરો છો એ અંગે મારા પ્રશ્નનો કેમ જવાબ આપતા નથી બસ ગોળ-ગોળ વાતો કરી રહ્યાં છો, મારી સિધી વાત છે, પાકિસ્તાન સાથે ભલે વાર્તાઓ કરવામાં આવે પરંતુ અમે ક્યારેય સરક્રિકની જમીનો નાનો અમથો ટૂકડો પણ પાકિસ્તાનને આપવાના નથી, એ વાત કહેવામાં તમારું શું જાય છે પરંતુ તમે તે કહેતા નથી, કારણ કે તમારી સરકારમાં કોઇ દમ નથી.
સરક્રિકને લઇને મોદી આમ બોલે છે, તેમ બોલે છે, અરે મોદી ગમે તે બોલતા હોય પરંતુ તમે તો અમારા પ્રશ્નનો જવાબ આપો. અને મેડમ સોનિયા ગાંધી તમારે મને કોઇ સર્ટિફિકેટ આપવાની જરૂર નથી. હું હિન્દુસ્તાનનો દિકરો છું, દેશ માટે જીવું છું અને દેશ માટે મરું છું, તમે મને કોઇ દેશભક્તિનું સર્ટિફિકેટ ના આપો. તમારા માટે સરક્રિક એક જમીનનો ટૂકડો હશે પરંતુ અમારા માટે સરક્રિક અમારા શરીરનો ભાગ છે અને અમે અમારા શરીરના ભાગને અલગ નહીં થવા દઇએ, તમે ભરોસો આપો કે તમે તેમ નહીં કરો, તેમ દેશને અંધારામાં રાખીને પાકની ઇચ્છા પૂરી કરવા જઇ રહ્યા છો, ત્યારે મારે આ બોલવું પડે છે નહીંતર મારે ચૂંટણીમાં બોલવાની જરૂર નહોતી, મે તો આ બધુ તમને એપ્રિલમાં કહી દીધુ હતું પરંતુ મે ક્યારેય છાપામાં એ વાત કરી નથી. જે મહાપુરુષે ભારતને અંખડ બનાવ્યું છે તેની પુણ્યતિથિએ હિન્દુસ્તાનના ટૂંકડા કરવા માંગો છો શું આ છે તમારી સરદાર પટેલને શ્રદ્ધાંજલિ.
ઉપાડી લો, 17મીએ તમે કમળના બટન દબાવો તે મત ગોવિંદજીના ખાતામાં જ નહીં પણ મારામાં પણ આવશે. તમે મને કમળ મોકલાવો હું બનાસકાંઠાના વિકાસની જવાબદારી ઉઠાવું છું.
વિસનગરમાં જાહેરસભા
મોદીએ વિસનગરમાં જાહેર મેદનીને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધી પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે તે ગાંધીજીના માર્ગે ચાલી રહ્યાં છે, ગાંધીજીને ગુરુ માની રહ્યાં છે તો પછી ગાંધીજીની એક ઇચ્છા કેમ પુરી કરતા નથી, ગાંધીજીની ઇચ્છા હતી કે આઝાદી પછી કોંગ્રેસને ભંગ કરી દેવામાં આવે પરંતુ હજુ સુધી કરી નથી, પણ મને વિશ્વાસ છે કે જનતા એ ઇચ્છા પૂરી કરશે અને કોંગ્રેસનો ભંગ થઇ જશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
