નિસર્ગ વાવાઝોડુઃ 6 વર્ષમાં 8 વાર મંડરાયો ગુજરાત પર વાવાઝોડાનો ખતરો, દર વખતે બચી ગયુ
વાવાઝોડાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં આવુ 8 વાર થયુ જ્યારે ગુજરાત પર સાયક્લોનિક સ્ટૉર્મનો ખતરો તોળાયો.
વાવાઝોડુ નિસર્ગ કાલે ગુજરાત-મહારાષ્ટ્રના તટો પર ટકરાવાની સંભાવના છે. અરબ સાગરથી ઉઠેલ આ સમુદ્રી તોફાન ઝડપથી આગળ વધી રહ્યુ છે. જેના કારણે ભાવનગર, અમરેલી અને સુરત જેવા છ જિલ્લાઓમાં એલર્ટ જારી કરવામાં આવ્યુ છે. બે રાજ્યોના તટીય ક્ષેત્રોમાં નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ ટીમો તૈનાત કરવામાં આવી છે. લોકોની મદદ માટે કંટ્રોલ રૂમ પણ સ્થાપિત કરી દેવામાં આવ્યા છે. ગયા એક સપ્તાહમાં હવામાન વિભાગે ઘણા પૂર્વાનુમાન જારી કર્યા પરંતુ વાવાઝોડાની સચોટ ભવિષ્યવાણી મળી શકી નહિ. વાવાઝોડાની વાત કરીએ તો છેલ્લા 6 વર્ષમાં આવુ 8 વાર થયુ જ્યારે ગુજરાત પર સાયક્લોનિક સ્ટૉર્મનો ખતરો તોળાયો.

આ રીતે મંડરાયો ખતરો, પરંતુ બચતા ગયા વિનાશથી
પરંતુ પ્રકૃતિની માયા એવી રહી કે આઠે વખત ગુજરાત મોટા વિનાશથી બચી ગયુ. અરબ સાગરથી ખૂબ ઝડપે આગળ વધતા ચક્રવાતી તોફાનની 5 વાર તો દિશા બદલાઈ ગઈ. જ્યારે 3 વાર સમુદ્રમાં જ સમાઈ ગયુ. આ રીતે ગયા વર્ષે સાયક્લોન વાયુ આવ્યો હતો પરંતુ અણીના સમયે તેની દિશા બદલાઈ ગઈ અને તે ઓમાન તરફ વળીને સમુદ્રમાં જ સમાઈ ગયુ. માહિતી મુજબ 2014 બાદ સમુદ્રમાં ઉત્પન્ન થયેલ 8 વાવાઝોડામાં 5 વાવાઝોડા ચંપાલા, નનૌક, અશોબા, સાગર અને વાયુએ પોતાની દિશા બદલી. આ ઉપરાંત 3 વાવાઝોડા ઓખી, નિલોફર અને મહા સમુદ્રમાં જ સમાઈ ગયા.

પાલઘર, પૂણે, ઠાણે, મુંબઈ, રાયગઢ, ધૂલેમાં વરસાદ થશે
ભારતીય હવામાન વિભાગે એલર્ટ આપ્યુ છે કે નિસર્ગ વાવાઝોડુ 3 જૂને મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના હરિહરેશ્વર અને દમણ વચ્ચે ટકરાઈ શકે છે. આને જોતા મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, દમણ-દીવ અને દાદરા નગરહવેલીમાં ખાસ્સી તૈયારીઓ કરવામાં આવી રહી છે. ખતરાને જોતા ગુજરાત-મહારાષ્ટ્રમાં સમુદ્ર તટની આસપાસના વિસ્તારોમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે. પાલતુ પશુઓને પણ સુરક્ષિત સ્થળે લઈ જવાની સલાહ આપવામાં આવી છે.

એનડીઆરએફની 23 ટીમો તૈનાત
આજે જ ગૃહ મંત્રાલયના અધિકારીઓએ જણાવ્યુ કે સ્થિતિને પહોંચી વળવા ાટે મહારાષ્ટ્ર, ગુજરાત, દમણ અને દીવ તેમજ દાદરા અને નગરહવેલીમાં એનડીઆરએફની 23 ટીમો તૈનાત કરવામાં આવી છે. આમાંથી 11 ટીમો ગુજરાતમાં, 10 ટીમો મહારાષ્ટ્રમાં અને બે ટીમો દમણ તેમજ દીવ અને દાદરા નગરહવેલીમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની એક ટીમમાં 45 સભ્યો હોય છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, 'ભારતના પશ્ચિમી તટના અમુક ભાગોમાં વાવાઝોડાની સ્થિતિને જોતા પરિસ્થિતિની સમીક્ષા કરી. હું બધાની કુશળતા માટે પ્રાર્થના કરુ છુ. લોકોને દરેક સંભવ સાવચેતી અને સુરક્ષાના ઉપાય કરવાનો આગ્રહ પણ કરુ છુ.'
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
