કોરોનાના કહેર વચ્ચે કલ્યાણપુરમાં માસ્ક અને સેનેટાઈઝરની અછત, પણ ચિંતા કરવાની જરૂર નથી
કોરોનાના કહેર વચ્ચે કલ્યાણપુરમાં માસ્ક અને સેનેટાઈઝરની અછત, પણ ચિંતા કરવાની જરૂર નથી
કલ્યાણપુરઃ વિશ્વભરમાં Coronavirusએ હાહાકાર મચાવ્યો છે. ભારતમાં કોરોનાવાઈરસના પોઝિટિવ કેસની સંખ્યા 400ને પાર પહોંચી ગઈ છે જ્યારે ગુજરાતમાં આ આંકડો 33ને પાર પહોંચી ગયો છે. ત્યારે નાગરિકોએ જ ખુદને સુરક્ષિ કરી દેશને સુરક્ષિત કરવાનો છે. આ બધાની વચ્ચે કલ્યાણપુરના મેડિકલ સ્ટોર્સમાં માસ્ક કે સેનિટાઈરની ખપત જોવા મળી રહી છે. જ્યારે મેડિકલે કેમિસ્ટને પૂછવામાં આવ્યું તો તેમણે જવાબ આપ્યો કે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી માસ્ક કે સેનિટાઈઝર આવી શકે તેમ નથી.

જણાવી દઈએ કે પોલીસકર્મીઓને પણ પુરતા પ્રમાણમાં હજી માસ્ક મળી શક્યાં નથી. આ મામલે જ્યારે કલ્યાણપુર સ્ટેશનના પોલીસ અધિકારી લક્ષમણભાઈને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે, 'અમને ડિપાર્ટમેન્ટ તરફથી માસ્ક તો આપવામાં આવ્યાં છે પરંતુ ઓછી માત્રામાં છે અને આગામી સમયમાં બીજા માસ્ક અમને ઉપલબ્ધ કરાવાશે.'
આ મામલે જ્યારે દેવભૂમિ દ્વારકાના જિલ્લા કલેક્ટર ડૉ. નરેન્દ્ર કુમાર મીણાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, 'અત્યારે બધુ બંધ હોવાથી માસ્ક પહોંચાડવા થોડું અઘરું છે, લોકોને માસ્ક ના મળે તો રૂમાલ પણ મોઢે બાંધીને ખુદને સુરક્ષિત રાખી શકે છે અને સેનેટાઈઝર ના હોય તો પણ સાબુથી કામ ચલાવી શકાય.'
ત્યારે જો તમને પણ માસ્ક કે સેનેટાઈઝર ના મળ્યા હોય તો ચિંતા કરવાની જરૂર નથી, જેમ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પહેલા જ જણાવ્યું છે, સ્વસ્થ વ્યક્તિએ માસ્ક પહેરવાની જરૂર નથી. કોરોનાવાઈરસના લક્ષણ ધરાવતા કોઈ વ્યક્તિની સારવાર કરતા વ્યક્તિ કે તેના સંપર્કમાં આવતા હોય તેવા વ્યક્તિઓએ, દર્દીઓએ અને ઉધરસ-શરદી જેવા લક્ષણો દેખાય તેવા વ્યક્તિઓએ જ માસ્ક પહેરવું જરૂરી છે. ત્યારે જો તમે સ્વચ્છ છો તો તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી. લોકોએ ખુદ સચેત રહેવું અને કોરોનાઈવરસ સંબંધી કોઈ લક્ષણ દેખાય તો ખુદને હોમ ક્વોરેન્ટાઈન કરી લેવો અને રાજ્ય સરકારે જાહેર કરેલ હેલ્પલાઈન નંબર 104 પર જાણ કરવી.
કોરોનાવાઈરસ જીવલેણ છે, માત્ર એવા વ્યક્તિઓ માટે જેઓ ખુદ સચેત નથી, આંકડાઓ પર જોઈએ તો મૃતકો કરતા રિકવર થયેલા વ્યક્તિઓની સંખ્યા વધુ છે. માટે તમારે પણ ચિંતા કરવાની જરૂર નથી અને તમે ખુદ સ્વચ્છ રહેશો અને બિનજરૂરી ઘરની બહાર નહિ નીકળો તો તમારો પરિવાર પણ સુરક્ષિત રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા








Click it and Unblock the Notifications
