મોદીનું સત્ય બહાર આવશે જ, હિમ્મત નહીં હારુ: ઝાકિયા
અમદાવાદ, 27 ડિસેમ્બર: અમદાવાદની કોર્ટ દ્વારા નરેન્દ્ર મોદીને ક્લીન ચિટ આપવાના નિર્ણય પર ઝાકિયા જાફરીએ જણાવ્યું છે કે તે હાર નહીં માને અને એક દિવસે નરેન્દ્ર મોદીની વાસ્તવિકતા સૌની સામે આવી જશે.
મોદીને મોટી રાહત આપતા અમદાવાદની મેટ્રોપોલિટિન કોર્ટે એસઆઇટીના એ રિપોર્ટને યોગ્ય ગણાવ્યો છે જેમાં 2002ના ગુજરાત રમખાણોના મામલામાં મોદીને ક્લીન ચિટ મળી હતી. ઝાકીયા જાફરીએ એસઆઇટીના આ રિપોર્ટ પર વાંધા અરજી કરી હતી જેના પર ગઇ કાલે મહત્વનો ચૂકાદો આવ્યો હતો.
ઝાકિયાએ શું કહ્યું..
કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ ઝાકિયાએ મીડિયાને જણાવ્યું કે 'આજે તો જજ સાહેબે નિર્ણય સુણાવ્યો, મે સાંભળી લીધો. હું હિમ્મત હારવાની નથી. કેસને આગળ લઇ જઇશ. હાઇ કોર્ટમાં જઇશ. આજે મને જે પરિણામ મળ્યું છે, તેનાથી આપ સમજી જ શકો છો કે કેટલો ન્યાય થયો. અત્યારે નહીં તો પછી ક્યારેક, વાસ્તવિકતા સામે આવીને જ રહેશે. જે પુરાવા અમે કોર્ટની સામે મૂક્યા, તે ભલે કોર્ટને મહત્વપૂર્ણ ના લાગ્યા હોય. પરંતુ આશા છે કે મોટી કોર્ટમાં તેની પર ધ્યાન આપવામાં આવશે. '
વકીલે શું કહ્યું...
અમને નથી ખબર કે મિસ્ટર શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટે જે પુરાવા એકત્રિત કર્યા હતા, તેને કોર્ટે માન્યા પણ છે કે નહી. હજી અમે વિસ્તારથી કોર્ટનો નિર્ણય વાંચ્યો નથી. પરંતુ અમને લાગે છે કે જે રીતે પુરાવા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે નરેન્દ્ર મોદીને ગુનેગાર ઠેરવવા માટે પૂરતા હતા. આ વિશ્વાસની સાથે અમે હાઇકોર્ટમાં જઇશું. નરેન્દ્ર મોદી 20-25 દિવસ શાંતિથી રહી શકે છે. ત્યાં સુધી અમે આ કેસને ફાલ કરી દઇશું અને છેલ્લે સુધી લડાઇ ચાલુ રાખીશું.
નરેન્દ્ર મોદીએ શું કહ્યું..
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પ્રતિક્રિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી હતી. અમદાવાદની કોર્ટના ચૂકાદા બાદ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું છે કે, સત્ય મેવ જયતે,સત્યનો વિજય થયો છે. સત્યનો સ્વાભાવ સાફ હોય છે. અજ્ઞાનતાના જેટલા જાળા દૂર કરશો તેટલો સત્યનો માર્ગ સ્પષ્ટ દેખાશે-મહત્મા ગાંધી.
અરુણ જેટલીએ શું કહ્યું...
અરૂણ જેટલીએ જણાવ્યું કે 'ગત 11 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્ર એનજીઓના દુષ્પ્રચારથી નરેન્દ્ર મોદી અપ્રભાવિત રહ્યાં અને આ દરમિયાન 2002, 2007 અને 20012ની રાજ્યની ચૂંટણીમાં જોરદાર જીત પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય અને વહિવટી કુશળતા સાબિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે ન્યાયપાલિકા પાસેથી પણ પાક કરાર ગણાવવાની પુષ્ટિ કરી છે. 'આ ભાજપ અને નરેન્દ્ર મોદીની નૈતિક જીત છે.'

