હાર્દિકના ઉપવાસનો 11મો દિવસ, દેવગૌડાની પીએમને હસ્તક્ષેપ કરવાની અપીલ
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે.
પાટીદાર આંદોલન સમિતિના નેતા હાર્દિક પટેલ ભૂખ હડતાળ પર છે અને તેમની ભૂખ હડતાળનો આજે 11 મો દિવસ છે. હાર્દિક પટેલને તેમના આમરણાંત ઉપવાસ ખતમ કરવા માટે ઘણા પક્ષના નેતાઓએ અપીલ કરી છે. હાર્દિક પટેલ નોકરી અને શિક્ષણમાં અનામત, ખેડૂતોની દેવામાફી અંગે 25 ઓગસ્ટથી અમદાવાદ સ્થિત પોતાના ઘરે આમરણાંત ઉપવાસ પર બેઠા છે. જે બાદ સોમવારે પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડા અને જેડીએસ ચીફ એચડી દેવગૌડાએ અપીલ કરી છે કે હાર્દિક પોતાના ઉપવાસ ખતમ કરી દે. જે રીતે હાર્દિકની તબિયત બગડી રહી છે તે બાદ દેવગૌડાએ હાર્દિકને ઉપવાસ ખતમ કરવાની અપીલ કરી છે. સાથે પીએમ મોદીને આ મામલે હસ્તક્ષેપ કરવા કહ્યુ છે.

દેવગૌડાએ લખ્યો પત્ર
પ્રધાનમંત્રી મોદીને લખેલા પત્રમાં દૈવગૌડાએ કહ્યુ છે કે રાજસ્થાનમાં ઓબીસી શ્રેણીનાના લોકોને તેમના કાર્યકાળમાં અનામત આપવામાં આવ્યુ હતુ. હું તમને અપીલ કરુ છુ કે આ પાટીદાર અનામત માટે એક કમિશનની રચના કરો. વળી, દેવગૌડાએ ગુજરાતના મુખ્યમંત્રીને અપીલ કરી છે કે તેઓ આ અનામત બાબતને કેન્દ્ર સામે રાખે અને હાર્દિક પટેલના ઉપવાસ ખતમ કરાવવા માટે આગળ આવે. વળી, બીજી તરફ ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સપા અધ્યક્ષ અખિલેશ યાદવે પણ હાર્દિક પટેલને પોતાના ઉપવાસ ખતમ કરવા માટે અપીલ કરી છે.
અખિલેશે કર્યુ સમર્થન
અખિલેશ યાદવે ટ્વિટ કરીને હાર્દિક પટેલને અપીલ કરી છે કે તે પોતાના ઉપવાસ ખતમ કરી દે. તેમણે ટ્વિટ કરીને લખ્યુ કે હાર્દિક પટેલ પોતાના સમાજ તેમજ ખેડૂતો પ્રત્યે કરાયેલા સંકલ્પોની પૂર્તિ માટે જે રીતે ઉપવાસ કરીને સંઘર્ષ કરી રહ્યા છે તે પ્રશંસનીય છે પરંતુ અમારો તેમને આગ્રહ છે કે તેઓ પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખે કારણકે જનતાને જાગ્રત કરનાર તેમના આંદોલન અને સમર્થકોને તેમના સક્રિય નેતૃત્વની પરમ આવશ્યકતા છે. આ પહેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ હાર્દિકના સમર્થનમાં અપીલ કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
