ગુજરાતમાં 6 મુખ્યમંત્રી બદલાયા, 100 કરોડનો ખર્ચ છતાંય નથી શરૂ થઈ કલ્પસર યોજના
ભલે ગુજરાતમાં છ મુખ્યમંત્રી બદલાયા હોય પરંતુ સરકારની ખંભાતના અખાતમાં મલ્ટીપર્પઝ કલ્પસર યોજના માટે હજી સુધી કોઈ કામ શરૂ નથી થયું.
ભલે ગુજરાતમાં છ મુખ્યમંત્રી બદલાયા હોય પરંતુ સરકારની ખંભાતના અખાતમાં મલ્ટીપર્પઝ કલ્પસર યોજના માટે હજી સુધી કોઈ કામ શરૂ નથી થયું. આ યોજના સાથે જોડાયેલા નિષ્ણાતોના મત મુજબ એક વાર યોજના શરૂ થયા બાદ 10 વર્ષમાં તેનો લાભ મળશે સાથે જ વિધાનસભાની બે ચૂંટણી બાદ લોકોને તેનો લાભ મળી શકે છે.
પાછલા પાંચ વર્ષનીમાં સરકારે અધ્યયન અને જુદા જુદા રિપોર્ટ બનાવવા પાછળ 100 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો છે. આ યોજના શરૂ થતાં જ ખંભાતના બંને દરિયાકિનારાને જોડતું 30 કિલોમીટરનું મીઠું પાણી ખેડૂતો અને લોકોને કામ લાગી શકે છે. આ ઉપરાંત ગુજરાત અને સૌરાષ્ટ્ર વચ્ચેનું અંતર પણ ઘટી શકે છે.
આ પણ વાંચો: ગુજરાતના આ ગામમાં સ્મશાનમાં થઇ રહી છે રામકથા, ગામવાસીઓએ કહ્યું - આનાથી પવિત્ર જગ્યા બીજી કોઈ નહીં
ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાન બંધ થયેલી કલ્પસર યોજનાની ફાઈલ ભાજપના તત્કાલીન સીએમ કેશુભાઈ પટેલે વર્ષ 1995 અને 1999માં ખોલાવી હતી. બાદમાં નરેન્દ્ર મોદીની સરકારે 2002માં આ યોજનાને સૈદ્ધાંતિક મંજૂરી આપી અને 2011માં મોદી સરકારમાં જ આ યોજનાની જાહેરાત થઈ હતી.

ચીન અને દક્ષિણ કોરિયાને છે રસ
1999માં કલ્પસર યોજનાનો અંદાજિત ખર્ચ 25 હજાર કરોડ હતો, પરંતુ જુદા જુદા તબક્કામાં મોડું થવાને કારણે આ યોજના પાછળનો ખર્ચ 90 હજાર કરોડ થઈ ચૂક્યો છે. સરકારનો દાવો છે કે ચીન અને દક્ષિણ કોરિયાની કંપનીઓને પણ આ યોજનામાં રસ છે.

યોજના પૂરી થયા બાદ આટલું શક્ય બનશે.
- સૌરાષ્ટ્રની 10 લાખ હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે.
- ભાવનગર અને દક્ષિણ ગુજરાતનું અંતર ઘટીને 136 કિલોમીટર થઈ જશે.
- વાયુ ઉર્જા અને સૌર ઉર્જા પાર્ક બની શકે છે.
- સૌરાષ્ટ્રના લોકોને પીવાનું પાણી મળશે.
- સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કિનારાના વિસ્તારોનું પાણી મીઠું થઈ જશે.

કલ્પસર યોજના 46 વર્ષ બાદ
1969- ગુજરાત રાજ્ય રાજપત્રમાં, સમુદ્રમાં જનારી જમીનનું પાણી રોકવા માટે મોટું તળાવ બનાવીને પાણી સ્ટોર કરવાની યોજના પર કામ શરૂ થયું
1975- સંયુક્ત રાષ્ટ્ર મિશનરીના પ્રોફેસર એરિક વિલ્સનને ટાઈડલ પાવર માટે કેન્દ્રીય વિદ્યુત પ્રાધિકરણ રિપોર્ટ રજૂ કર્યો હતો.
1980- ડૉ. અનિલ કાણે, જેમણે આ યોજનાનું સ્વપ્ન જોયું હતું તેમણે આ યોજનાને કલ્પસર નામ આપ્યું. તેમણે આ પ્રોજેક્ટમાં ખાસ્સું રિસર્ચ કર્યું હતું.
1988- રીકૉનિસન્સ રિપોર્ટ બન્યો, જેમાં કહેવાયું કે ટેક્નિકલ રીતેથી નદીનું પાણી રોકીને ડેમ બનાવી શકાય છે.
1999- કલ્પસર યોજનાને સરકારે મંજૂરી આપી અને વિશેષ રિસર્સ શરૂ કરાયા.
2002- રાજ્ય સરકારે આ યોજનાનું કામ 2011માં શરૂ કર્યું હતું.
2012- કલ્પસરનું કામ આ વર્ષે શરૂ થવાની જાહેરાત થઈ.
2015- આ યોજના માટે તમામ પ્રકારની મંજૂરી આપવાનો વાયદો થયો
2018- સરકારે ભાડભૂત પરિયોજનાનું કામ શરૂ કર્યું, જે કલ્પસર સાથે જોડાયેલી છે. પરંતુ કલ્પસર યોજનાનું કામ આગળ ન વધ્યું.
2019- લોકસભાની ચૂંટણીનું વર્ષ છે, એટલે ભાજપના ચૂંટણી ઢંઢેરામાં ફરી કલ્પસરનો સમાવેશ થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
