અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદ રથયાત્રાને લઇ સંત દિલીપદાસે ગુજરાત સરકાર પર આરોપ લગાવ્યો
અમદાવાદઃ ભગવાન જગન્નાથ મંદિર અમદાવાદની રથયાત્રા અદાલતની રોકને પગલે મંદિર પરીસરમાં જ નીકળી હતી, પરંતુ તેના એક દિવસ બાદ જ હવે મંદિરના સંત દિલીપદાસજી મહારાજે સરકાર પર સીધો આરોપ લગાવ્યો કે રાજ્ય સરકારે પોતાનું વચન ભંગ કર્યું છે. તેમને સરકાર પર ભરોસો હતો કે રથયાત્રા કાઢવાની મંજૂરી મળી જશે પરંતુ અદાલતે તેના પર રોક લગાવી દીધી.

ખોટા લોકો પર ભરોસો કર્યો
મંદિરના સંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે અમે ખોટા લોકો પર ભરોસો કર્યો છે, સરકારે અમારી સાથે વચનભંગ કર્યું. એક વ્યક્તિએ મને કહ્યું હતું કે યાત્રા નીકળશે, અમને એ લોકો પર બહુ ભરોસો હતો પરંતુ અમારી સાથે ગેમ રમાણી, જેમના પર ભરોસો રાખ્યો તે ટૂટી ગયો. અમાદાવાદના આરાધ્ય દેવ ભગવાન જગન્નાથની રથયાત્રા ગત 142 વર્ષથી સતત નીકળી રહી છે, જણાવવામા આવી રહ્યું છે કે વર્ષ 1985માં હિન્દુ મુસ્લિમ દંગા દરમિયાન પણ રથયા્રા કાઢવામા આવી હતી પરંતુ આ વખતે કોરોના મહામારીને પગલે ગુજરાત હાઇકોર્ટે તેના પર રોક લગાવી દીધી જેને પગલે મંગળવારે મંદિર પરિસરમાં જ યાત્રા કાઢવામાં આવી અને સીમિત શ્રદ્ધાળુઓને જ દર્શન કરવા દેવામાં આવ્યા.

સરકારે ભરોસો તોડ્યો
મંદિર ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ કહ્યું કે તેમને સરકારે ભરોસો અપાવ્યો હતો કે રથયાત્રા કાઢવામાં આવશે, બીજી તરફ હાઇકોર્ટે એક પક્ષકાર તરીકે અમારો પક્ષ પણ જાણવો જોઇતો હતો. હાઇકોર્ટે સુનાવણી દરમિયાન આ સવાલ પણ ઉઠાવ્યો હતો કે મંદિર પ્રશાસન આમાં ખુદ પકાર નથી બની રહ્યું અને થર્ડ પાર્ટી અરજીઓ કરી રહી છે.

મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને
રથયાત્રાને લઇ મંદિર પ્રશાસન અને સરકાર આમને સામને આવી ગયા છે, મહંત દિલીપ દાસ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાનું કહેવું છે કે સરકારે પણ તેમને અંધારામાં રાખ્યા છે, સમય રહેતા ઉચ્ચતમ ન્યાયાલયમાં જવા દેવામાં આવતા તો પુરીની રથયાત્રા તરફથી અમદાવાદમાં ભગવાન જગન્નાથની 143મી ઐતિહાસિક રથયાત્રા પણ કાઢવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે સરકાર છેલ્લે સુધીકોરોના સંક્રમણના ખતરાનું આંકલન કરતી રહી જેન પગલે કાનૂની લડાઇમાં હારી ગઇ અને રથયાત્રાન પોતાની પારંપરિક જડોથી કાઢવાની મંજૂરી નથી મળી શકી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
