ગુજરાત ભારતનું ત્રીજું સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય - પ્રેસ રિવ્યૂ
ગુજરાત ભારતનું ત્રીજું સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય - પ્રેસ રિવ્યૂ
ટાઇમ્સ ઑફ ઇન્ડિયાના એક અહેવાલ અનુસાર સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમના વર્ષ 2020 માટેના રિપોર્ટના આધારે સામે આવ્યું છે કે ગુજરાત દેશનું ત્રીજું સૌથી ઓછું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય છે.
આ રિપોર્ટમાં ગુજરાતમાં વર્ષ 2020માં એક હજાર છોકરાની સામે 909 છોકરીનાં જન્મ નોંધાયાં હતાં.

વર્ષ 2001ની વસતીગણતરી અને તેના આંકડાની વાત કરીએ તો આ આંકડો દર હજારે 883 છોકરીઓનો હતો.
ગુજરાત કરતાં વધુ ખરાબ પરિસ્થિત માત્ર મણિપુર (એક હજારે 808 છોકરીઓના જન્મ) દીવ-દમણમાં (898) છે.
અહેવાલ પ્રમાણે જન્મસમયે લિંગપ્રમાણની દૃષ્ટિએ આ ગુજરાતનું સતત બીજું ખરાબ વર્ષ છે. વર્ષ 2019માં ગુજરાત ભારતનાં રાજ્યોમાં સૌથી ઓછું જન્મસમયનું લિંગપ્રમાણ ધરાવતું રાજ્ય હતું. તે સમયે એક હજારે 901 બાળકીઓનાં જન્મ નોંધાયાં હતાં.
'ગુજરાત મૉડલનો ભ્રમ' ભાંગવો જરૂરી : મેવાણી

ધ પ્રિન્ટના એક અહેવાલ અનુસાર જિજ્ઞેશ મેવાણીએ જણાવ્યું હતું કે તેઓ 'શાસનના ગુજરાત મૉડલના ભ્રમ'ને ભાંગવામાં મદદરૂપ થવા માગે છે.
મહેસાણાની કોર્ટ દ્વારા તેમને ત્રણ માસની સજા સંભળાવ્યાના એક દિવસ બાદ વેબસાઇટ સાથે કરેલી વાતચીતમાં તેમણે આ વાત જણાવી હતી.
નોંધનીય છે કે પાછલા કેટલાક દિવસોથી મેવાણી પોલીસ અને ન્યાયતંત્રની કાર્યવાહીઓને લીધે સતત ચર્ચામાં છે.
તેમના સમર્થકોનું માનવું છે કે ગુજરાત અને કેન્દ્રની ભાજપ સરકાર જિજ્ઞેશ મેવાણીને ગમે તેમ ફસાવવા માગે છે. જોકે ભાજપના નેતાઓ સતત આ વાતને રદિયો આપતા રહ્યા છે.
અગાઉ પત્રકારો સાથેની વાતચીતમાં તેઓ જણાવી ચૂક્યા છે કે તેમની સામે થયેલી તમામ કાર્યવાહીઓ 'કેન્દ્ર સરકારના તેમના પ્રત્યેના ડર'ને પ્રતિબિંબિત કરે છે.
- ઝારખંડની એ ખાસ પ્રથા જેમાં યુગલો લિવ-ઇનમાં રહે અને પછી લગ્ન થાય છે
- એ ગુજરાતી ક્રિકેટર જે દર્શકો કહે એ ખૂણામાં સિક્સર ફટકારતા
ઉત્તર પ્રદેશમાં અઠવાડિયામાં કેટલાં લાઉડસ્પીકર હટાવાયાં?
ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે શનિવારે દાવો કર્યો છે કે રાજ્યમાં અત્યાર સુધી એક લાખથી વધુ લાઉડસ્પીકર હટાવી દેવાયાં છે. તેમણે અધિકારીઓને લાઉડસ્પીકર ફરી ન લાગી શકે તે માટે સૂચના પણ આપી છે.
સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર યોગી આદિત્યનાથે કહ્યું છે કે ધાર્મિક આયોજન ધાર્મિક સ્થળોનાં પરિસરની અંદર જ સીમિત હોવાં જોઈએ. કોઈ પણ તહેવાર કે પર્વનું આયોજન રસ્તા પર ન થવું જોઈએ અને આવાં આયોજનોને કારણે સામાન્ય નાગરિકોને કોઈ પરેશાની ન થવી જોઈએ.
https://twitter.com/PTI_News/status/1523023389367345153
ઉત્તર પ્રદેશમાં ગેરકાયદેસર લાઉડસ્પીકર હટાવવા અને અન્ય લાઉડસ્પીકરોનો અવાજ નિર્ધારિત મર્યાદા સુધી સીમિત કરવાનું અભિયાન આ જ વર્ષે 25 એપ્રિલથી શરૂ કરાયું હતું અને જે એક મે સુધી ચાલ્યું હતું.
- આસામનાં એ સબ-ઇન્સ્પેક્ટર જેમણે પોતાના મંગેતરને જેલમાં ધકેલ્યા
- ભારતમાં ચોમાસા પહેલાં સર્જાશે સિઝનનું પ્રથમ વાવાઝોડું, ગુજરાતને કેટલો ખતરો?
https://www.youtube.com/watch?v=zA4jtMtGPTc
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો
-
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: સોનું આ અઠવાડિયે 4000 રૂપિયા સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
Strait of Hormuz સંકટ વચ્ચે PM મોદીનો મોટો દાવ: ‘E20’ થી તેલની આયાત ઘટશે, ખેડૂતોની આવક પણ વધશે!






Click it and Unblock the Notifications
