‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' દ્વારા દેશના બધા મુખ્યમંત્રીઓને એક મંચ પર લાવવાવી કોશિશ
દેશના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષના નામથી પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના અનાવરણના કાર્યક્રમની ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
દેશના પહેલા ઉપ પ્રધાનમંત્રી અને લોખંડી પુરુષના નામથી પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની મૂર્તિના અનાવરણના કાર્યક્રમની ગુજરાતમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું અનાવરણ કરશે. આ કાર્યક્રમમાં દેશના દરેક રાજ્યના મુખ્યમંત્રીને બોલાવવાની વાત કરવામાં આવી રહી છે. 31 ઓક્ટોબર 2018 ના રોજ સરદાર વલ્લભભાઈ પટેલની જયંતિ છે.

હમ સબ હે સાથ સાથ
ગુજરાત સરકાર ઉદઘાટન સમારંભમાં શામેલ થવા માટે ભાજપ શાસિત અને બિન ભાજપ શાસિત રાજ્યો સહિત દરેક રાજ્યમાં એક ટીમ મોકલી રહી છે. ગુજરાત સરકાર તરફથી બધાને આમંત્રણ આપવામાં આવશે. આ ઉચ્ચ સ્તરીય ટીમ દેશના દરેક મુખ્યમંત્રી સાથે મુલાકાત કરશે. આ ટીમમાં એક સાંસદ અને આઠ ધારાસભ્ય છે. આ ઉપરાંત એક આઈએએસ અને એક આઈપીએસ અધિકારી પણ ટીમનો હિસ્સો છે. અત્યારે ટીમે ઔપચારિક રીતે ત્રિપુરાના મુખ્યમંત્રીને ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' ના ઉદઘાટન કાર્યક્રમમાં ભાગ લેવા માટે આમંત્રિત કર્યા છે.

12 વર્ગ કિમીની ઝીલ
‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' સરદાર વલ્લભભાઈ પટેલની 182 મીટર ઉંચી મૂર્તિ છે. આ સ્મારક સરદાર સરોવર બંધથી 3.2 કિલોમીટરના અંતરે સાધુ બેટ નામની જગ્યાએ છે કે જે નર્મદા નદી પર એક ટાપુ છે. આ મૂર્તિ લગભગ 20 હજાર વર્ગ મીટરથી વધુ સ્થળોને ઘેરશે અને તેની ચારે તરફ 12 વર્ગ કિમીની એક કૃત્રિમ ઝીલ હશે.

દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ
રિપોર્ટ્સ અનુસાર સરદાર પટેલના પગ પાસે બે લિફ્ટ હશે અને તે ઉપર સરદાર પટેલની છાતી સુધી જશે. અહીંથી સરદાર સરોવર બંધનો શાનદાર નઝારો જોઈ શકાશે. આ દુનિયાની સૌથી ઉંચી મૂર્તિ હશે અને તેનું નિર્માણ 31 ઓક્ટોબર, 2014 ના રોજ શરૂ કરવામાં આવ્યુ હતુ. તેને બનાવવાનો ખર્ચ 2939 કરોડ રૂપિયા જણાવવામાં આવી રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ 2013 માં ગુજરાતના મુખ્યંત્રીના પદ પર રહેતા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી' બનાવવાનું એલાન કર્યુ હતુ.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
