લોકરક્ષકની લેખિત પરીક્ષાનું પરિણામ જાહેર, જુઓ માર્ક્સ અને રીચેકીંગની સૂચના
Lokrakshak Exam Result 2025: લોકરક્ષક ભરતી બોર્ડે 15 જૂન, 2025ના રોજ યોજાયેલી લોકરક્ષકની લેખિત પરીક્ષાના પરિણામો જાહેર કર્યા છે. ઉમેદવારો હવે પોલીસ ભરતી બોર્ડની સત્તાવાર વેબસાઈટ પર પોતાના માર્ક્સ જોઈ શકે છે. જો કોઈ ઉમેદવારને પોતાના ગુણનું રીચેકિંગ કરાવવું હોય, તો તેઓ 400 રૂપિયાની ફી ભરીને નિર્ધારિત સમયમર્યાદામાં અરજી કરી શકે છે. આ અંગેની વધુ વિગતો બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સૂચનામાં આપવામાં આવી છે.

Gujarat Police: ગુજરાત પોલીસમાં લોકરક્ષકની ભરતી માટેની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. તારીખ 15 જૂન, 2025ના રોજ લેવાયેલી લેખિત પરીક્ષાના ગુણ લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યા છે. બોર્ડે આ અંગેની જાહેરાત 6 ઓગસ્ટ, 2025ના રોજ કરી છે.
લોકરક્ષક કેડરની તા.૧૫.૦૬.૨૦૨૫ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષાના ગુણ ભરતી બોર્ડની વેબસાઇટ https://t.co/hUg9Ljrf3I તથા https://t.co/cTams9JbGf ઉપર જાહેર કરવામાં આવેલ છે.
— Gujarat Police Recruitment Board Official (@GPRB_GNR) August 6, 2025
જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી, તેઓ હવે પોલીસ ભરતી બોર્ડની વેબસાઈટ પર જઈને પોતાનું પરિણામ જોઈ શકે છે. આ માટે ઉમેદવારોએ પોતાની ઓળખની વિગતો દાખલ કરવાની રહેશે.
રીચેકિંગ માટેની પ્રક્રિયા
લોકરક્ષક ભરતી નિયમો, 2024 (નિયમ નંબર 20) અનુસાર, જો કોઈ ઉમેદવારને પોતાના ગુણ અંગે કોઈ શંકા હોય અથવા તો તેમને એવું લાગતું હોય કે તેમના ગુણનું મૂલ્યાંકન યોગ્ય રીતે થયું નથી, તો તેઓ રીચેકિંગ માટે અરજી કરી શકે છે.
આ માટેની અરજી પ્રક્રિયા નીચે મુજબ છે
અરજી માટેની સમયમર્યાદા: ઉમેદવારો 11થી 15 ઓગસ્ટ, 2025 સુધીમાં અરજી કરી શકે છે. આ સમયગાળા પછી કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં.
રીચેકિંગ માટેની ફી 400 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફી "CHAIRMAN, GUJARAT POLICE RECRUITMENT BOARD"ના નામે ગાંધીનગર ખાતેના બેંકમાં ભરી શકાય તેવો ડિમાન્ડ ડ્રાફ્ટ (DD) બનાવીને અરજી સાથે મોકલવાનો રહેશે.
અરજી મોકલવાનું સરનામું: ઉમેદવારોએ ભરેલું અરજીપત્રક, ડિમાન્ડ ડ્રાફ્ટ અને કોલ લેટરની ઝેરોક્ષ નકલ સાથે રજિસ્ટર્ડ પોસ્ટ અથવા સ્પીડ પોસ્ટ/કુરિયર દ્વારા ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, બંગલા નંબર: ગ-12, સરિતા ઉપવનની નજીક, સેક્ટર-9, ગાંધીનગર -382009ના સરનામે મોકલવાનું રહેશે.
અરજીમાં જરૂરી વિગતો: અરજીપત્રકમાં ઉમેદવારે પોતાનું નામ, કન્ફર્મેશન નંબર, રોલ નંબર, પ્રશ્ન પુસ્તિકાનો કોડ અને મોબાઈલ નંબર સ્પષ્ટપણે દર્શાવવાના રહેશે.
ભરતી બોર્ડ દ્વારા લેવાયેલા કોઈપણ નિર્ણયને તમામ ઉમેદવારોએ માન્ય રાખવો પડશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
