IIM અમદાવાદમાં એન્જીનિયરોને એડ્મિશન મળવું મુશ્કેલ
અમદાવાદ, 8 ઓગષ્ટ: આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સ તમે જરૂર જોઇ હશે, જેમાં તે ડાયલોગ પણ યાદ હશે, જેમાં આખિરખાન કહે છે કે જ્યારે મેનેજર બનવું છે તો એન્જીનિયરીંગ કેમ કર્યું અને બેંકમાં નોકરી કરવી હતી તો એન્જીનિયરીંગ પાંચ વર્ષ કેમ બરબાદ કર્યા. આ વાત હવે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદને સમજાઇ છે. જેથી બહુ ઓછા એન્જીનિયરોને એડ્મિશન આપવામાં આવશે.
એન્જીનિયરીંગની ડિગ્રી લીધા બાદ જો કેટની તૈયારી કરી રહ્યાં છો, તો અત્યારથી આ વાત સમજી લો કે આઇઆઇએમ અમદાવાદમાં તેમને એડ્મિશન મળવું મુશ્કેલ હશે. અંગ્રેજી સમાચાર ટીઓઆઇના સમાચાર મુજબ 2014થી આઇઆઇએમ અમદાવાદે નોન-એન્જીનિયરીંગ બેકગ્રાઉન્ડના વિદ્યાર્થીઓનો કોટા 4 ટકાથી વધારીને 18 ટકા કરી દિધો છે.

નવા નિયમ અનુસાર કોઇપણ અનુભવ વિના કે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીના વિદ્યાર્થીઓ માટે કોટા 27 ટકા રહેશે. હવે વર્ક એક્સપીરિયન્સને પર્સનલ ઇન્ટરવ્યુંમાં કાઉન્ટ કરવામાં નહી આવે. હકિકતમાં 2012-14 અને 2013-15ની બેચમાં 96 ટકા વિદ્યાર્થી એન્જીનિયરીંગ બ્રેકગ્રાઉન્ડના છે. હવે આ ટકાવારી 80 થી 87 ટકા સુધી કરવાની યોજના છે.
આઇએમએમએ આ નિર્ણય એટલા માટે લીધો કારણ કે લોકો હવે એમ કહેવા લાગ્યા હતા કે આઇઆઇએમના દરવાજા હવે ફક્ત આઇઆઇટિયન્સ માટે ખુલ્લા છે. બાકીના વિદ્યાર્થીઓને ત્યાં એડ્મિશન મળવું શક્ય નથી, જો કે અન્ય આઇઆઇએમની વાત કરીએ તો બેંગ્લોર અને કલકત્તામાં નોન-એન્જીનિયરીંગ બેકગ્રાઉન્ડવાળા વિદ્યાર્થીની સંખ્યા વધારે છે.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
