સુરત: બળાત્કારના આરોપમાં જૈન મુનિની ધરપકડ
સુરત ખાતેથી જૈન મહારાજ શાંતિસાગરની બળાત્કારના આરોપમાં ધરપકડ થઇ હતી.
દિગંબર જૈન સમાજના આચાર્ય શાંતિસાગર મહારાજની બળાત્કારના આરોપ હેઠળ શનિવારે રાત્રે સુરતના અઠવાલાઇન્સ ખાતેથી ધરપકડ કરવામાં આવી હતી. શાંતિસાગર મહારાજ પર મધ્ય પ્રદેશની કોલેજમાં ભણતી યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી. યુવતીનો આરોપ છે કે, તેમણે આશીર્વાદ આપવાના નામે યુવતીને રૂમમાં બોલાવી તેની પર દુષ્કર્મ ગુજાર્યું હતું. શાંતિસાગરે યુવતી પર 14 દિવસ સુધી બળાત્કાર કર્યો હતો, જે પછી પોલીસે શનિવારે શાંતિસાગર મહારાદની ધરપકડ કરી હતી.

49 વર્ષીય શાંતિસાગર મહારાજને શનિવારે રાત્રે ધરપકડ બાદ મેડિકલ ટેસ્ટ માટે નવી સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. જો કે, હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે શાંતિસાગર મહારાજે પૂરતો સાથ સહકાર નહોતો આપ્યો. તેમણે દાવો કર્યો હતો કે, તેમની પર ખોટો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. મેડિકલ ટેસ્ટ બાદ તેમને રાત્રે જ જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં પોલીસ રિમાન્ડની માંગ ન કરતાં આરોપી મહારાજને સીધા જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે રિમાન્ડ ન માંગતા અનેક તર્ક-વિતર્ક થઇ રહ્યાં છે.
પીડિતાએ પોલીસ સમક્ષ પોતાની આપવીતી જણાવતાં કહ્યું હતું કે, પહેલા તો તેણે શાંતિસાગર મહારાજની આ વર્તણૂકનો વિરોધ કર્યો હતો. પરંતુ મહારાજે તેને ડરાવીને કહ્યું કે, જો તે બૂમો પાડશે તો તેના માતા-પિતા મરી જશે. આ ધમકીના કારણે તે ડરી ગઇ હતી. યુવતીના માતા-પિતા માર્ચ 2017થી આ મહારાજના સંપર્કમાં હતા અને તેમને ગુરૂ તરીકે સ્વીકાર્યા હતા. પીડિતાએ જ્યારે પોતાના માતા-પિતાને આ અંગે જણાવ્યું ત્યારે પરિવાર વડોદરામાં હતો. ઘટના સુરતના અઠવાલાઇન્સ વિસ્તારમાં બની હોવાથી તેમને વડોદરા પોલીસ મથકમાંથી સુરત જવાની સલાહ આપવામાં આવી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
