'અમે આપ અને ઓવેસીના કારણે હાર્યા...', ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષે જણાવ્યુ પાર્ટીની શરમજનક હારનુ કારણ
જ્યારે કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા.
Congress on Gujarart Results 2022: ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ કોંગ્રેસે ગુજરાતમાં હાર સ્વીકારી લીધી છે. કોંગ્રેસના કેટલાક દિગ્ગજ નેતાઓ હાર માટે આમ આદમી પાર્ટી અને AIMIMને જવાબદાર ઠેરવી રહ્યા છે. ગુજરાતના પ્રારંભિક વલણો અંગે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યુ હતુ કે વલણો અમારી વિરુદ્ધ છે. જનતાનો જે પણ નિર્ણય હશે તે અમે સ્વીકારીશુ. બાદમાં જ્યારે પાર્ટી માત્ર 16 બેઠકો પર સમેટાઈ ગઈ ત્યારે તેણે હાર માટે AAP અને અસદુદ્દીન ઓવૈસીને જવાબદાર ઠેરવ્યા. કોંગ્રેસ નેતા શશિ થરૂરે પણ AAPને વોટ કટિંગ પાર્ટી ગણાવી છે.

ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોરે ગુજરાત ચૂંટણીના પરિણામો 2022 અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યુ કે એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન વોટ કાપવાનુ એક કારણ હતુ. ખામીઓનુ વિશ્લેષણ કરવા માટે અમે ટૂંક સમયમાં બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે. ગુજરાતમાં ભાજપના જબરદસ્ત પ્રદર્શન બાદ જ્યાં પાર્ટીના નેતાઓ અને કાર્યકરોમાં ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ભાજપને અહીં 158 બેઠકો મળી રહી છે. તો કોંગ્રેસ માત્ર 16 બેઠકો પર જીત મેળવી રહી છે. આમ આદમી પાર્ટીને પાંચ બેઠકો મળશે. જ્યારે અન્યને 04 બેઠકો મળી રહી છે.
કોંગ્રેસની શરમજનક હાર પર આ પાર્ટીના દિગ્ગજ નેતાઓ હાર માટે અન્ય પક્ષોને જવાબદાર ઠેરવતા જોવા મળે છે. પહેલા શશિ થરૂર અને હવે ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોરે કહ્યુ, 'એ વાત સાચી છે કે આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસી ચૂંટણી દરમિયાન (કોંગ્રેસના) વોટ કટિંગનુ એક કારણ હતુ. અમે ખામીઓનું વિશ્લેષણ કરવા ટૂંક સમયમાં એક બેઠક યોજીશુ. મને આશા છે કે આગામી સરકાર તેના વચનો પૂરા કરશે.'
શશિ થરૂરે પણ આમ આદમી પાર્ટી પર આવો જ આરોપ લગાવ્યો હતો. એક ટીવી ઈન્ટરવ્યુમાં શશિ થરૂરે ગુજરાતમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન પર બચવાનો પ્રયાસ કર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યુ હતુ કે, 'હું ગુજરાતમાં કોંગ્રેસના પ્રચારકોની યાદીમાં નહોતો. તેથી જમીન પર શું થયુ તેનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે.' સાથે જ તેમણે આમ આદમી પાર્ટી વિશે કહ્યુ કે આમ આદમી પાર્ટીએ વોટ છીનવવાની ભૂમિકા ભજવી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?










Click it and Unblock the Notifications
