લોકસભા ચૂ્ંટણી 2019: છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો
છોટા ઉદેપુર હતો કોંગ્રેસનો ગઢ, આવી રીતે ભાજપે છીનવી લીધો
લોકસભા સીટ છોટા ઉદેપુરની વાત કરીએ તો પહેલી વખત આ સીટ પર 1957માં ચૂંટણી થઈ હતી. 2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર રામસિંહ રાઠવા અને કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ રાઠવા વચ્ચે ટક્કર થઈ હતી. રામસિંહ રાઠવાએ નારણભાઈ રાઠવાને 179,729 વોટથી હરાવ્યા હતા. આ જીત સાથે લોકસભા 2014માં છોટા ઉદેપુર સીટ પર ભાજપનો વોટશેર +9.04 ટકાથી વધ્યો હતો જ્યારે કોંગ્રેસનો વોટશેર -3.76 ટકાથી ઘટ્યો હતો. ભાજપના 67 વર્ષીય ઉમેદવાર રામસિંહ રાઠવાને 607,916 વોટ મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નારણભાઈ રાઠવાએ 428,187 વોટથી સંતોશ માનવો પડ્યો હતો.

આ જીત સાથે જ રામસિંહ રાઠવા ત્રીજી વખત છોટા ઉદેપુરથી સાંસદ બન્યા. છોટા ઉદેપુર સીટ પર સાંસદ રામસિંહ રાઠવાની આ ત્રીજી ટર્મ છે. પોતાની ટર્મ દરમિયાન વર્ષ 2014થી ડિસેમ્બર 2018 સુધીમાં તેમણે સંસદની 28 ડિબેટમાં ભાગ લીધો પરંતુ પ્રાઈવેટ મેમ્બર બિલ પણ એકેય રજૂ નહોતાં કર્યાં, જો કે સદનમાં તેમણે 482 પ્રશ્નો પૂછ્યા હતા, અને તેમની હાજરી 89% રહી, જે સ્ટેટ એવરેજ 84 ટકાથી થોડી વધુ છે.
તમારા સાંસદે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું છે? જાણો
જો છોટા ઉદેપુરના પોલિટિકલ ઈતિહાસ વિશે વાત કરીએ તો 1966 સુધી છોટા ઉદેપુર લોકસભા સીટ બની જ નહોતી. 1967માં પહેલી વખત આ સીટ પર ચૂંટણી થઈ અને કોંગ્રેસના મનુભાઈ પટેલ ચૂંટાયા. 1971માં કોંગ્રેસના પ્રભુદાસ પટેલ ચૂંટાયા, જ્યારે 1977, 1980 અને 1984માં કોંગ્રેસના અમરસિંહ રાઠવા ચૂંટાયા. 1989, 1991, 1996 અને 1998માં કોંગ્રેસના નારણભાઈ રાવત ચૂંટાયા. 1999માં ભાજપના રામસિંહ રાઠવા ચૂંટાયા. 2004માં આ સીટ પરથી કોંગ્રેસના નારણભાઈ રાઠવા અને 2009 તથા 2014માં રામસિંહ રાઠવા આ સીટ પરથી ચૂંટાઈ આવ્યા.
હવે જો છોટા ઉદેપુર સીટના મતદાતાઓની વાત કરીએ તો ચૂંટણી પંચના આંકડાઓ મુજબ લોકસભા ચૂંટણી 2014માં છોટા ઉદેપુર સીટ પર કુલ 1,536,305 મતદાતા નોંધાયા હતા જેમાંથી પુરુષ મતદાતા 798,160 અને મહિલા મતદાતા 738,145 હતા. જેમાંથી લોકસભા ચૂંટણી 2014માં 593,192 પુરુષ મતદાતાઓ અને 507,350 મહિલા મતદાતાઓએ એમ મળીને કુલ 1,100,542 મતદારોએ મતદાન કર્યું હતું. જણાવી દઈએ કે છોટા ઉદેપુર લોકસભા મતવિસ્તારની કુલ વસતી 2,290,199 છે જેમાંથી 86.93% વસ્તી ગ્રામીણ જ્યારે 13.07% શહેરી વસ્તી છે. આ મતવિસ્તારમાં કુલ વસ્તીના 3.23 ટકા એસસી અને 56.27 ટકા એસટીની વસાહત છે.
આ પણ વાંચો- લોકસભા ચૂ્ંટણી 2019: જાણો ભાવનગર મતવિસ્તારનો ઈતિહાસ
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
