જન વિકલ્પ આપશે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત
જન વિકલ્પ મોર્ચાએ બિન અનામત વર્ગને 25 ટકા અને કોળી જેવી જાતિઓને અલગથી 10 ટકા અનામત આપવાની વાત કરી છે. જાણો વધુ અહીં.
બુધવારે, લાભપાંચમના શુભ અવસરે જન વિકલ્પ મોર્ચાએ તેનું ચૂંટણી ચિન્હ ટેક્ટર રજૂ કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાતી જનતાને ત્રીજા વિકલ્પ મળે તે માટે શંકર સિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જન વિકલ્પ મોર્ચાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શંકર સિંહ વાઘેલાએ તેમની પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો પણ કહ્યું. વધુમાં ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ બુદ્ધપ્રકાશ શર્માએ જન વિકલ્પ મોરચા સમક્ષ પોતાનો ખુલ્લો ટેકો પણ જાહેર કર્યો. અને આગામી ચૂંટણી માટે તેમની પાર્ટીનું ચિહ્ન પણ બાપુને સુપ્રત કર્યું. આ પ્રસંગે શંકર સિંહ વાઘેલા તે વાત કરી જે હાલમાં સમયમાં ભાજપ કે કોંગ્રેસ ખુલ્લા મોંએ કહેવા તૈયાર નથી.

બાપુએ કહ્યું કે જો તેમની પાર્ટી જીતી તો તે બિનઅનામત વર્ગને 25 ટકા અનામત આપવા અને કોળી, બજાણિયા સહિતના પછાત જાતિને 10 ટકાની અલગ અનામત આપવા કેન્દ્ર સરકારને ઉગ્ર રજૂઆત કરશે. સાથે જ તેમણે સરકારી પરીક્ષાઓમાં અલગ અલગ ફીના બદલે 100 રૂપિયાની ટોકન ફી લેવાની વાત પણ ઉચ્ચારી. વધુમાં વૃદ્ઘો અને વિધવાઓ માટે 5000 હજાર પેન્શન અને રાહતદરે નોકરી પ્રથા શરૂ કરવાની પણ વાત કરી. આમ હાલ ગુજરાતમાં હાલ જે સળગતા પ્રશ્નો છે જેમ કે રોજગારી, અનામત, કોળી સમાજની માંગો તે તમામ પર બાપુએ મોટી મોટી જાહેરાતો કરી તેમને ચૂંટણીમાં પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
