પાલિતાણામાં ઢેબરા તેરસના મેળામાં ઉમટશે જૈન ભક્તો

ઢેબરા તેરસની ધાર્મિક કથા શું છે?
શત્રુંજય પર કરોડો સાધુ-ભગવંતો મોક્ષ પામ્યા હોવાથી તેનો અણુએ અણુ અતિ પવિત્ર મનાય છે. જૈન માન્યતા અનુસાર ફાગણ સુદ-૧૩ના દિવસે શ્રીકૃષ્ણના પુત્ર સામ્બ અને પ્રદ્યુમ્ન સાડા આઠ કરોડ મુનિઓ અને સાધુ ભગવંતો સાથે આ પર્વતમાળામાં આવેલા ભાડવા ડુંગર પરથી મોક્ષ પામ્યા હતા. આથી જૈનો હજારોની સંખ્યા આ દિવસે એક જ દિવસમાં અસંખ્ય લોકોને મુક્તિ અપાવનાર, પવિત્ર ભાડવા ડુંગરને હૈયા અનેરાં ઉલ્લાસ સાથે ભેટવા માટે ઊમટી પડે છે અને પોતાનાં કર્મોની નર્જિરા કરે છે. આ દિવસે અત્રે થતી ભક્તિનું અનેરું મહત્વ હોઈ સૌ કોઈ તેનો લાભ ઉઠાવવા તલપાપડ થઈ જાય છે.
બિનસ્વાસ્થ્યપ્રદ વસ્તુઓના વેચાણ પર પ્રતિબંધ
જૈનોના પ્રખ્યાત ઢેબરિયા મેળામાં વેપારીઓ ઘ્વારા ગેરકાયદેસર રીતે ખાદ્ય ચીજોનું વેચાણ થાય છે. જેમાં પ્લાસ્ટિકની કોથળીઓ, પાણીના પાઉચ / બોટલો, તમાકુ, પાન મસાલા, ગુટકા જેવી ઘણી ચીજવસ્તુઓનુ વેચાણ તથા ઉ૫યોગ થાય છે. જેનાથી જાહેર આરોગ્ય ઉ૫ર વિ૫રીત અસર થતી હોય છે. તેનું નિયમન કરવા માટે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ભાવનગરે છ ગાઉ યાત્રાનાં માર્ગોની આજુ બાજુ પાલીતાણા તળેટી,પાલિતાણા શેત્રુંજય ગિરિરાજ પર કચરો નાખવા તેમજ બીડી, સિગારેટ, પાન,મસાલા, ગુટકા, તમાકુનો ઉ૫યોગ કરવા ઉ૫ર પ્રતિબંધ ફરમાવેલ છે.
જાહેરનામાનો અમલ તથા તેનાં ભંગ બદલ ૫ગલા લેવા હેડ કોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવે છે.આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.
પાલિતાણાના ઢેબરા તેરસના મેળા સંદર્ભે ટ્રાફીક નિયમન જાહેરનામુ બહાર પડાયું
પાલિતાણા શહેરમાં નીચેના રસ્તાઓને 24 માર્ચે સવારે 8 વાગ્યાથી 25 માર્ચ રાતના 12 વાગ્યા સુધી એકમાર્ગીય જાહેર કર્યા છે. જેમાં ભાવનગરથી પાલીતાણા, ગારીયાધાર, ઘેટી, આદપુર તરફ જતા વાહનોને ભાવનગર રોડ રેલ્વે ક્રોસીંગથી જમણી બાજુ જતાં બાયપાસ રોડ થઈ, સરદારનગર ચોકડી થઈ, ગારીયાધાર રોડ, ત્રણ રસ્તા થઈ સિંધી કેમ્પર, મહાવીર પેટ્રોલ પં૫ થઈને છેલ્લા ચકલા,પાલીતાણા હાઈસ્કુલ થી પાર્કીંગ મેદાન સુધી.
પાલીતાણા શહેરમાં પ્રવેશતા વાહનો માટે પાલીતાણા ભૈરવનાથ ચોકથી મહાવીર પેટ્રોલ પં૫,માનસિંહજી હોસ્પીણટલ, છેલ્લા ચકલાથી હાઈસ્કુલ પાર્કીંગ મેદાન સુધી.
પાલીતાણા થી આદપુર જવા માટે વાયા સર્વોદય સોસાયટી થઈ આદપુર પાલનાં સ્થળે. પાલીતાણા હાઈસ્કુલથી આરીસાભુવન સામે થઈ સાદડી ભુવન ધર્મશાળા સામે થઈ ભીલવાડા થઈ વણકરવાસ,લાવારીસ બસ સ્ટેન્ડ ઓવર બ્રીજ ઉ૫રથી થઈ સીધા જ બજરંગદાસ બાપા ચોકી થઈને બહાર જવાનું રહેશે. આદપુર પાલથી ૫રત વાયા કંઝરડા થી ઘેટી રોડ થઈ ગારીયાધાર રોડ ઉ૫ર ૫રત આવશે. પાલીતાણા હાઈસ્કુલથી છેલ્લા ચકલા સુધી કોઈ વાહન પાછું આવી શકશે નહી કે પાર્ક કરશે નહિ.
આ જાહેરનામાની જોગવાઈમાંથી પોલીસ વિભાગના,મહેસુલ વિભાગના તેમજ જાહેર સુખાકારી માટે નગરપાલીકાએ મુકેલા વાહનોને મુકિત આ૫વામાં આવે છે. આ જાહેરનામાની અવધિ દરમ્યાન વૃઘ્ધ, અશકત, યાત્રીકોને લાવવા / લઈ જવા માટે વાહનોના ઉ૫યોગની ૫રવાનગી સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ,પાલીતાણા આપી શકશે.આ હુકમનો ભંગ અગર ઉલ્લંધન કરનાર સદરહું અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર થશે. જાહેરનામાનો અમલ તથા ભંગ બદલના પગલા લેવા માટે ફરજ ઉપરના કોઇપણ હેડ કોન્ટેરન બલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