ઝાકિયા જાફરી
કોર્ટનો ચૂકાદો આવ્યા બાદ ઝાકિયાએ મીડિયાને જણાવ્યું કે 'આજે તો જજ સાહેબે નિર્ણય સુણાવ્યો, મે સાંભળી લીધો. હું હિમ્મત હારવાની નથી. કેસને આગળ લઇ જઇશ. હાઇ કોર્ટમાં જઇશ. આજે મને જે પરિણામ મળ્યું છે, તેનાથી આપ સમજી જ શકો છો કે કેટલો ન્યાય થયો. અત્યારે નહીં તો પછી ક્યારેક, વાસ્તવિકતા સામે આવીને જ રહેશે. જે પુરાવા અમે કોર્ટની સામે મૂક્યા, તે ભલે કોર્ટને મહત્વપૂર્ણ ના લાગ્યા હોય. પરંતુ આશા છે કે મોટી કોર્ટમાં તેની પર ધ્યાન આપવામાં આવશે.'

ઝાકિયા જાફરીના વકિલ
અમને નથી ખબર કે મિસ્ટર શ્રીકુમાર, રાહુલ શર્મા અને સંજીવ ભટ્ટે જે પુરાવા એકત્રિત કર્યા હતા, તેને કોર્ટે માન્યા પણ છે કે નહી. હજી અમે વિસ્તારથી કોર્ટનો નિર્ણય વાંચ્યો નથી. પરંતુ અમને લાગે છે કે જે રીતે પુરાવા કોર્ટમાં દાખલ કરવામાં આવ્યા હતા. તે નરેન્દ્ર મોદીને ગુનેગાર ઠેરવવા માટે પૂરતા હતા. આ વિશ્વાસની સાથે અમે હાઇકોર્ટમાં જઇશું. નરેન્દ્ર મોદી 20-25 દિવસ શાંતિથી રહી શકે છે. ત્યાં સુધી અમે આ કેસને ફાલ કરી દઇશું અને છેલ્લે સુધી લડાઇ ચાલુ રાખીશું.

નરેન્દ્ર મોદી
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પોતાની પ્રતિક્રિયા સોશિયલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પર આપી હતી. અમદાવાદની કોર્ટના ચૂકાદા બાદ મોદીએ ટ્વિટ કરતા જણાવ્યું છે કે, સત્ય મેવ જયતે,સત્યનો વિજય થયો છે. સત્યનો સ્વાભાવ સાફ હોય છે. અજ્ઞાનતાના જેટલા જાળા દૂર કરશો તેટલો સત્યનો માર્ગ સ્પષ્ટ દેખાશે-મહત્મા ગાંધી.

અરુણ જેટલી
અરૂણ જેટલીએ જણાવ્યું કે 'ગત 11 વર્ષોમાં કોંગ્રેસ પાર્ટી અને તેના મિત્ર એનજીઓના દુષ્પ્રચારથી નરેન્દ્ર મોદી અપ્રભાવિત રહ્યાં અને આ દરમિયાન 2002, 2007 અને 20012ની રાજ્યની ચૂંટણીમાં જોરદાર જીત પ્રાપ્ત કરી. તેમણે જણાવ્યું હતું કે રાજકીય અને વહિવટી કુશળતા સાબિત કર્યા બાદ નરેન્દ્ર મોદીએ આજે ન્યાયપાલિકા પાસેથી પણ પાક કરાર ગણાવવાની પુષ્ટિ કરી છે. 'આ ભાજપ અને નરેન્દ્ર મોદીની નૈતિક જીત છે.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
