મોદી વિરોધી ઝડફિયા જોડાશે ભાજપમાં!
ગુજરાત રાજ્યની વિવિધ ઘટનાઓ એક જ સમયે એક જ સ્થળે તમને વાંચવા મળી રહે એ માટે અમે એક અનોખો પ્રયોગ કરી રહ્યાં છીએ. આ પ્રયોગ અંતર્ગત તમને એક ફોર્મેટમાં ગુજરાત ભરમાં આજના દિવસે કઇ-કઇ ઘટના અને સમાચાર ચર્ચાનો વિષય રહ્યો તેની આછેરી માહિતી મળી રહેશે.
ગુજરાતના આજના ટોપ સમાચાર અંગે વાત કરવામા આવે તો, મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે જીપીપીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પક્ષના પ્રમુખ અને મોદી વિરોધી ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી છે. ઝડફિયા આગામી 25 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે. આ અંગે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઝડફિયા બાપુનગરમાં યોજાનારી જંગી સભામાં ભાજપમાં પુનરાગમન કરશે અને જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે. તો આવા જ કેટલાક સમાચાર વાંચવા માટે નીચે તસવીરો પર ક્લીક કરો.

મોદી વિરોધી ઝડફિયા જોડાશે ભાજપમાં!
મળતી માહિતી અનુસાર પૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઇ પટેલે જીપીપીમાંથી રાજીનામું આપ્યા બાદ હવે પક્ષના પ્રમુખ અને મોદી વિરોધી ગોરધન ઝડફિયા પણ ભાજપમાં જોડાય તેવી ચર્ચા જાગી છે. ઝડફિયા આગામી 25 ફેબ્રુઆરીએ ભાજપમાં જોડાશે તેવી શક્યતાઓ છે. આ અંગે ભાજપના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર ઝડફિયા બાપુનગરમાં યોજાનારી જંગી સભામાં ભાજપમાં પુનરાગમન કરશે અને જીપીપીનું ભાજપમાં વિલીનીકરણ થઇ જશે.

નારાયણને આસરો આપનાર મેરઠનો પરિવાર થયો હાજર
સુરત બળાત્કાર કેસ અને લાંચ કાંડમાં ફસાયેલા નારાયણ સાંઇને મદદ કરનાર અને આસરો આપવાના આરોપમાં ફસાયેલા મેરઠના દિવાન પરિવારની સીઆરપીસી 162 મુજબ સુરત બોલાવી પૂછપરછ કરવામાં આવી છે. મેરઠના દિવાન પરિવારની વહુના નામે નોંધાયેલી કારમાં કુરુક્ષેત્ર ખાતે નારાયણ સાંઇની ધરપકડ કરવામાં આવી હતી.

ડીજેના તાલે ડાન્સ બાબતે બબાલ, એકની હત્યા
વડોદરામાં ગોત્રી ઇએસઆઇ હોસ્પિટલ પાસે લગ્ન પ્રસંગમાં ડીજેના તાલે ડાન્સ કરતીવેળા યુવકો વચ્ચે બબાલ થઇ હતી. બબાલે હિંસક રૂપ ધારણ કતા એક શખ્સે યુવકને ખંજરના ખા ઝીકી હત્યા કરી નાંખી હતી, જ્યારે બીજાને હાથમાં ઇજા પહોંચતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. ગોત્રી પોલીસે હત્યાનો ગુનો નોંધી ચાર લોકોની ધરપકડ કરી હોવાનું જાણવા મળ્યું છે.

માનવતા નેવે મુકાઇઃ વૃદ્ધા, દિકરી અને વહુ કરાઇ નિર્વસ્ત્ર
મેઘરજના રાજગોળ ગામે ભાઇની જમીન પડાવી લેવા માટે જેઠ તથા દિયરે મૃતક ભાઇની પત્ની, દિકરી અને વહુને નિર્વસ્ત્ર કરી ગામમાં ફેરવી હતી, તથા હત્યા કરી દેવાની ધમકી આપી હતી. જે મામલે પીડિત વૃદ્ધાએ ચાર મહિલાઓ સહિત 16 વ્યક્તિઓ સામે ઇસરી પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.

અડાલજઃ લગ્નમાં ક્રેઇન પડતાં એકનું મોત
અડાલજના શ્રેા ફાર્મ ખાતે લગ્ન પ્રસંગમાં નવવધૂને ક્રેઇનમાં મંડપ સુધી લાવતી વખતે ક્રેઇનનો થાંભલો તૂટી જતા એક શ્રમજીવીનું મોત નીપજ્યું હતું, જ્યારે બેને ગંભીર ઇજાઓ થતાં સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા હતા. જો કે સદભાગ્યે નવવધૂને કોઇ ઇજા થઇ નહોતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
